CIA ALERT

Alert Archives - Page 289 of 511 - CIA Live

January 5, 2020
patdi.jpg
1min4810

દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.

ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.

નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.

January 5, 2020
smog_tower.jpg
1min5250

રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.

ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.

મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.

January 5, 2020
census21.jpg
1min4820

રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજના જે કર્મચારીઓને વસતિ ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશનને વસતિ ગણતરી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી સોંપાશે, તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એકટ, 1948 અને સિટિઝનશિપ રુલ્સ, 2003થી બંધાયેલા રહેશે. ભારતીય જનગણના અધિનિયમની કલમ 11 મુજબ જનગણના પ્રક્રિયામાં સામેલ થવા ઈનકાર કરનાર સરકારી કે અન્ય કર્મચારીઓને ત્રણ વર્ષની જેલસજા કે દંડ અથવા જેલ સાથે દંડ ભરપાઈ કરવાની જોગવાઈ હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે ઉકત બેઉ કાનૂન હેઠળ ચિહ્નિત કરાયેલા સરકારી કર્મચારી જનગણના અને એનપીઆર માટે આંકડા એકત્ર કરવાની નિર્ધારિત જવાબદારી વહન કરવાને બાધ્ય છે. આ બાધ્યતા એનપીઆર આંકડા એકત્ર કરતી વખતે મકાનોની સૂચિ તૈયાર કરવાની જવાબદારી નિભાવનારા કર્મચારીઓ અને જનગણના અધિકારીઓ બેઉ માટે છે.
ભારતીય જનગણના અધિનિયમ મુજબ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને પોતાના વિસ્તારની જનગણના માટે અધિકારીઓની નિયુકિત કરવી અનિવાર્ય છે. તેમાં પ્રમુખ જનગણના અધિકારી (ડીએમ) જિલ્લા અને ઉપજિલ્લા જનગણના અધિકારી, પર્યવેક્ષક અને પ્રગણક (ન્યુમરેટર) સામેલ છે.
એનપીઆર ડયુટીનો ઈનકાર કરનારાને ય સિટીઝનશિપ રુલના નિયમ 17 હેઠળ રૂ.1 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આવા સ્ટાફ પર અનુશાસનિક કારવાઈ પણ થઈ શકે છે. 2021 જનગણના માટે આ વર્ષના એપ્રિલની સપ્ટેમ્બર વચ્ચે મકાનોની ગણતરી કરાશે. સાથોસાથ એનપીઆરનું કામ પણ નિપટાવી લેવાશે. આ દરમિયાન પ.બંગાળમાં સમસ્યા સર્જાવા સંભવ છે, કારણ કે રાજ્ય સરકારે એનપીઆર પ્રક્રિયા રોકી દીધી છે.

January 3, 2020
soleimani.jpg
1min5310

અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે ઈકારની રાજધાની બગદાદમાં હવાઈ હુમલો કરીને ઈરાનના અત્યંત પ્રશિક્ષિત કદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દીધો. કહેવાઈ રહ્યું છે કે સુલેમાનીનો કાફલો બગદાદ અરપોર્ટ તરફ વધી રહ્યો હતો, આ દરમિયાન અમેરિકાએ રોકેટ મારો કરી દીધો. આ હુમલામાં લોકપ્રિય મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસના પણ માર્યા જવાની ખબર છે.

ઈરાનની સરકારી ટીવીએ સુલેમાનીના માર્યા જવાની પુષ્ટી કરી છે. જણાવી દઈએ કે સુલેમાની પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ ચલાવવા માટે પ્રમુખ રણનીતિકાર મનાતો હતો. સુલેમાની પર સીરિયામાં પોતાની પકડ મજબૂત કરવા અને ઈઝરાયલમાં રોકેટ એટેક કરવાનો આરોપ હતો. અમેરિકા લાંબા સમયથી સુલેમાનીને શોધી રહી હતી.

આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સુલેમાનીના માર્યા ગયા બાદ અમેરિકાનો ધ્વજ ટ્વીટ કર્યો છે. સમજાઈ રહ્યું છે કે ટ્રમ્પે આ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પાછલા વર્ષે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવી રાખ્યા છે.

અમેરિકાના આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ આ હુમલો તેવા સમયે કર્યો છે જ્યારે ઈરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો. પાછલા દિવસોમાં અમેરિકાના નાણાં મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વિદેશી અભિયાનો માટે જવાબદાર ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સની એક ટીમે ‘કદ્સ ફોર્સ’ના ક્રૂડ ઓઈલના માધ્યમથી અસદ અને તેના લેબનોનના સહયોગી હિજબુલ્લાનું સમર્થન કર્યું હતું.

સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી સેનાની એક શક્તિશાળી વિંગ ‘કદ્સ ફોર્સ’નો પ્રમુખ હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અલ મુહાંદિસ એક કાફલા સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યો હતો. સુલેમાનીનું વિમાન સીરિયા અથવા લેબેનોનથી અહીં પહોંચ્યું હતું. જેવો સુલેમાની વિમાનથી નીચે ઉતર્યો અને મુહાનદિસને મળવા જઈ રહ્યો હતો અમેરિકાએ રોકેર હુમલો કરી દીધો અને આ બધા માર્યા ગયા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સુલેમાના શબની ઓળખ તેની અંગુઠીથી થઈ.

સુલેમાની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ મનાતો હતો. તેણે ઘણીવાર અમેરિકાને વોર્નિંગ આપી હતી. બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવ્યું હતું. નવા વર્ષના પહેલા દિવસે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે હવે ઈરાનને નુકસાન ઉઠાવવું પડશે. ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.

January 2, 2020
babies.jpg
1min6540

01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.

તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.

યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.

એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.

યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.

કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.

January 2, 2020
patidar.jpg
2min10150

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

January 2, 2020
medical_logo.jpg
1min4790

ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.

હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

January 2, 2020
dearness.jpg
1min4760

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.

જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.

January 2, 2020
gst.jpg
1min4430

ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.

નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.

અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.

January 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5420

કેલેન્ડર વર્ષ 2020ના પહેલા દિવસ તા.1લી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.40,310 પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ડોલરના ભાવમાં વધઘટને પગલે સોનાનો ભાવ ઉછળી રહ્યો હતો, જે આજે તા.1લી જાન્યુઆરીના રોજ ફરીથી 40,000ની વિક્રમી સપાટી વટાવી ગયો છે.

તા.1લી જાન્યુઆરી 2020માં સોનાનો હાઇએસ્ટ ભાવ બપોરે 12 વાગ્યા સુધીમાં તો 44,435 સુધી સ્પર્શી ગયો હતો. આ ભાવમાં પણ અમદાવાદ સમેત ગુજરાતમાં અનેક સોદા થયા હતા. સોનાના આ ભાવમાં 3 ટકા જીએસટી સામેલ હોવાનું બુલિયન એક્સપર્ટસ જણાવી રહ્યા છે.

અગાઉ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સોનાનો ભાવ 40 હજારની સપાટીને પાર કરીને ત્યાં સ્થિર થયાનું નોંધાયું હતું. એ પછી આજે 2020ના પહેલા જ દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 40 હજાર ઉપરાંતની સપાટી જાળવી રાખે તેવું હાલ તુરત દેખાય રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે 40 હજારની સપાટી પર ટ્રેડ થઇ રહેલા સોનાના આ ઉંચા ભાવને કારણે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ઝવેરાત બજારમાં 6થી 8 ટકાનો ડાઉન ફોલ થશે. જાણકારો કહે છે કે સોનાના આટલા ઉંચા ભાવને કારણે દાગીનાની માગમાં સતત ઘટાડો જોવાય રહ્યો છે. જે 2020 કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ મહિનામાં અસાધારણ રીતે જોવા મળશે.

Continuing its week long rally, the price of gold crossed Rs 40,000 per 10g again, settling at Rs 40,435 including 3% goods and services tax (GST) in the Ahmedabad market. The last time it settled above Rs 40,000 was on August 28, 2019. Analysts said gold prices have risen due to the weakened US dollar.

The US dollar has weakened and usually gold prices remain on the higher side at this time as it is the financial year-end in other countries. Moreover, the quarter-end economic indicators do not look promising and as a result, gold prices have risen.