CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 9 of 34 - CIA Live

November 6, 2021
bhai_dooj.jpg
1min365

આજે 6 નવેમ્બર શનિવારના રોજ ભાઈબીજ છે. આ સાથે જ પાંચ દિવસનો દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ જશે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભોજન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજ અને ચિત્રગુપ્તને પ્રાર્થના કરે છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન યમ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. ત્યારથી જ આ પર્વની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના મસ્તક ઉપર ટીકો લગાવીને તેની લાંબી ઉંમરની મનોકામના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી યમરાજ તે ભાઈ-બહેનના કષ્ટ દૂર કરે છે. ત્યારે આવો જાણીએ આજે ભાઈના કપાળે તિલક લગાવવાના શુભ મુહૂર્ત ક્યા ક્યા છે.

ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આ દિવસે ભાઈ-બહેન સવારે સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેન આસન ઉપર ચોખાના ખીરાથી ચોક બનાવે છે. આ ચોક ઉપર ભાઈને બેસાડીને બહેન ભાઈના હાથની પૂજા કરે છે અને ભાઈને નાડાછડી પહેરાવે છે અને તિલક કરવું જોઈએ. ત્યારબાદ બહેનને પ્રાર્થના કરવી જોઈએ કે માર્કણ્ડેય, હનુમાન, બલિ, પરશુરામ, વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ આઠ ચિરંજીવિઓની જેમ મારા ભાઈને પણ ચિરંજીવી થવાનું વરદાન આપો.

પૂજા પછી ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે. ભોજન કર્યા પછી બહેન ભાઈને તિલક લગાવે છે. ભાઈ બહેનને કોઈ ભેટ આપે છે. યમુના નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં યમુના નદી કે ગંગા નદીનું જળ મિક્સ કરવું અને પવિત્ર નદીનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી યમરાજ અને યમુનાની પૂજા કરવી જોઈએ.

આ વર્ષે ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1.26 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન સૌથી ઉત્તમ સમય 1.26 મિનિટથી 2.48 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત જો તમારા માટે સવારનો સમય વધુ યોગ્ય રહેતો હોય તો સવારે 8થી 9.19 સુધી શુભ ચોઘડિયામાં ભાઈબીજના પર્વની ઉજવણી કરી શકો છો ત્યાર બાદ બીજુ એક મુહૂર્ત 11.45થી 12.25 સુધી પણ રહેશે તમે આ સમયમાં પણ ભાઈબીજની ઉજવણી કરી શકો છો.

November 2, 2021
Dhanteras.png
1min373

આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.

સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.

ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.

સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.

સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.

October 30, 2021
baapu.jpeg
1min337

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે. તા.29મી ઓક્ટોબર 2021ની બપોરે તેઓએ ભાવનગર જિલ્લાના તલગાજરડામાં ધાર્મિક ગુરુ મોરારિ બાપુની મુલાકાત કરી હતી. આ સમયે રાષ્ટ્રપતિના પત્ની પણ તેમની સાથે અહીં આવ્યા હતા. તલગાજરડામાં આવેલ હનુમંત હાઈસ્કૂલ પાસે બનેલ હેલિપેડમાં રાષ્ટ્રપતિના સ્વાગત લેવા માટે મોરારિ બાપુ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચિત્રકુટ ધામ પહોંચ્યા હતા, અને હનુમાન મંદિરમાં શીશ ઝુકાવી મોરારિ બાપુ સાથે વાતચીત કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે તેમના પત્ની સવિતા કોવિંદ અને દીકરી સ્વાતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. તલગાજરડા પહોંચતાં જ રાષ્ટ્રપતિએ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી, આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રથમ પરિવાર દ્વારા પ્રસાદ લેવામાં આવ્યો હતો અને મોરારિ બાપુ સાથે થોડો સમય વ્યતિત કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જવા માટે રવાના થયા હતા.

મોરારિ બાપુ 14 વર્ષની ઉંમરથી જ કથાનું વર્ણન કરવાનું શરૂ કરી દીધું હતું, અને તેઓ રામકથાથી વિશ્વભરમાં જાણીતા છે. તેઓનો જન્મ દરિયાકાંઠે આવેલા તલગાજરડાના સાધુ પરિવારમાં થયો હતો. તેઓને તેમના દાદા ત્રિભુવન દાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ હતી, મોરારિ બાપુ તેમને પોતાના સદગુરુ પણ માને છે.

2019માં 2 ઓક્ટોબર ગાંધી જયંતી અગાઉ માનસ હરિજન કથા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મોરારિ બાપુને રાષ્ટ્રપતિ ભવન આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રામાયણના દ્રશ્યોની પેઈન્ટિંગ્સ જોઈને મોરારિ બાપુએ ભારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ગત રોજ અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાંજના સમયે ગુજરાત હાઈકોર્ટના જજો સાથે તેમણે સંવાદ કર્યો હતો. ભાવનગર મુલાકાત સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, તેમજ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

October 28, 2021
gurupushya.jpg
1min464

આજે ગુરુપુષ્યામૃત યોગ સાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે

દિવાળી પહેલાં ખરીદદારી માટે 28 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર ઉદય થઈ રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે તિથિ, વાર અને ગ્રહો મળીને 5 શુભયોગ બની રહ્યા છે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી ખરીદદારી શુભ રહેશે. ખરીદદારીના આ મુહૂર્તમાં ઘરેણાં, વાહન, ફર્નીચર, કપડા, ઇલેક્ટ્રોનિક સામાન અને ઘર માટે સજાવટનો સામાન ખરીદી શકાય છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદવા કે વેચવાની સાથે જ રિયર અસ્ટેટ અને શેરબજારમાં રોકાણ માટે પણ દિવસ ખાસ રહેશે.

આ દિવસે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બને છે. આખા દિવસ દરમિયાન અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે માટે ખરીદી અને રોકાણ માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. ગુરુપુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે ગુરુ અને શનિ, શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને તેમના પર ચંદ્રની દ્રષ્ટિ પડે છે. જેને કારણે ગજકેસરી યોગ બને છે. ચંદ્ર ધનનો કારક ગ્રહ છે. આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.

આજના દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત નીચે મુજબ છે. જેમાં અમૃત કાલ મુહૂર્ત સવારે 7.02થી 8.48 વાગ્યા સુધી

  • અભિજિત મુહૂર્ત – સવારે 11.42થી બપોરે 12.26 સુધી
  • નિશિતા મુહૂર્ત – સવારે 11.16થી બીજા દિવસે બપોરે 12.07 સુધી રહેશે
  • વિજય મુહૂર્ત – બપોરે 1.34થી 2.19 સુધી રહેશે.
  • ગોધૂલિ મુહૂર્ત – સાંજે 5.09થી 5.33 સુધી રહેશે
  • સંધ્યા મુહૂર્ત – સાંજે 5.20થી 6.36 સુધી રહેશે

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે દાન, પુણ્ય કરો

પુષ્ય નક્ષત્રના દિવસે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલુ ઘાસ અને ગાયોની સંભાળ માટે ધનનું દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજા-સામગ્રી ભેટમાં આપો. મહાદેવજીને બેસનના લાડુનો ભોગ ધરાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો.

October 24, 2021
karva.jpg
1min867
करवा चौथ के दिन नहीं भूलकर भी न करें ये 8 काम

 કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.

મહિલાઓ રાખશે નિર્જળા વ્રત
માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.

મુંબઇમાં ચંદ્રોદયનો સમય
મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.

કરવાચૌથના શુભ મુહૂર્ત
કૃષ્ણ  પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ- રવિવારે સવારે 3 કલાક 1 મિનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- સોમવાર સવારે 5 કલાક 43 મિનિટે.

કરવાચૌથ પૂજન મુહૂર્ત
અમૃત મુહૂર્ત – 10.40થી 12.05 સુધી
શુભ મુહૂર્ત – 1.29થી 2.54 સુધી શિવ પરિવારનું પૂજન
સાંજે-  શુભ મુહૂર્ત- 5.43થી 7.18 સુધી કરવા ચૌથ કથા પૂજન
અમૃત મુહૂર્ત- 7.18થી 8.54 સુધી ઇંદ્ર ઇંદ્રાણી, ચંદ્ર પૂજન

October 19, 2021
CIA-1280x937.jpg
1min565

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. આ યાત્રા પર નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા હોવાના અહેવાલ છે. તા.18મી ઓક્ટોબરને સોમવારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાતા પ્રવાસીઓને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર 079-23251900

ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હોટેલો, ગેસ્ટ હાઉસોમાં સપડાયા છે. ત્યાં સપડાયેલા ગુજરાતીઓના ખબર અંતર અહીં ગુજરાતમાં વસતા તેમના સગાસબંધીઓ, સ્નેહીઓ વગેરેને મળી શકે એ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 079-23251900 જાહેર કર્યો છે. આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ અને સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારબાદ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ની સૂચનાને પગલે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

October 16, 2021
dakor.jpg
1min376

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
dussehra.jpg
1min392

આજે તા.15મી ઓક્ટોબર 2021ને શુક્રવારના રોજ દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને અનિષ્ટ પર સારાઇની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિજયાદશમીનું વિશેષ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ, દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દશમીના દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

શાસ્ત્રોમાં વિજયાદશમી શ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે વિજય મુહૂર્તમાં શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક નાના અને ખૂબ જ સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખશે. આ સાથે, માતા લક્ષ્મીના આશીર્વાદ સમગ્ર વર્ષ દરમિયાન રહેશે.

વિજયાદશમીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન કોણમાં રોલી, કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલની આકૃતિ બનાવવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના પાંદડા ચડાવવાથી આર્થિક લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિઓની અસર સમાપ્ત થાય છે.

દશેરાના દિવસે દુર્ગા દેવીની પૂજા કરતી વખતે ઓમ વિજયાય નમ: મંત્રનો જાપ કરો. આ સાથે માતાને 10 ફળ અર્પણ કરો. પછી આ ફળોને પ્રસાદમાં વહેંચો. આ પૂજા બપોરે કરો. આ પછી સાવરણી ખરીદો અને તેને મંદિરમાં દાન કરો. આ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

વ્યવસાયમાં પ્રગતિ માટે દશેરાના દિવસે નારિયેળને પીળા કપડામાં લપેટો. આ નાળિયેર સાથે જનોઇની એક જોડી, પાન અને મીઠાઈઓ રામ મંદિરમાં અર્પણ કરો. આ તમને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

October 6, 2021
chardham.jpg
1min505

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો હોવાને કારણે અંકુશો હટાવી દેવાની રાજ્ય સરકારે કરેલી અરજી કરી હતી.  રાજ્ય સરકારની અરજીને ધ્યાન પર લઈને ઉત્તરાખંડ હાઈ કોર્ટે ચારધામ યાત્રા માટે દૈનિક યાત્રાળુઓની સંખ્યાની મર્યાદા મંગળવારે હટાવી દીધી હતી.  ચારધામ યાત્રા અંગે ૨૮ જૂને આપેલો સ્ટે કોર્ટે ૧૬ સપ્ટેમ્બરે   હટાવી લીધો હતો જેને કારણે ૧૮ સપ્ટેમ્બરથી યાત્રાનો આરંભ કરવાનો માર્ગ મોકળો થયો હતો.  અગાઉ હાઈ કોર્ટે ચારધામ-કેદારનાથ માટે  દૈનિક યાત્રાળુઓની સંખ્યા કેદારનાથ (૮૦૦), બદરીનાથ (૧૦૦૦), ગંગોત્રી (૬૦૦) અને યમનોત્રી માટે ૪૦૦ જેટલી મર્યાદિત રાખી હતી

September 24, 2021
somnath.jpg
1min562

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.

” પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.

શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.’

ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.