CIA ALERT

Alert Archives - Page 13 of 499 - CIA Live

August 21, 2025
image-34.png
1min91
  • અમેરિકામાં કંપનીઓની ચેપ્ટર-૧૧ ફાઈલિંગ ૨૦૨૦ના કોરોના મહામારી બાદની ટોચે
  • જુલાઈ મહિનામાં કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ : ઓગસ્ટમાં સ્થિતિ વધુ વણસવાની વકી

તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકન અર્થતંત્રને નાદારી ફાઇલિંગની નવી લહેરનો સામનો કરવો પડયો છે. યુએસમાં બેંકરપ્સી ફાઈલિંગ કોવિડ-૧૯ રોગચાળા બાદના ઉચ્ચતમ સ્તર એટલેકે ૨૦૨૦ પછીની ટોચે પહોંચી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેઈનના નારા સાથે ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. જોકે ટ્રમ્પની ટેરિફ ટેરીરીઝમ થકી આ મનોઈચ્છા હાંસલ કરવાની વૃતિ અમેરિકાને જ ભારે પડી રહી હતી. ટ્રમ્પના ટેરિફ એટેકેથી દેશમાં જ મોંઘવારી વધી રહી છે તો અર્થતંત્ર પણ મંદીમાં ધકેલાઈ હોવાના સંકેત મળી રહ્યાં છે.

બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ અનુસાર ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઘણી લોકપ્રિય બ્રાન્ડો હવે નાદારી માટે અરજી કરી રહી છે. આ સ્થિતિ યુનાઇટેડ સ્ટેટ્સના અર્થતંત્રની કથળતી જતી પરિસ્થિતિને ઉજાગર કરે છે.

એસ એન્ડ ૫૦૦ ગ્લોબલના ડેટા દર્શાવે છે કે આ ઉનાળામાં યુએસ કોર્પોરેટ નાદારી માટે ફાઇલિંગની સંખ્યા ૨૦૨૦ના સ્તરને વટાવી ગઈ છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત મહિને કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ છે. જૂન મહિનામાં ૬૩ કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી.

રિપોર્ટ અનુસાર, કંપનીઓમાં ફોરેવર ૨૧ અને જોન જેવી કેટલીક પ્રિય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કારોબારી ખોટ વચ્ચે ભૌતિક હાજરી ઘટાડવા માટે ઘણા અન્ય પ્રખ્યાત રિટેલર્સને તેમના સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે. બીજા ક્વાર્ટરમાં ૩ ટકા આર્થિક વૃદ્ધિ સાથે યુએસ શેરબજાર આર્થિક ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે.

કેન ગુડ્સ પ્રોડયુસર ડેલ મોન્ટે ફૂડ્સ જેવી કંપનીઓએ પણ ચેપ્ટર ૧૧ નાદારી માટે અરજી કરી હતી કારણકે તેઓએ માંગમાં ઘટાડો અને ઉચ્ચ ઇન્વેન્ટરી ખર્ચના દબાણ હેઠળ પીસાઈ રહ્યાં છે. અહેવાલ અનુસાર ડેલ મોન્ટે પર ૮થી ૧૦ અબજ ડોલરનું સંયુક્ત દેવું હતું.

જુલાઈના આંકડા રેકોર્ડ નેગેટીવ પોઈન્ટ પર રહ્યાં બાદ અને અત્યાર સુધી કોઈ સુધારો ન થતાં ઓગસ્ટમાં પણ અમેરિકન કોર્પોરેટ સેક્ટર સમાન ચિત્ર જ રજૂ કરશે તેવી આશંકા છે. ફેશન રિટેલર ક્લેર સહિત કેટલીક અગ્રણી કંપનીઓ ઓગસ્ટમાં નાદારી માટે અરજી કરી ચૂકી છે. ક્લેરે ૬ ઓગસ્ટના રોજ તેનું બીજું ચેપ્ટર ૧૧ ફાઇલિંગ સબમિટ કર્યું હતું.

મહત્વની વાત એ છે કે તાજેતરના મહિનાઓમાં એવી કંપનીઓએ નાદારી માટે અરજી કરી છે જેમણે એક સમયે અમેરિકાના માર્કેટ પર રાજ કર્યું હોય. અનેક બ્રાન્ડો ધંધો સંકેલી રહી છે, બંધ કરી રહી છે આ જોતા ઓગસ્ટમાં પણ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.

August 21, 2025
image-33.png
1min85


રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.

August 20, 2025
paryushan-parva.png
1min191

આત્મશુદ્ધિ અને સંયમના પ્રતીક સમાન જૈન ધર્મના મહત્વના તહેવાર પર્યુષણની શરૂઆત કાલથી એટલે 21 ઓગસ્ટથી થઈ રહી છે. આ પર્વ જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં ખૂબ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં આ પર્વ આઠ દિવસ, જ્યારે દિગંબર સંપ્રદાયમાં દસ દિવસ સુધી ચાલે છે. આ તહેવાર આધ્યાત્મિક ચિંતન, ઉપવાસ અને ક્ષમાયાચનાનો સમય છે, જે જૈન સમુદાયને જીવનમાં નૈતિક મૂલ્યો અપનાવવા પ્રેરે છે.

આ વર્ષે, ગુરુવાર, 21 ઓગસ્ટથી પર્યુષણ પર્વની શરૂઆત થશે, જે દસ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન જૈન સમુદાય ઉપવાસ, પ્રાર્થના, સ્વાધ્યાય અને ધ્યાન જેવી સાધનાઓમાં રચ્યો-પચ્યો રહે છે. આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માને શુદ્ધ કરવો અને ક્રોધ, લોભ, અહંકાર જેવી નકારાત્મક લાગણીઓથી મુક્ત થવાનો છે. જ્યારે છેલ્લા દિવસે ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે ક્ષમા માગવાની પરંપરા છે, જે સામાજિક સંવાદિતા વધારે છે.

પર્યુષણના દરેક દિવસનું પોતાનુ વિશેષ મહત્વ છે. પ્રથમ દિવસે ક્રોધને નિયંત્રિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે, જ્યારે બીજા દિવસે વ્યવહારમાં મધુરતા અને પવિત્રતા લાવવાનો પ્રયાસ થાય છે. ત્રીજા દિવસે વચનો પૂરા કરવા અને ધ્યેયો હાંસલ કરવા પર ભાર મૂકાય છે. ચોથા દિવસે ઓછું બોલીને વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પાંચમો અને નવમો દિવસ નિ:સ્વાર્થ જીવન જીવવા પર કેન્દ્રિત છે, જ્યારે છઠ્ઠા દિવસે મન પર નિયંત્રણ અને ધીરજની શીખ આપવામાં આવે છે. સાતમા દિવસે નકારાત્મક વિચારો દૂર કરવા તપસ્યા, અને આઠમા દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાની ભાવના શીખવાય છે. દસમા દિવસે સારા ગુણો અપનાવીને આત્માને શુદ્ધ રાખવામાં આવે છે.

પર્યુષણનું આધ્યાત્મિક મહત્વ

પર્યુષણ શબ્દનો અર્થ છે ‘આત્મામાં રહેવું’, એટલે કે ઇન્દ્રિયો અને ઇચ્છાઓ પર સંયમ રાખીને આત્મચિંતન કરવું. આ પર્વ દરમિયાન જૈન સમુદાયના લોકો ઉપવાસ, પ્રાર્થના અને સામાયિક (સમાન ધ્યાન) જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ પર્વનો હેતુ ક્રોધ, અહંકાર, લોભ અને મોહ જેવી નકારાત્મક વૃત્તિઓને છોડીને કરુણા, ક્ષમા અને સંયમ જેવા ગુણો અપનાવવાનો છે. આ દિવસોમાં આધ્યાત્મિક સાધના દ્વારા વ્યક્તિ પોતાના જીવનને નૈતિક રીતે ઉન્નત બનાવે છે.

પર્યુષણ પર્વનો સૌથી ખાસ ભાગ છે ક્ષમાપના, જે આખરી દિવસે ઉજવાય છે. આ દિવસે જૈન સમુદાયના લોકો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે જાણી-અજાણ્યે થયેલી ભૂલો માટે ક્ષમા માંગે છે. આ પરંપરા સામાજિક સંબંધોને મજબૂત કરે છે અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. પર્યુષણ પર્વ જૈન સમુદાયને માત્ર ધાર્મિક સાધના જ નહીં, પરંતુ અહિંસા, કરુણા અને સંયમના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, જે આજના સમયમાં પણ અત્યંત પ્રસ્તુત છે.

આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભ

આત્મશુદ્ધિ અને સંયમના પ્રતીક સમાન જૈન ધર્મના મહત્વના તહેવાર પર્યુષણની શરૂઆત કાલથી એટલે 21 ઓગસ્ટથી થઈ રહી છે. આ પર્વ જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં ખૂબ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં આ પર્વ આઠ દિવસ, જ્યારે દિગંબર સંપ્રદાયમાં દસ દિવસ સુધી ચાલે છે. આ તહેવાર આધ્યાત્મિક ચિંતન, ઉપવાસ અને ક્ષમાયાચનાનો સમય છે, જે જૈન સમુદાયને જીવનમાં નૈતિક મૂલ્યો અપનાવવા પ્રેરે છે.

આ વર્ષે, ગુરુવાર, 21 ઓગસ્ટથી પર્યુષણ પર્વની શરૂઆત થશે, જે દસ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન જૈન સમુદાય ઉપવાસ, પ્રાર્થના, સ્વાધ્યાય અને ધ્યાન જેવી સાધનાઓમાં રચ્યો-પચ્યો રહે છે. આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માને શુદ્ધ કરવો અને ક્રોધ, લોભ, અહંકાર જેવી નકારાત્મક લાગણીઓથી મુક્ત થવાનો છે. જ્યારે છેલ્લા દિવસે ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે ક્ષમા માગવાની પરંપરા છે, જે સામાજિક સંવાદિતા વધારે છે.

પર્યુષણના દરેક દિવસનું પોતાનુ વિશેષ મહત્વ છે. પ્રથમ દિવસે ક્રોધને નિયંત્રિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે, જ્યારે બીજા દિવસે વ્યવહારમાં મધુરતા અને પવિત્રતા લાવવાનો પ્રયાસ થાય છે. ત્રીજા દિવસે વચનો પૂરા કરવા અને ધ્યેયો હાંસલ કરવા પર ભાર મૂકાય છે. ચોથા દિવસે ઓછું બોલીને વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પાંચમો અને નવમો દિવસ નિ:સ્વાર્થ જીવન જીવવા પર કેન્દ્રિત છે, જ્યારે છઠ્ઠા દિવસે મન પર નિયંત્રણ અને ધીરજની શીખ આપવામાં આવે છે. સાતમા દિવસે નકારાત્મક વિચારો દૂર કરવા તપસ્યા, અને આઠમા દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાની ભાવના શીખવાય છે. દસમા દિવસે સારા ગુણો અપનાવીને આત્માને શુદ્ધ રાખવામાં આવે છે.

પર્યુષણનું આધ્યાત્મિક મહત્વ

પર્યુષણ શબ્દનો અર્થ છે ‘આત્મામાં રહેવું’, એટલે કે ઇન્દ્રિયો અને ઇચ્છાઓ પર સંયમ રાખીને આત્મચિંતન કરવું. આ પર્વ દરમિયાન જૈન સમુદાયના લોકો ઉપવાસ, પ્રાર્થના અને સામાયિક (સમાન ધ્યાન) જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ પર્વનો હેતુ ક્રોધ, અહંકાર, લોભ અને મોહ જેવી નકારાત્મક વૃત્તિઓને છોડીને કરુણા, ક્ષમા અને સંયમ જેવા ગુણો અપનાવવાનો છે. આ દિવસોમાં આધ્યાત્મિક સાધના દ્વારા વ્યક્તિ પોતાના જીવનને નૈતિક રીતે ઉન્નત બનાવે છે.

પર્યુષણ પર્વનો સૌથી ખાસ ભાગ છે ક્ષમાપના, જે આખરી દિવસે ઉજવાય છે. આ દિવસે જૈન સમુદાયના લોકો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે જાણી-અજાણ્યે થયેલી ભૂલો માટે ક્ષમા માંગે છે. આ પરંપરા સામાજિક સંબંધોને મજબૂત કરે છે અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. પર્યુષણ પર્વ જૈન સમુદાયને માત્ર ધાર્મિક સાધના જ નહીં, પરંતુ અહિંસા, કરુણા અને સંયમના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, જે આજના સમયમાં પણ અત્યંત પ્રસ્તુત છે.

August 20, 2025
rain.png
1min119

જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ

મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

જળાશયોમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા

વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.

કંટ્રોલ રૂમ શરૂ

વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

August 20, 2025
image-26.png
1min132

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.

એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો

આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ

આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.

વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.

August 20, 2025
image-25.png
1min146

સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ ઘટનામાં મોટો વળાંક આવ્યો હતો. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ શંકાના ઘેરામાં આવ્યો ગહતો.. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

લીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ પોલીસ આ અંગે મોટો ખુલાસો કરશે.

શું હતો મામલો

સુરતમાં જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

August 20, 2025
image-24.png
1min160

ગુજરાતમાં હાલ શ્રાવણના પવિત્ર માસની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર મહિનાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આવતીકાલે, 21 ઓગસ્ટે, માસિક શિવરાત્રિની સાથે ગુરુ-પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે, જે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં કાર્યો સફળતા અને સમૃદ્ધિ લાવે છે, સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે.

28 નક્ષત્રોમાંનુ આઠમું નક્ષત્ર જેના ગુરુ ગુરદેવ છે, તેવું નક્ષત્ર ગુરુ પુષ્ય અક્ષત્ર આવતી કાલે 21 ઓગસ્ટના છે. આ વર્ષનો આ છેલ્લો ગુરુ-પુષ્ય સંયોગ છે, કારણ કે આગામી પુષ્ય નક્ષત્રો (17 સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર) ગુરુ સાથે યોગ નહીં બનાવે. આ દિવસે સોનું, ચાંદી, વાહનો, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ધાતુઓની ખરીદી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. વેપારીઓ માટે પણ આ દિવસ નવા વ્યવસાયની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

ગુરુ-પુષ્ય નક્ષત્રનું મહત્વ

પુષ્ય નક્ષત્ર, જે 27 નક્ષત્રોમાં આઠમું છે, તેના દેવતા દેવગુરુ બૃહસ્પતિ અને દિશાના પ્રતિનિધિ શનિદેવ છે. આ નક્ષત્રમાં ચંદ્ર કર્ક રાશિમાં હોય છે, જે ચંદ્રની પોતાની રાશિ છે, જેના કારણે આ નક્ષત્ર ધન અને સમૃદ્ધિ માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે અને શુભ ફળ આપે છે. આ યોગમાં શરૂ કરેલો વ્યવસાય ખૂબ જ ઉન્નતિ કરે છે. જોકે, શાસ્ત્રો અનુસાર, આ નક્ષત્રમાં લગ્ન નિષિદ્ધ છે, કારણ કે બ્રહ્માજીએ આ નક્ષત્રને લગ્ન માટે શાપ આપ્યો હતો.

શુભ મુહૂર્ત અને કાર્યો

આવતીકાલના ગુરુ-પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શુભ (6:17-7:54), ચલ (11:07-12:44), લાભ (12:44-14:21), અમૃત (14:21-15:58), શુભ (17:35-19:11), અમૃત (19:11-20:35), અને ચલ (20:35-21:58)નો સમાવેશ થાય છે. આ દિવસે સોના-ચાંદી, પિત્તળના વાસણો, પીળા વસ્ત્રો, જમીન, અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા જેવાં કાર્યો શ્રેષ્ઠ છે. પારદ લક્ષ્મીની સ્થાપના, મંત્ર દીક્ષા, યજ્ઞ, અને વેદ પાઠની શરૂઆત પણ આ દિવસે ફળદાયી છે. આ યોગમાં શરૂ થયેલાં કાર્યો લાંબા ગાળે લાભ આપે છે.

ગુરુ-પુષ્ય નક્ષત્રમાં કેટલાક વિશેષ ઉપાયો સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. જેમની કુંડળીમાં ચાંડાલ, પિતૃ, કે શાપિત દોષ હોય, તેમણે વિષ્ણુસહસ્રનામનો પાઠ અને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘરમાં સમૃદ્ધિ માટે હળદરથી “શ્રી” લખીને તિજોરી પર લગાવવું શુભ છે. વ્યાપારની પ્રગતિ માટે એકાક્ષી નારિયેળને લાલ કપડામાં લપેટી મંદિરમાં રાખવું અને ચોક્કસ મંત્રનો જાપ કરવો. દેવી લક્ષ્મીની કૃપા માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર-દૂધથી અભિષેક અને ઘીનો દીવો કરવો. ગાયને ઘી-ગોળ ખવડાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

August 20, 2025
image-23.png
1min154

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.

હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં જનસુનાવણી કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેકડોં લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દિકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.

August 18, 2025
varachha-bank_india.jpeg
1min136

વરાછા બેંક દ્વારા સભાસદો અને ખાતેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા નાં હસ્તે ધ્વજારોહણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી

ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા વહીવટી કચેરી “સહકાર ભવન” સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૯માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM શ્રી બીપીનભાઈ ચોવટિયા અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સાથે રાષ્ટ્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે એ સંરક્ષણ નો વિષય હોય કે અંતરિક્ષમાં હોય તમામ ક્ષેત્રમાં ભારતનો વિકાસ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે. આ ગતિશીલ પ્રગતિનો મુખ્ય આધાર દેશની યુવા શક્તિ છે. આ યુવા ધન ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.

બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.