Alert Archives - Page 13 of 497 - CIA Live

August 14, 2025
Gujarat-map.jpg
4min79

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 1 - image

સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના 21 કર્મચારીને પ્રસંશનીય સેવાનું મેડલ 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 2 - image
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 3 - image
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 4 - image

સેવા મેડલ

વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે  (Medal for Meritorious Service  (MSM) પુરસ્કાર આપવામાં આવે છે.

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 5 - image

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં!

PSM અને MSM એવોર્ડ

99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે. 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 6 - image
મેડલનું નામપોલીસફાયર વિભાગસિવિલ ડિફેન્સ અને હોમગાર્ડસુધારાત્મક સેવાકુલ
Medal for Gallantry (GM)226610233
President’s Medal for Distinguished Service (PSM)8953299
Medal for Meritorious Service (MSM)653514131758
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 7 - image
August 11, 2025
image-11.png
1min75

કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દાણચોરીનો ગાંજો પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે સુરતના યુવક સહિત બે જણની ધરપકડ કરી હતી.

એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા બંને જણની ઓળખ સુરતના કતારગામ, સિંગણપોર ખાતે રહેતા હાર્દિક પ્રાગજીભાઇ ભદાણી (24) અને દિલ્હીના રહેવાસી મોહંમદ સામી (23) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાર્દિક ભદાણીના વકીલ તરીકે અરુણ ગુપ્તા અને આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી.

બૅંગકોક ખાતેથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા હાર્દિક ભદાણીને એઆઇયુના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં છ વેક્યુમ સીલ્ડ પેકેટ્સમાંથી 2.87 કરોડ રૂપિયાની કિંમતનો 2873 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આથી હાર્દિક ભદાણી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન બૅંગકોકથી ફ્લાઇટમાં રવિવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા મોહંમદ સામીની 2.39 કરોડ રૂપિયાની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરાઇ હતી. સામીની અંગત તલાશીમાં કશું મળ્યું નહોતું, પણ તેની ટ્રોલી બેગમાં આઠ ફૂડ પેકેટ, બે સ્નેક બોક્સ તથા છ સિગારેટ પેકેટ્સમાં એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો.

સામીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 4 ઑગસ્ટે દિલ્હીના શહજાદ નામના શખસે તેને બૅંગકોકથી ટ્રોલી બેગ લાવવા માટે કહ્યું હતું, જેની વિમાન ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી. બેગ મુંબઈમાં લાવીને સોંપાતા પચાસ હજાર રૂપિયા તથા અન્ય ખર્ચ આપવાનું તેને આશ્ર્વાસન અપાયું હતું.

August 11, 2025
image-10.png
1min97

સેબીએ મહત્વના નિર્ણયમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને અપાતો ટ્રાન્ઝેક્શન ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. આનો અમલ તાત્કાલિક પ્ર્ભાવથી અમલમાં આવશે. જેના પગલે હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને ચુકવણી નહી કરે. આ અંગે મે 2023માં જાહેર ચર્ચા અને જુન 2025માં ઉદ્યોગ ગૃહ સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કમિશન અથવા ટકાવારી પ્રમાણે રકમ ચુકવવામાં આવવી જોઈએ

સેબીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને 10,000થી વધુ રોકાણ લાવવા માટે કંપનીઓએ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડતો હતો. આ નિયમ 27 જુન 2024માં માસ્ટર સરકયુલરથી લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ સેબીએ આ અંગે તપાસ અનુભવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જે કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે તેને કમિશન અથવા ટકાવારી પ્રમાણે રકમ ચુકવવામાં આવવી જોઈએ.તેમને ટ્રાન્ઝેક્શન ચાર્જથી ચુકવણીની કોઈ જરૂર નથી. જેના લીધે સેબીએ માસ્ટર સરકયુલર સંપૂર્ણ પણે હટાવી દીધો છે.

રોકાણકારોના હિતોનું પણ રક્ષણ

સેબીનું માનવું છે કે આ ફેરફારથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પારદર્શિતા આવશે. તેમજ રોકાણકારોના હિતોનું પણ રક્ષણ થશે. સેબીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, 1992 ની કલમ 11(1) અને સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) રેગ્યુલેશન્સ, 1996 ના રેગ્યુલેશન 52(4A) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરવામાં આ બદલાવ કર્યો છે.

કોણ છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા છે જે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ માટે મદદ કરે છે. તેઓ રોકાણકારો અને ફંડ હાઉસ વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.

August 11, 2025
eci_logo.jpg
1min75

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં “વોટ ચોરી”ના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના હેડ ક્વાટર સુધી કૂચ કરશે, આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.

ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે, દિલ્હી પોલીસ સાંસદોની કૂચને મંજૂરી આપી નથી. એવા પણ અહેવાલ છે પોલીસ મંજુરી સત્તરવાર અરજી પણ નથી કરવામાં આવી.

સાંસદો આજે સવારે સવારે 11.30 વાગ્યે સંસદના મકર દ્વારથી કુચ શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, AAP, ડાબેરી પક્ષો, RJD, NCP (SP), શિવસેના (UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય વિપક્ષના દળોના સાંસદો જોડાશે.

વિપક્ષી દળોના ગઠબંધન INDIA બ્લોક દ્વારા આ માર્ચ કાઢવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ AAPએ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જહેરાત કરી હતી. છતાં AAP કોઈ પણ બેનર વિના જોડાય આ માર્ચમાં જોડાય તેવી શક્યતા છે.

કુચ દરમિયાન બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને કથિત “વોટ ચોરી” અંગે અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં લખેલા પોસ્ટરો અને બેનરો બતાવવામાં આવશે અને નારા લગાવવામાં આવશે.

રવિવારે, કોંગ્રેસે નાગરિકો માટે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું, જેની મદદથી ડિજિટલ મતદાર યાદીઓ બહાર પાડવા ચૂંટણી પંચને અપીલ કરી શકાય છે.

August 9, 2025
image-9.png
1min64

અમેરિકાની મધ્યસ્થી હેઠળ બે જૂના હરીફો અઝરબૈજાન અને આર્મેનિયાએ શુક્રવારે (8 ઓગસ્ટ) ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠક વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થઈ હતી. આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો નથી, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. આ કરાર ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને તે રશિયામાં ગભરાટ ફેલાવશે તે નિશ્ચિત છે, જે આ ક્ષેત્રને તેના પ્રભાવના ક્ષેત્રમાં માને છે.

ટ્રમ્પે સાઇનિંગ સેરેમનીમાં કહ્યું કે, ‘અમે 35 વર્ષ સુધી લડ્યા, હવે અમે મિત્રો છીએ… અને લાંબા સમય સુધી મિત્રો રહીશું.” સમારોહમાં ટ્રમ્પ સાથે અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયાના પ્રમુખ નિકોલ પશિનિયન પણ હાજર હતા.

બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નો-કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં, વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર છે. 1980ના દાયકાના અંતમાં આર્મેનિયાના સમર્થનથી તે અલગ થઈ ગયું હતું. 2023માં, અઝરબૈજાને સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું, ત્યારબાદ લગભગ 1 લાખ વંશીય આર્મેનિયનો આર્મેનિયા ગયા.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશોએ લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર દક્ષિણ કાકેશસ દ્વારા વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ કોરિડોર માટે યુએસને વિશિષ્ટ વિકાસ અધિકારો પણ આપે છે. આનાથી ઊર્જા અને અન્ય સંસાધનોની નિકાસમાં વધારો થશે.

બંને નેતાઓએ સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા બદલ ટ્રમ્પની પ્રશંસા કરી અને કહ્યું કે, અમે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરીશું. અલીયેવે કહ્યું, ‘જો ટ્રમ્પ નહીં, તો પછી નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળવો જોઈએ?”

ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં પોતાને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, રવાન્ડા અને કોંગો, તેમજ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ કરાર કરાવ્યા છે. જોકે, ભારતે તેમના દાવાને નકારી કાઢ્યો છે. ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષનો અંત લાવી શક્યા નથી.

August 9, 2025
image-8.png
1min126

શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.

રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત

સવારનો સમય: 07:50થી 09:20
બપોરનો સમય: 12:50થી 05:40
સાંજનો સમય: 07:20થી 08:40
રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)

આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.

રક્ષાબંધન એટલે ફક્ત ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક જ નહીં, પરંતુ રક્ષા, વિશ્વાસ અને આશીર્વાદનું એક પ્રાચીન પર્વ. ગ્રંથો અને વિદ્વાનો દ્વારા મળતી માહિતી દર્શાવે છે કે આ તહેવારનું મૂળ ખૂબ ઊંડું છે. જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ, રક્ષાબંધન માત્ર બહેન દ્વારા ભાઈને જ નહીં, પરંતુ પત્ની, સખી કે પુરોહિત દ્વારા રાજાને પણ બાંધવામાં આવતું હતું. આ પર્વ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ અને લોકવાયકાઓ જોઈએ.

દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જ્યારે દેવોની સ્થિતિ નબળી પડી રહી હતી, ત્યારે દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદ માંગી. ગુરુએ શ્રાવણ સુદ પૂનમના દિવસે એક રક્ષા સૂત્ર તૈયાર કરી આપ્યું. આ દિવસે, ઇન્દ્રની પત્ની શચીએ આ રક્ષા સૂત્ર ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષા સૂત્રના પ્રભાવથી યુદ્ધમાં દેવોની સ્થિતિ સુધરી અને તેઓ વિજયી થયા.

ત્રેતાયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી. તે સમયે રાજાના પુરોહિત રાજાને રક્ષા સૂત્ર બાંધતા અને પ્રજા પણ પોતાના ગુરુ પાસે આશીર્વાદ રૂપે રક્ષા બંધાવતી હતી. દ્વાપરયુગમાં એક પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. એકવાર ભગવાન શ્રીકૃષ્ણને હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને તેમના હાથ પર બાંધ્યો હતો. આ બંધનનો બદલો ચૂકવવા માટે શ્રીકૃષ્ણે ચીરહરણ સમયે દ્રૌપદીની રક્ષા કરી હતી.

ઇતિહાસ અને કળિયુગની પરંપરા:

ઇતિહાસમાં પણ એક પ્રસંગ નોંધાયેલો છે. મેવાડની રાણીએ પોતાના રાજ્ય પર થયેલા આક્રમણ સમયે મુઘલ બાદશાહ હુમાયુ પાસે મદદ માંગી અને રક્ષા સૂત્ર મોકલીને તેમને ભાઈ બનાવ્યા હતા. હુમાયુએ પણ બહેનની રક્ષા કરવા માટે સૈન્ય મોકલી મદદ કરી હતી.

આધુનિક કળિયુગમાં આ પ્રથા ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક તરીકે ઓળખાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ આજીવન પોતાની બહેનની રક્ષા, સુખ અને સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે. આમ, રક્ષાબંધન એ માત્ર એક દોરો નથી, પરંતુ સ્નેહ, શક્તિ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે.

August 8, 2025
image-7.png
1min89

અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ માટે ઈનામી રકમને બમણી કરી દીધી છે. હવે માદુરોની ધરપકડ સાથે જોડાયેલી સૂચના આપનારને 50 મિલિયન ડૉલર (આશરે 417 કરોડ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. આ ઈનામ માદુરો પર નશીલા પદાર્થની તસ્કરી અને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે જોડાણના આરોપોને લઈને જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકન એટર્ની જનરલ પામ બૉન્ડીએ 7/8/25 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરી આ વિશે માહિતી આપી હતી.

બૉન્ડીએ કહ્યું કે, ‘માદુરો આતંકવાદી સંગઠન જેમ કે ટ્રેન ડે અરાગુઆ, સિનાલોઆ અને કાર્ટેલ ઑફ ધ સન સાથે મળીને અમેરિકામાં ખતરનાક નશીલા પદાર્થ અને હિંસા ફેલાવી રહ્યા છે. તે દુનિયાના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકર્સમાંથી એક છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. માદુરો દુનિયાના સૌથી મોટા નાર્કો-તસ્કરોમાંથી એક છે અને તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની ગયો છે.’

ડ્રગ એનફોર્સમેન્ટ એજન્સી (DEA)એ માદુરો અને તેના સહભાગી સાથે જોડાયેલા 30 ટનથી વધુના કોકીન જપ્ત કર્યા છે, જેમાં આશરે 7 ટન ખુદ માદુરો સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ 700 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ (બે પ્રાઇવેટ જેટ અને નવ વાહન સહિત) પણ જપ્ત કરવામાં આવી છે.

બૉન્ડીએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલું કોકીન હંમેશા ફેન્ટાલિન સાથે મિશ્રિત હોય છે, જે અમેરિકામાં ઓપિઓઇડ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વેનેઝુએલા અને મેક્સિકો સ્થિત ડ્રગ કાર્ટેલ્સના પ્રમુખનો આર્થિક સ્ત્રોત છે અને અમેરિકન નાગરિકની અગણિત જિંદગી તબાહ કરવા માટે જવાબદાર છે.’

આ પહેલાં અમેરિકાએ માદુરોને પકડવા માટે 25 મિલિયન ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તેને વધારીને 50 મિલિયન ડૉલર કરી દીધી છે. બૉન્ડીએ કહ્યું કે, ઈનામને વધારીને 50 મિલિયન ડૉલર કરવાનો નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રનો છે, જે તેમને ન્યાયના કટઘરામાં લાવવાની દ્રઢતા દર્શાવે છે. ટ્રમ્પના નેતૃત્વમાં માદુરો ન્યાયથી બચી નહીં શકે.

August 7, 2025
image-5.png
1min153

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.

નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.

ટ્રમ્પે 7/8/25 ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.

August 6, 2025
corona-gujarat.jpg
1min102

ગુજરાતના કેટલાક એરપોર્ટ સરકાર માટે ‘સફેદ હાથી સમાન પુરવાર થઇ રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા સંચાલિત ગુજરાતના 8 એરપોર્ટની ખોટ છેલ્લા 10 વર્ષમાં 817.51 કરોડ નોંધાઈ છે.

ગુજરાતમાં આવેલા કેટલાક એરપોર્ટને નાણાંકીય વર્ષ 2015-16થી 2024-25 એમ 10 વર્ષ દરમિયાન કુલ કેટલી ખોટનો સામનો કરવો પડ્યો તેનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર, આ સમયગાળામાં રાજકોટ એરપોર્ટને સૌથી વઘુ રૂપિયા 418.67 કરોડ, ભાવનગર એરપોર્ટને રૂપિયા 122.08 કરોડની ખોટનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં હવે ખોટનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એરપોર્ટની આ યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ નથી કરાયો. અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ અગાઉ ખાનગીકરણ થઈ ગયું હતું. આ ઉપરાંત દેશમાં હાલ 22 એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું સામે આવ્યું છે અને આ યાદીમાં ગુજરાતમાંથી ડીસા પણ સામેલ છે.

ગુજરાતના એરપોર્ટને છેલ્લા 10 વર્ષમાં થયેલી કુલ ખોટ

એરપોર્ટ ખોટ (કરોડ)
રાજકોટ 418.67
ભાવનગર 122.08
પોરબંદર 78.29
ભુજ 57.46
દીવ 47.99
કંડલા 47.17
કેશોદ 41.49
ડીસા 3.9

August 6, 2025
rbi.jpeg
1min121

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ બજારો અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે.

નિષ્ણાતોના મતે, છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં લોનધારકો અને ડિપોઝિટર્સને રાહત આપી છે. તેમજ તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. ઉલ્લેખનીય છે, ફેબ્રુઆરી જૂન દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. 

આરબીઆઈએ નાણાકીય વર્ષ 26 માટે GDP ગ્રોથ અંદાજ 6.5 ટકા જાળવી રાખ્યો હતો. CPI ફુગાવો અગાઉના અંદાજિત 3.7 ટકાથી ઘટાડી 3.1 ટકા કરવામાં આવ્યો હતો.  મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ  રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ CPI ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, CPI ફુગાવો Q4થી 4 ટકાના લક્ષ્યથી વધવાની શક્યતા છે.