CIA ALERT

Alert Archives - Page 342 of 511 - CIA Live

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7890

એક વખતનું મોદીનું ગુજરાત એવું હતું કે જ્યાં કન્યાઓને મુક્ત વાતાવરણમાં કેળવણીને પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે રૂપાણી સરકારમાં કન્યાઓ પર અવળચંડા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે તો એવો ફતવો જારી કર્યો છે કે સમાજની કુંવારી યુવતિઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં, તેમના મોબાઇલ ફોનના વપરાશ પર તા.14મી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમ છતાંં, સમાજની કોઇ કુંવારી યુવતિ મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો તેના પિતા પાસેથી સમાજ રૂ.દોઢ લાખનો જંગી દંડ વસૂલ કરશે.

BK

ઉત્તર ગુજરાતના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ 14 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.

ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો આ ફતવો હાલ ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે અને કુંવારી યુવતિઓ પર મૂકવામાં આવેલા મોબાઇલ વપરાશ પ્રતિબંધની ચોમેરથી ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક મુક્ત વિચારશરણી ધરાવતી સંસ્થાઓએ ગુજરાત સરકાર તેમજ હ્યુમન રાઇટ્સ, મહિલા અધિકાર આયોગ સુધી આ બાબતની ફરીયાદો કરવાની શરૂ કરી છે.

બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કુંવારી યુવતિઓ પર મોબાઇલ પ્રતિબંધ મૂકવા પાછળ નો તર્ક બેહૂદા છે. મોબાઇલથી દુષણો ફેલાય રહ્યા છે માની શકાય એવી વાત છે પણ મોબાઇલ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વનું પરીબળ છે, શિક્ષણમાં મોબાઇલ ફોનની આવશ્યકતા પ્રવેશથી લઇને પરીક્ષા, પરીણામ સુધીની છે.

July 16, 2019
t.jpg
1min20520

22 નિર્દોષ વિદ્યાર્થીઓને યાતનાભર્યું મોત આપવા માટે જવાબદાર સુરતના વરાછાના તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ડોમનું ડિમોલિશન કરવાની કામગીરી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડોમનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં તેને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચારી રીતરસમોથી ઇમ્પેક્ટ ફી ના કાયદામાં લાવી દેવાયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

આગ હોનારત બાદ આજે અહીં સુરત મહાનગરપાલિકાએ સ્ટાફને ખડકી દઇને ડોમની તોડફોડ શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તક્ષશિલા આર્કેડના ડોમની તોડફોડ માટો પહોંચ્યા ત્યારે અહીં લોકો ભેગા થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, બરાબર ડોમની નીચે જ ચલાવવામાં આવતા ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સિટીંગ એરેંજમેન્ટના ભાગરૂપે નોનયુઝ્ડ ટાયર રાખવામાં આવ્યા હતા. તક્ષશિલાની આગ સાથે ટાયરો પણ બળવા માંડતા ભયંકર ધૂમાડો ઉત્પન્ન થયો હતો, અને તેમાં કેટલાક સ્ટૂડન્ટ્સ ગુંગળાઈને મોતને ભેટ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે ડોમની ઉપરના ભાગે ચઢીને એક પછી એક છાપરાઓ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6970
જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં નહીં નોંધાઇ હોય તેવી માસ કોપી (સામૂહિક ચોરી)ની ઘટનામાં 959 જેટલા ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરીણામ 2020 સુધી અટકાવી દેવાયા છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં એવી ચોરી કરી કે નિબંધ સરખો લખ્યો, બધા જ જવાબો એટલા સરખા ડિટ્ટો ટુ ડિટ્ટો લખ્યા અને બુદ્ધિ વગરના નકલખોરોએ ભૂલો પણ એક સરખી જ લખે રાખી અને પછી પણ આ બધા જ પાસ થઇ શક્યા નહીં અને અધૂરામાં પૂરું આખો માસ કોપીનો કિસ્સો પકડી પાડવામાં આવ્યો છે. સામૂહિક ચોરી કરનાર અને કરાવનારાઓ પણ એટલી હદે ભાન ભૂલ્યા કે ચોરી કરવા માટેનું સાહિત્ય પણ તમામને એક સરખું જ આપ્યું અને તમામે એક પણ શબ્દ કે વાક્ય આગળપાછળ કર્યા વગર બધું જ ચોરીના કોઇ સાહિત્યમાંથી ઉઠાવીને કોપી કરી દીધું હતું.

બિહાર અને યુ.પી.ના પરીક્ષા કેન્દ્રોમાં આપણે સામૂહિક ચોરીના વાઇરલ થયેલો વિડીયો જોયા, પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરીનો એવો મસમોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં પરીક્ષા પૂરી થઇ, પરીણામો જાહેર થઇ ગયા પછી આખો કિસ્સો ઝડપી પાડવામાં આવ્યો છે.

જ્યાંથી 959 વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી કે જેમાં એક જ સરખા જવાબો, સરખી ભૂલો પકડી પાડવામાં આવી છે એ પરીક્ષા કેન્દ્રો જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના છે, અહીંની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોના સંચાલકોની પણ સંડોવણી આ કિસ્સામાં બહાર આવવા પામી છે. કેમકે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના વિદ્યાર્થીઓએ જ્યાંથી સામૂહિક ચોરી ઝડપાઇ છે એ સેન્ટરની સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે પ્રવેશ લીધો હતો.

જ્યાંથી મોટા પ્રમાણમાં માસકોપીના કેસો મળી આવ્યા છે એ પરીક્ષા કેન્દ્રો, અમરપુર (ગીર સોમનાથ), વિસણવેલ (જૂનાગઢ) અને પ્રાચી પીપળા (ગીર સોમનાથ)ના પરીક્ષા કેન્દ્રો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી પરીક્ષા વખતે આ ત્રણેય કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા નહીં લેવાય અને એ કેન્દ્ર રદ કરી દેવામાં આવે તેમ પણ જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓએ પોતાના જવાબોમાં એમ પણ જણાવ્યું હતું કે તેમણે એક્સટર્નલમાં પ્રવેશ લીધો હોવા છતાં તેમની પાસેથી રેગ્યુલર કોર્સમાં ભણતા હોય એ રીતે રૂ.35000 જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનપેપર રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પણ દર્શાવાયા હોવાનું જાણવા મળે છે.

 

July 16, 2019
1min5360

30 જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા માટે તા. 31/05/2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આશરે 15171 રેડ કરવામાં આવી અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા 232 દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે 75 પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તારીખ:31.05.2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં 364 અને છોટાઉદેપુરમાં 954 એમ મળીને કુલ 1318 રેડ કરવામાં આવી હતી.આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ 21 પરવાના મોકૂફ કરી, બે પરવાના રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ 157 દુકાનદારો સામે કાર્યવાહી કરીને 29 પરવાના મોકૂફ કરીને 18 પરવાના રદ કરવામાં આવ્યા છે.

ખેડા-નવસારીમાં અનુક્રમે 1253 અને 430, બનાસકાંઠા-કચ્છમાં અનુક્રમે 1977 અને 373, પાટણ-મહેસાણામાં અનુક્રમે 557 અને 174, વડોદરા-વલસાડમાં અનુક્રમે 792 અને 426, ગાંધીનગર-પોરબંદરમાં અનુક્રમે 493 અને 228, દાહોદ-ભરૂચમાં અનુક્રમે 744 અને 1009, મોરબી-રાજકોટમાં અનુક્રમે 182 અને 227, જૂનાગઢ-ગીર સોમનાથમાં અનુક્રમે 364 અને 347, જામનગર-દેવભૂમિ દ્વારકામાં અનુક્રમે 248 અને 110, અમદાવાદ-ડાંગમાં અનુક્રમે 500 અને 107, આણંદ- મહીસાગરમાં અનુક્રમે 288 અને 413, સુરત-તાપીમાં અનુક્રમે 443 અને 318 અને સાબરકાંઠા-અરવલ્લીમાં અનુક્રમે 756 અને 408 રેડ કરવામાં આવી હતી.

July 16, 2019
mehsana.jpg
1min7020

 

મહેસાણામાં રવિવાર 14 July 2019 સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું.

 

 

July 16, 2019
harbal_hooka.jpg
1min9800

બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના એક રેસ્ટોરાં-માલિકને તેની રેસ્ટોરાંમાં ગ્રાહકોને તમાકુ-મુક્ત હર્બલ હૂકા આપવાની સોમવારે છૂટ આપી હતી.

‘શીશા સ્કાયલાઉન્જ’ નામની આ રેસ્ટોરાંના માલિક અલી રઝા આબ્દી દ્વારા નોંધાવવામાં આવેલી પિટિશનના સંબંધમાં ન્યાયમૂર્તિઓ રણજિત મોરે તથા ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે ‘હાઈ કોર્ટ પિટિશનરને હર્બલ હૂકા માટે છૂટ આપે છે. જોકે, ભવિષ્યમાં જો આ પિટિશનર તેમના કોઈ ગ્રાહકને કોઈ પણ પ્રકારના તમાકુની પ્રૉડક્ટ સર્વ કરતો જણાશે તો સત્તાવાળાઓ કાયદા મુજબ તેમની સામે પગલાં ભરી શકશે.’

આબ્દીએ સિગારેટ્સ ઍન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ ઍક્ટ (કૉટ્પા), 2003ની જોગવાઈઓ

તમાકુ-મુક્ત હૂકાને લાગુ ન પડે એવું ડેક્લેરેશન માગતી અરજી કરી હતી. તેમણે પિટિશનમાં એવું પણ જણાવ્યું હતું કે પોતે જો પોતાની રુફ-ટૉફ રેસ્ટોરાં ખાતે હર્બલ હૂકા સર્વ કરવાનું શરૂ કરે તો કાયદાની જોગવાઈ મુજબ સત્તાવાળાઓ તેમની વિરુદ્ધ પગલાં ન ભરી શકે. આબ્દીએ એવું પણ જણાવ્યું હતું કે ‘હું શીશા સ્કાયલાઉન્જ બ્રૅન્ડ-નેમ હેઠળ મુંબઈમાં ત્રણ આઉટલેટ ચલાવું છું અને એમાં કુલ 400 કર્મચારીઓ કામ કરે છે.

જોકે, 28 ડિસેમ્બર, 2017ના દિવસે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં બે રુફ-ટૉપ રેસ્ટોરાંઓમાં આગ લાગવાની બનાવ બાદ મારી આઉટલેટોને બંધ કરાવી દેવાઈ હતી. એક વર્ષ કરતાં વધુ સમયથી આ આઉટલેટો બંધ પડી છે.’ આબ્દીના વકીલ સુજોય કાંટાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોટ્પામાં સુધારા થયા પછી તેમના અસીલે વિવિધ સત્તાવાળાઓ સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તમાકુ-મુક્ત હર્બલ હૂકા તાજેતરના સુધારાની જોગવાઈઓ હેઠળ ન આવે એટલે નીકોટિન-મુક્ત હર્બલ હૂકા તેમની આઉટલેટો ખાતે સર્વ કરવામાં આવે ત્યારે તેની સામે કાનૂની કાર્યવાહી ન થઈ શકે.

July 15, 2019
asaram.jpg
1min15220

હાલમાં રાજસ્થાનની જેલમાં દુષ્કર્મ અન્વયે પૂરાયેલા આસારામે સુરત દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂની સુરત દુષ્કર્મ કેસમાં જામીન આપવા માટે કરાયેલી અરજી ફગાવી દીધી છે.

એવી પણ માહિતી મળી છે કે જ્યાં સુધી કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી જામીન ન આપવા  સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુરત દુષ્કર્મ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે સુરતમાં ચાલી રહેલા કેસમાં 10 સાક્ષીઓના નિવેદન લેવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટે આદેશ આપીને હાઈકોર્ટની ટિપ્પણથીથી પ્રભાવિત થયા વગર કાર્યવાહી કરવા કહ્યું છે.

હાલ આસારામ દુષ્કર્મ કેસમાં જ આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ પહેલા હાઈકોર્ટે 26મી માર્ચ, 2019ના રોજ હાઈકોર્ટે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. હાલ આસારામ 2013માં રાજસ્થાનના જોધપુર આશ્રમમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાના કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે.

 

July 15, 2019
world_cup_logo.png
1min5150

વર્લ્ડ કપના અદ્ભુત થ્રિલરમાં ન્યૂ ઝીલૅન્ડ છેવટે હાર્યું: ટાઈ-ટાઈ ફિનીશ: બ્રિટિશ ટીમને ૨૮ કરોડ રૂપિયા

વન-ડે વર્લ્ડ કપમાં અભૂતપૂર્વ ફાઇનલ રમાઈ હતી બે વખત ટાઇ થવાને પગલે પરિણામ આવ્યું હતું જેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડ પહેલીવાર વિજેતા જાહેર થયું હતું. મુખ્ય મૅચ ટાઇ થયા પછી સુપર ઓવર થઈ હતી અને એ સુપર ઓવર પણ ટાઇ થઈ હતી જેને પગલે ઇંગ્લૅન્ડે વધુ બાઉન્ડરી ફટકારી હોવાથી વિજેતા થયું હતું.

મુખ્ય મૅચ ૨૪૧-૨૪૧ રનના સ્કોર પર લેવલ થઈ હોવાથી આ મુકાબલો ટાઇમાં પરિણમ્યો હતો. એકંદરે, બન્ને ટીમો બધી રીતે મુખ્ય મુકાબલામાં બરાબરીમાં રહી હતી અને છેવટે

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ટાઇ હતી. દિલધડક મુખ્ય મુકાબલામાં ઇંગ્લૅન્ડ ઑલઆઉટ થયું હતું, પરંતુ એણે ન્યૂ ઝીલૅન્ડ જેટલા જ ૨૪૧ રન બનાવ્યા હોવાથી મૅચ બરાબરીમાં રહેતાં ટાઇ જાહેર થઈ હતી. એ વખતે બેન સ્ટૉક્સ (૮૪ અણનમ, ૯૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) નૉટઆઉટ રહ્યો હતો.

મૅચ છેક છેલ્લે સુધી બધાના શ્ર્વાસ અધ્ધર કરી મૂકે એવી હતી. અનેક ઉતાર-ચઢાવ પછી મુકાબલો છેવટે ટાઇમાં પરિણમ્યો હતો અને સુપર-ઓવરથી પરિણામ લાવવાનું નક્કી થયું હતું. સુપર ઓવરમાં બન્ને ટીમના ૧૫-૧૫ રન થયા હતા, પણ બ્રિટિશરોની વધુ ફોરને લીધે એને વિજેતા જાહેર કરાયું હતું.

ઇંગ્લૅન્ડની ટીમે મુખ્ય મૅચમાં ઓવરથ્રોમાં જે ફોર મેળવી એ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.

એ અગાઉ, જૉસ બટલર અને બેન સ્ટૉક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે, સેમી ફાઇનલમાં છેલ્લે-છેલ્લે ભારતની જેવી હાલત હતી એવી ગઈ કાલે ઇંગ્લૅન્ડની હતી. ધોની છેલ્લી ક્ષણોમાં રનઆઉટ થયો હતો અને જાડેજા પાંચમી સિક્સર મારવા જતાં કૅચઆઉટ થયેલો એમ ગઈ કાલે જૉસ બટલર (૬૦ બૉલમાં ૫૯ રન) તથા તેના પછી ક્રિસ વૉક્સ (ચાર બૉલમાં બે રન) અને લિયામ પ્લન્કેટ (૧૦ બૉલમાં ૧૦ રન) ઊંચો શૉટ મારવાની લાલચમાં કૅચઆઉટ થયા હતા. બન્નેની વિકેટ લૉકી ફર્ગ્યુસને લીધી હતી.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૨૪૧ રન બનાવ્યા હતા. એમાં એકમાત્ર હેન્રી નિકોલ્સ (૭૭ બૉલમાં પંચાવન રન)ની હાફ સેન્ચુરી હતી. એકંદરે, ઇંગ્લૅન્ડની અનેક ગુણો ધરાવતા બોલિંગ-આક્રમણ સામે કિવીઓનો બૅટિંગ-પર્ફોર્મન્સ સાધારણ હતો. ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ વૉક્સ (૯ ઓવરમાં ૩૭ રનમાં ત્રણ વિકેટ)ના પ્રારંભિક અફલાતૂન સ્પેલ બાદ હેન્રી અને કૅપ્ટન કેન વિલિયમસન (૫૩ બૉલમાં ૩૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી થઈ હતી. લૉર્ડ્સમાં બોલરોને વધુ ફાયદો કરાવતી પિચ પર ઇંગ્લિશ પેસ બોલર જોફરા આર્ચર (૧૦ ઓવરમાં ૪૨ રનમાં એક વિકેટ)ની પણ બોલિંગ અસરકારક હતી.

જોકે, બ્રિટિશ બોલરોમાંથી લિઆમ પ્લન્કેટ (૧૦ ઓવરમાં ૪૨ રનમાં ત્રણ વિકેટ) કિવીઓ માટે સૌથી વધુ ઘાતક રહ્યો હતો.

કિવી બૅટ્સમેનોનો રનરેટ ઇનિંગ્સમાં મોટા ભાગે ૪.૫૦થી નીચે રહ્યો હતો. અન્ય બૅટ્સમેનોમાં ગપ્ટિલે ૧૯, રૉસ ટેલરે ૧૫, ટૉમ લેથમે ૪૭, જેમ્સ નીશૅમે ૧૯, કૉલિન ગ્રેન્ડમે ૧૬, મિચલ સૅન્ટનરે અણનમ પાંચ, મૅટ હેન્રીએ ચાર અને ટ્રેન્ટ બૉલ્ટે અણનમ એક રનનું યોગદાન આપ્યું હતું. બ્રિટનના અન્ય બોલરોમાંથી માર્ક વૂડે એક વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશીદે ૩૯ રન આપીને બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14380

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
pandesara.jpg
1min9300
સુરતમાં કારીગરનાં મૃત્યુ બાદ ટોળાંનો હોબાળો: અશ્રુવાયુ છોડાયો
સુરતના ઔદ્યોગિક વિસ્તાર, પાંડેસરા બમરોલીમાં એક કારખાનામાં કારીગરનું કહેવાતા ઇલેક્ટ્રીક શોટ લાગવાથી મોત નિપજ્યું હતું જો કે લોકટોળાએ આ મોતને શંકાસ્પદ મોત જણાવીને મોટું તોફાન મચાવી મૂક્યું હતું. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડયા હતાં. ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલાને ખડકી દેવાયો હતો.
તા.12મી જુલાઇને શુક્રવારે સવારે પાંડેસરાનાં બમરોલી વિસ્તારની હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય દયા મોહન ગોડ નામનો કારીગર અચાનક જ જમીન પર ઢળી પડયો હતો. દયા મોહન ગોડને જમીન પર ઢળેલો જોઈ સાથી કારીગરો તેને બહાર લાવ્યા હતાં. એકમનાં માલિક અંકુર જંયતિ ચેવલીને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ કારખાનાએ દોડી આવ્યા હતાં.
કારીગર ભાનમાં નહીં આવતા 108 એમ્બ્લુલન્સ બોલાવીને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કારીગરનું મોત કરંટ લાગવાથી થયું હોવાની અફવા ફેલાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન એક શબવાહિનીની તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે તંગ બની ગયેલાં વાતાવરણમાં સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અશ્રુવાયુના ચાર સેલ છોડયા હતાં.
કારખાનાના માલિક અંકુર જંયતિ ચેવલીએ નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની હાજરીમાં જણાવ્યું હતું કે પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહે છે. છેલ્લા 6 માસથી અમારા કારખાનામાં કામ કરતો હોય રાત્રી દરમિયાન દયા ચા પીવા માટે બહાર ગયો હતો. ત્યારબાદ તેણી તબિયત લથડતા ઓફિસમાં સૂઇ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગર તેણે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે ઉઠયો ન હતો.
દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતા ફેલાવતાં આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થયા હતાં. કારીગરના પરિવારે રૂા. 10  લાખ વળતર પેટે માગ્યા હતાં. કારીગરનાં મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.