ભારતીય ધર્મશાસ્ત્રોમાં આજના દિવસને ભગવાન શ્રી ગણપતિ મહારાજના જન્મદિન તરીકે પણ નવાજવામાં આવે છે. આજે મંગળવાર, તા.28મી જાન્યુઆરી 2020ને મહાસુદ ચતુર્થી, ભારતીય શાસ્ત્રોમાં તિલકૂટ ચોથ, વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર આજના દિવસે ગણેશ ભગવાનનો શિરચ્છેદ થયા બાદ તેઓ ગજમુખ બન્યા હતા. આજના દિવસથી તેઓ ગણપતિ મહારાજ તરીકે ઓળખાયા છે.
આ યોગ આજે મંગળવારે ત્રણ વર્ષ બાદ ‘ગણેશ જયંતી’ના સ્વરૂપમાં સર્જાયો છે. આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઉપાસના માટે તેમજ ‘નેતૃત્વ’ના કાર્યમાં સફળતા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમણેરી સૂંઢના ગણેશજીની ઉપાસના માટે પણ ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.
આજની તિથિ માટે એવું કહેવાય છે કે આ દિવસે જ તેઓનો શિરચ્છેદ થયા બાદ તેઓ ‘ગજમુખ’ બન્યા હોવાથી તેમનો જન્મદિન પણ કહેવાય છે. આ દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શન માટે ગુજરાતનાં ગણેશપુરા, ઐઠોર, સૂરતના પાલના સિદ્ધિ વિનાયક ગણપતિ સહિતનાં પ્રાચીન ગણેશ મંદિરોમાં દર્શન માટે જાય છે.
કાર્યમાં આવતાં વિલંબ દૂર કરવા માટે આ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ દિવસે ગણેશ યાગનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે તલનાં લાડુ ધરાવાતા હોવાથી આ વિનાયક ચતુર્થીને તિલકુંદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના લાડુનાં પ્રસાદની સાથે તથા દૂર્વાથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે.
ગણેશ યાગનું પણ આ દિવસે સવિશેષ મહત્ત્વ છે. જ્યારે લાલ રંગની વસ્તુ અર્પણ કરવાથી રોગમાં રાહત મળે છે. આ દિવસે સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષનું પણ પઠન કરતાં હોય છે. તો અનેક શ્રદ્ધાળુઓ ગણેશ ચાલીસાનું પણ પઠન કરતાં હોય છે. આ દિવસે બીજું કંઇપણ શક્ય ન બને તો ગણેશજીનાં બાર નામ છે, તેનું સ્મરણમાત્ર વ્યક્તિને કાર્યમાં આવતાં વિલંબને દૂર કરવામાં સહાયક બની શકે છે.
સૂરતના પાલ પાટીયા સ્થિત ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે શ્રી ગણેશ અથર્વશિર્ષના પાઠ તેમજ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું. આજના યોગ દરમિયાન અનેક ભાવિકો મંદિરમાં દર્શનાર્થે પધારતા હોવાથી સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાને કેસરસ્નાન સાથે કાર્યક્રમ શરૂ થયા હતા. સવારે 9 કલાકે ગણેશ યાગનો આરંભ કરવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ આહૂતિ સાથે યાગની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
આગામી તા.24 જાન્યુઆરી 2020ને શુક્રવારે પોષ વદ અમાસે સવારે 9 કલાક અને 54 મિનિટે ન્યાયના દેવતા શનિ પોતાની સ્વરાશિ મકરમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં આગમન થતાં જ વૃષભ, કન્યા અને વૃશ્ચિક રાશિને પનોતી ઉતરશે તો મિથુન, તુલા અને કુંભ રાશિને પનોતી શરૂ થશે. શનિ મહારાજ 24 વર્ષ પછી પોતાની સ્વરાશિ મકરમાં ભ્રમણ કરશે. શનિ જ્યારે જ્યારે મકરમાં હોય ત્યારે ત્યારે દેશમાં ઉથલ-પાથલ થઈ છે. આ શનિના મહાપરિવર્તન અંગે અલગ અલગ જયોતિષીઓએ કથન કર્યું છે.
છેલ્લા સવાસો વર્ષનો ઈતિહાસ જોઈએ તો 1900 થી 2020 સુધીમાં શનિ ચાર વખત પોતાના સ્વગૃહે ભ્રમણ કરી ચૂકયો છે. હવે પાંચમી વાર 24મી જાન્યુઆરી 2020ના રોજ પોતાની રાશિમાં ભ્રમણ કરશે. શનિનું પરિવર્તન આગામી સમયમાં રાજકીય ઉથલ-પાથલ કરાવે. સરહદે તનાવ રહે પણ યુદ્ધ થવાની શકયતા નથી. શનિના રાશિ પરિવર્તનથી વૃષભ અને કન્યા રાશિના જાતકોને નાની પનોતી પૂરી થશે અને મિથુન તથા તુલા રાશિના જાતકોને લોખંડના પાયે નાની અઢી વર્ષની પનોતી થશે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોને સાડા સાતી પનોતી પૂરી થતા તે હાશકારો અનુભવશે.
કુંભ રાશિના જાતકોને સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ધન રાશિના જાતકોને ચાંદીના પાયે ઉતરતી પનોતી લાભદાયી નિવડશે.
જે દિવસે શનિ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે પોષ વદ અમાસ છે અને આ સમયે ચંદ્ર પણ મકર રાશિમાં છે. શનિ ન્યાયના દેવતા છે. સારૂ કામ કરે તેને સારૂ ફળ આપે છે અને ખરાબ કર્મ કરે તેને ખરાબ ફળ આપે છે.
ભારત દેશની રાશિ પ્રમાણે જોતા મકરનો શનિ ભારતને આર્થિક પ્રગતિ કરાવશે અને મંદીમાંથી ઉગારશે. જ્યોતિષ શાત્રના અભ્યાસુ જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, 24 જાન્યુઆરી 2020થી શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જે વક્રી-માર્ગી ભ્રમણ કરતા તા.17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં રહેશે. 2020ની સાલમાં જ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ પણ મિથુન રાશિ છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે દોઢ વર્ષ સુધી ત્યાં રહેશે. આ દોઢ વર્ષ દેશ માટે સાવધ રહેવા જેવો સમય હશે.
ભૂતકાળમાં જ્યારે શનિ મકર રાશિમાં હતો ત્યારે નોંધપાત્ર ઘટનાઓ બની છે જેમાં ચીન સાથે યુદ્ધ, કાશ્મીરમાંથી પંડિતોનું પલાયન, રાજીવ ગાંધીની હત્યા, બાબરી મસ્જિદની ઘટના, મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો, લાતુરનો ભૂકંપ જેવી ઘટનાઓ બની હતી.
રાશિ પર અસર
મેષ (અ.લ.ઈ.): મેષ રાશિના લોકોને મકરનો શનિ કર્મ ભુવનમાંથી પસાર થશે. વેપારમાં લાભ અપાવે. નોકરીમાં ઉન્નતિના યોગો. મકાન, વાહનો ખરીદવામાં સાવચેતી રાખવી. વૃષભ (બ.વ.ઉ.): આ રાશિના જાતકોને શનિ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. ભાગ્યોદય કરાવે. વિદેશથી લાભ, આર્થિક લાભ અપાવે અને વિજય અપાવે. શત્રુઓ કાબુમાં રહે. મિથુન (ક.છ.ઘ.): મિથુન રાશિના લોકોને મકરનો શનિ આઠમાં સ્થાનેથી પસાર થશે. નાની પનોતી લોઢાના પાયે છે જે વારસાગત લાભ અપાવે. નોકરી ધંધામાં મુશ્કેલી થાય. માનસીક તાણ રહે. કર્ક (ડ.હ.): આ રાશિના જાતકોને શનિ સાતમાં સ્થાનમાંથી પસાર થશે. માનસીક શાંતિ રાખવી. દાંપત્ય જીવન સારૂ રહે. જમીન-મકાન ખરીદવા માટે શુભ સમય. વિવાહમાં વિલંબ થાય.” સિંહ (મ.ટ.): મકરનો રાશિ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે, માટે ખર્ચ પર કાબુ રાખવો, સાક્ષીમાં પડવું નહી, કોઈના ઝઘડામાં વચ્ચે પડવું નહીં. કોર્ટમાં વિજય મળે. આરોગ્ય માટે સંભાળવું. કન્યા (પ.ઠ.ણ.): આ રાશિના લોકોને નાની પનોતિ દૂર થશે. પાંચમાં સ્થાનેથી શનિ પસાર થતો હોવાથી શેરબજારથી લાભ મળે. ભાગીદારીમાં તથા દાંપત્ય જીવનમાં સુમેળ રાખવો જરૂરી. લાભ મળતા અટકે. તુલા (ર.ત.): ચોથા સ્થાનેથી પસાર થતો મકરનો શનિ લોઢાના પાયે નાની પનોતી શરૂ કરાવશે. છૂપા શત્રુમાં વધારો થાય. વેપારમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી. આળસ છોડી દેવી. મિલકતની લે-વેંચ શુભ ફળ આપશે. વૃશ્ચિક (ન.ય.):’ શનિ મહારાજ આ રાશિના જાતકોને પરાક્રમ સ્થાનમાંથી પસાર થશે. તેમજ મોટી પનોતીમાંથી રાહત મળશે. સાહસ, પરાક્રમમાં વધારો કરી આર્થિક લાભ અપાવે. મહેનતનું પુરતુ ફળ મળે. યાત્રા-પ્રવાસમાં સાવચેત રહેવું. અકસ્માતથી સંભાળવું. ધન (ભ.ધ.ફ.): આ રાશિના લોકોને મકરનો શનિ ધન ભુવનમાંથી પસાર થાય છે. ચાંદીના પાયે પનોતીનો અંતિમ તબક્કો આર્થિક લાભ, સફળતા આપશે. આરોગ્ય અંગે સંભાળવું. મકર (ખ.જ): શનિની પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતીએથી પસાર થાય. નાણા ફસાઈ જવાથી માનસીક તનાવ રહે. ભાગીદારીના વ્યાપારમાં ધ્યાન રાકવું. ભાઈ-બહેન સાથે વિવાદ થાય. કુંભ (ગ.સ.શ.): આ રાશિના લોકોને શનિની પનોતીનો પહેલો તબક્કો લોઢાના પાયે પસાર થાય. ખર્ચમાં વધારો કરાવે. ખોટી દોડધામથી બચવું. ઝઘડા ટાળવા. ભાગ્યોદયમાં વિલંબ કરાવે પણ વિદેશ ગમનના યોગ થાય. મીન (દ.ચ.ઝ.થ): મકરનો શનિ લાભ સ્થાનમાંથી પસાર થાય. જે સારો એવો લાભ અપાવે. વિદેશ જવાની તક પણ મળે. આળસથી બચવું. શેરબજારમાં લાભ મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા અપાવે.
આગામી તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના 100 જૈન મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરશે. સૂરત શહેરમાં 3 અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આ દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. જે પૈકી સૌથી મોટો સમારોહ સુરતના વેસુ ખાતે યોજાશે.
અંદાજીત 75 જેટલા દીક્ષાર્થીઓ વેસુ ખાતે યોજાનાર ભવ્ય દીક્ષા સમારોહમાં જૈન સાધુ અને સાધ્વી તરીકે દીક્ષા લેશે. જૈન મુની વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે. જે માટે 71 મુમુક્ષુના દીક્ષા મુહૂર્ત પણ નક્કી કરી દેવાયા છે. અન્ય બે દીક્ષા ગ્રહણ કાર્યક્રમો તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના અડાજણ અને પાલમાં યોજાશે.
આ દીક્ષા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દીક્ષાર્થીઓ આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોનો સમાવેળ થાય છે.
દીક્ષા ઉત્સવ સમિતિના નરેશ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુઓને દીક્ષા વિજય શ્રેયાંશ પ્રભસુરીશ્વરજી મહારાજ, તપોરત્નસુરિશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ દ્વારા આપવામાં આવશે.
દીક્ષા સમારોહના એક દિવસ પહેલા
મુમુક્ષુઓની વર્ષદાન યાત્રા વરઘોડો કાઢવામાં આવશે.
આજ દિવસે સુરતના પાલમાં 20 દીક્ષાર્થીઓ સમસ્ત શ્રી વાવપંથક શ્વેતાંબર મૂર્તી પૂજક જૈન સંઘ
દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઓમકાર નગરી ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી ગુરુરક પાવન ભુમી ખાતે આયોજીત એક સમારોહમાં દીક્ષા
ગ્રહણ કરશે.
વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.
ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.
હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
શિરડીમાં રવિવારથી બંધનું એલાન
શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી
પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન
તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય
પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ
સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?
આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા
શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની
માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના
જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર
દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ
રહેશે.
૨૦૨૦ની પ્રથમ ખગોળીય અવકાશી ઘટના ૧૦મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહી છે. ૧૦મી જાન્યુઆરીના રોજ ચંદ્રગ્રહણ છે જે પ. બંગાળ સહિત ભારતના દરેક ભાગમાં દેખાશે.
ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ રાજે ૧૦.૩૭ કલાકે શરૂ થશે અને ૧૧ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ૨.૪૨ કલાકે પૂરું થશે, એવી અત્રેના બિરલા પ્લેનેટોરિયમના ડિરેક્ટર એમ. પી. બિરલાએ માહિતી આપી હતી. આ વર્ષે ચાર ચંદ્રગ્રહણ થવાના છે, જેમાંનું પહેલું ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુઆરીના રોજ છે. અન્ય ચંદ્રગ્રહણ ૫ જૂન, ૫ જુલાઇ અને ૩૦ નવેમ્બરના રોજ થશે. આ ચંદ્રગ્રહણ
એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશમાં દેખાશે.
ચંદ્રગ્રહણ એક ખગોળીય સ્થિતિ છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે ત્યારે ગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો એટલો ભાગ દેખાતો નથી. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી અને ચંદ્ર એક સાથે રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે. ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમના દિવસે જ થાય છે.
વિશ્ર્વમાં ૨૦૨૦માં છ ગ્રહણ જોઈ શકાશે જયારે ભારતમાં ફકત ત્રણ ગ્રહણ જોઈ શકાશે તેવું ઉજ્જેનની જિવાજી ઓબ્ઝર્વેટરીએ ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારની રાતે થનારા ચંદ્રગ્રહણ જોઈ શકાશે તેવું ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું. ૨૦૨૦નું પ્રથમ ગ્રહણ શુક્રવારની રાત્રિના ૧૦.૩૬થી શનિવાર વહેલી સવારે ૨.૪૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું જિવાજી ઓબ્ઝર્વેટરીના સુપરિટેન્ડન્ટ ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે કહ્યું હતું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં ભેગા થતા હોય છે ત્યારે ચંદ્રગ્રહણ આકાર લેતું હોય છે.
2020માં કયું ગ્રહણ ક્યારે
Jan 10–11. Lunar Eclipse (Penumbral)
Jun 5–6. Lunar Eclipse (Penumbral)
Jun 21. Solar Eclipse (Annular)
Jul 4–5. Lunar Eclipse (Penumbral)
Nov 29–30. Lunar Eclipse (Penumbral)
Dec 14. Solar Eclipse (Total)
પાંચમી જૂન અને છ જૂન વચ્ચેની રાત્રિએ વધુ એક ચંદ્રગ્રહણ આકાર લેશે તેવું ડો. રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તે કહ્યું હતું. પાંચમી જુલાઈ અને ત્રીસમી નવેમ્બરે ચંદ્રગ્રહણ થશે જે
ભારતમાં જોઈ શકાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. ૨૧મી જૂને સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે. ૧૪મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા નહીં મળે તેવું ગુપ્તેએ કહ્યું હતું. ૨૦૧૯માં વિશ્ર્વના વિભિન્ન હિસ્સાઓમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થયા હતા.
જ્યોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા યાત્રિકો માટે વીમો લેવામાં આવ્યો છે. સોમનાથમાં કોઇ અઘટિત બનાવ વખતે કોઇ યાત્રાળુનું મોત થાય તો તેના વારસોને વળતર મળી શકે જેથી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.
બાર જ્યોતિર્લીંગ પૈકી પ્રથમ જ્યોતિર્લીંગ સોમાથ મહાદેવનાં દર્શનાર્થે દેશ-િવદેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો સોમનાથ આવતા હોય છે ત્યારે સુરક્ષા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રિમિયમ ચૂકવવામાં આવનાર છે.
પ્રિમિયમ અંતર્ગત સોમનાથ મંદિર સંકુલ, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો, કાર્તિકી પૂર્ણિમાના મેળા, ટ્રસ્ટ હેઠળના તમામ મંદિરોને આવરી લેવાયા છે. એક વખતમાં કંપની વધુમાં વધુ રૂ. 12.5 કરોડ અને આ પ્રકારના સંજોગોમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. 25 કરોડનું વળતર ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વા વર્ષ 2020નો આવતીકાલ બુધવારથી આરંભ થઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતના તબક્કામાં જ ત્રણ ગ્રહો સ્વગૃહી અને ત્રણ ગ્રહો ઉચ્ચ રાશિમાં રહેશે. ખાસ કરીને 2 થી 7 ફેબ્રુઆરીના દિવસો દરેક શુભ કાર્ય માટે ઉત્તમ રહેશે કારણ કે આ દિવસો દરમિયાન દરેક ગ્રહોની ચાલ શુભ રહેશે.
તા.2પ ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધી મંગળ પોતાની વૃશ્ચિક રાશિમાં રહેશે. ગુરૂ પોતાની ધન રાશિ એટલે કે સ્વગૃહી રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. શનિ મહારાજ તા.24 જાન્યુઆરીથી પોતાની સ્વગૃહી રાશિ મકરમાં પ્રવેશ કરશે અને આ સાથે જ વૃશ્ચિક રાશિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. જ્યારે ઉચ્ચના ગ્રહો જોઈએ તો તા. 2જી ફેબ્રઆરીથી શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. રાહુ પોતાની ઉચ્ચ રાશિ મિથુનમાં ચાલી રહ્યો છે. કેતુ પોતાની ઉચ્ચ રાશિ ધનમાં ચાલે છે અને તા.3 થી પ ફેબ્રુઆરી સુધી ચંદ્ર પણ ઉચ્ચ રાશિમાં છે. આમ વર્ષની શરૂઆતના મહિના શુભ ગણી શકાય.
કોઈપણ શુભકાર્ય કરવા માટે 2 થી 7 ફેબ્રુઆરીનો સમય ઉત્તમ
તા.2 થી 7 ફેબ્રુઆરી સુધીના પાંચ દિવસ તમામ ગ્રહો ઉચ્ચ રાશિમાં હોવાથી આ દિવસોમાં શુભ કાર્ય કરી શકાશે. જમીન ખરીદવી, કોઈપણ વ્યાપારની શરૂઆત કરવી, ઘરમાં શુભ પ્રસંગો કરવા જોઈએ. મકર સંક્રાંતિ પછીના દિવસો શ્રેષ્ઠ છે. મિથુન રાશિમાં ભ્રમણ કરતો રાહુ ભારતને વિદેશની બાબતમાં નામના અપાવશે. તા.24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો પ્રવેશ શાપિત દોષ દૂર કરશે અને શનિના પરિવર્તનથી દેશ-દુનિયામાં મંદીનું મોજું ચાલી રહ્યું છે તે ઓછું થતું જશે અને તેજીનો માહોલ આવશે.
2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજરોજ તા.26 ડિસેમ્બર 2019ને સવારે પોણા અગિયાર વાગ્યાના ભારતીય સમય અનુસાર પૂર્ણ થયું હતું. વર્ષ-૨૦૧૯નું છેલ્લું સૂર્યગ્રહણને લઇને ભારતમાં આધ્યાત્મિક, પરંપરાગત, વૈજ્ઞાનિક એમ અલગ અલગ દ્રષ્ટીએ લોકોએ જોયું જાણ્યું હતું.
આજે ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે ચાલુ વર્ષનું પાંચમુ અને અંતિમ ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભૂત નજારો આકાશમાં જોવા મળ્યો હતો. આ પહેલા આ વર્ષમાં બે સૂર્યગ્રહણો (સોનાર ઈેક્લિપ્સ) અને બે ચંદ્રગ્રહણો (લુનાર ઈક્લિપ્સ) થયા છે. સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે દેખાનાર આ સૂર્યગ્રહણ ગુજરાતમાં સવારે ૮ કલાક ૪ મિનિટ ૪૦ સેકન્ડે શરૂ થયું હતું, સવારે ૯.૧૯ વાગ્યે તે મહત્તમ દેખાયું હતું અને ૧૦ ક.૪૮ મિ.૪૦ સેકન્ડે પૂર્ણ થયું હતું.
ગ્રહણનું કોઇ શૂતક ના લાગે, વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાએ જણાવ્યા મૂજબ ગ્રહણથી કોઈ સૂતક લાગતા નથી અને આ બધી ગેરમાન્યતાઓ ચાલી આવે છે તેના ખંડનનો કાર્યક્રમ પણ યોજાયો છે. તેણે અપીલ કરી હતી કે ગ્રહણ વખતે રાંધેલા ખોરાકને બહાર નહીં ફેંકી દેતા ભુખ્યા લોકોને જમાડવા જોઈએ. તો બીજી તરફ ગ્રહણ અન્વયે આપત્તિ સહિતની આગાહીઓ પણ થઈ હતી અને લોકો આ દિવસે પરંપરાગત રીતે કેટલીક વિધિઓ કરતા રહ્યા છે.
વધુમાં ગુજરાતમાં સૌથી વધુ ૨ ક. ૪૮ મિ.માટે સૂર્યગ્રહણનો સમય (પૂણ્યકાળ) સુરતમાં રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૨ક. ૪૪ મિ. ૨૮ સેકન્ડ અને એ રીતે અમદાવાદ ૨ઃ૪૫ઃ૫૭, જુનાગઢમાં ૨:૪૪ઃ૪૮, જામનગરમાં ૨ઃ૪૩ઃ૧૬, પોરબંદરમાં ૨ઃ૪૩ઃ૨૯, વેરાવળમાં ૨ઃ૪૫ઃ૦૪ સે.સુધી દેખાયું હતું. આ રીતે સૂર્યગ્રહણ શરુ થવાના સમયમાં પણ એક બે મિનિટનો ફરક રહ્યો હતો. જેમાં દ્વારકા, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ખાતે ૮.૦૩ વાગ્યે, રાજકોટ, જામનગર, ભાવનગર, ભૂજ ,મુંબઈ ખાતે ૮ઃ૦૪ વાગ્યે, સુરેન્દ્રનગર, સુરત, ખાતે ૮ઃ૦૫ વાગ્યે, અમદાવાદમાં ૮ઃ૦૬ વાગ્યે ગ્રહણ શરુ થશે તો દિલ્હીમાં ૮ઃ૧૭ વાગ્યે આરંભ થયો હોવાના અહેવાલો મળ્યા હતા.
વધુમાં જણાવાયા મૂજબ ચંદ્ર દ્વારા સૂર્યનો જે ભાગ ઢંકાયો હતો તેમાં રાજકોટ, જુનાગઢ ખાતે મહત્તમ ૭૯ ટકા ભાગ સવારે ૯.૧૯ વાગ્યે. તો અમદાવાદમાં મહત્તમ ૭૨ ટકા ભાગ પણ આ જ સમયે ઢંકાયેલો નજરે પડયો હતો. આમ, રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ વધુ માત્રામાં જોવા મળી હતી.
આ ગ્રહણ ભારત ઉપરાંત સમગ્ર એશિયા,આફ્રિકા ખંડો, ઈથોપિયા, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં દેખાયું હતું. જેનો વૈજ્ઞાાનિકો સઘન અભ્યાસ કર્યો હતો. ગ્રહણને નરી આંખે કે ફિલ્ટર ચશ્મા પહેર્યા વગર જોવું તે આંખ માટે અતિ જોખમકારક છે અને લોકોએ આ રીતે ગ્રહણ અર્થાત્ સૂર્ય સામે નજર કરવાનું ટાળવું જોઈએ એવી જાગૃતિ પણ જોવા મળી હતી.
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડતા સૂર્યગ્રહણ
થાય છે અને ગુરુવારે સૂર્યગ્રહણમાં સૂર્ય સો ટકા ઢંકાવાનો નથી ત્યારે સૂર્ય સળગતી
વિંટી જેવો કે બંગડી (કંકણ) જેવો નજરે પડશે તેથી તેને કંકણાકૃતિ ખંડગ્રાસ
સૂર્યગ્રહણ પણ કહે છે.
ગુરુવાર ૨૬ ડિસેમ્બરને માગશર વદ અમાસના દિવસે સૂર્યગ્રહણ છે. જોકે, મુંબઇ સહિત ભારતના દક્ષિણના પ્રદેશોમાં આંશિક સૂર્યગ્રહણ જ દેખા દેશે. મતલબ કે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચે તો આવશે પણ સૂર્યને પૂરેપૂરા ઢાંકી શકશે નહીં. મુંબઇની વાત કરીએ તો આ આંશિક સૂર્યગ્રહણ સવારે ૮-૦૪ વાગે શરૂ થશે અને ૧૦-પપ સુધી દેખા દેશે.
આ નિમિત્તે આપણે સૂર્યગ્રહણ વિશે જાણીએ. તેની પાછળ કુદરતનો શો હેતુ હશે. ગ્રહણને ધર્મ સાથે કેમ જોડી દેવામાં આવ્યું હશે. ગ્રહણનું ખગોળ અને વિજ્ઞાન શું છે. તેના વિશે પૌરાણિક માન્યતાઓ શું છે. તેના ફાયદા અને ગેરફાયદા કયા કયા તે વિશે થોડી જાણકારી મેળવીએ.
કોઈ પણ વસ્તુ કે સિસ્ટમનું સર્જન થાય એ પૂરતું નથી, પણ પછી એ કાયમી કાર્યરત રહે છે કે નહિ એટલે કે મેઈનટેઈન રહે છે કે નહિ એ જોવું પણ ઘણું અગત્યનું છે. નવી કાર લીધી હોય અને એને મેઈનટેઈન રાખી હોય તો અંદર બેસનારા સુખેથી પ્રવાસ કરી શકે છે. એ જ રીતે પૃથ્વીનું સર્જન થયું પછી એને મેઈનટેઈન રાખવી પડે. આ માટે કુદરતે ઘણા વિકલ્પ પોતાની પાસે રાખ્યા છે, જેમ કે ચોમાસામાં વરસાદના પાણીથી વાતાવરણ તેમ જ પૃથ્વીની અશુદ્ધિઓને ધોવી, શિયાળામાં વાયુસ્નાન કરાવવું અને તેથી પણ કંઈ બાકી રહી ગયું હોય તો ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણો પૃથ્વીને હાનિકારક તત્ત્વો કે જંતુઓથી મુક્ત કરે છે. આમ, કુદરતની રચના એવી રીતે ગોઠવાયેલી છે કે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ સુખેથી રહે.
ગ્રહણ આમાં શી ભૂમિકા ભજવે છે?
તમે બસમાં પ્રવાસ કરતા હોવ ત્યારે કંડક્ટર તમે ટિકિટ લીધી છે કે નહિ તે ચૅક કરે છે, પરંતુ કેટલાક મુસાફર યુક્તિ કરીને વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે અથવા બસ કંટક્ટરનું ગિરદીમાં બધે ધ્યાન નથી હોતું તેનો લાભ લઈ ટિકિટ લીધા વગર મુસાફર પોતાનું સ્ટોપ આવે ત્યારે પાછલે દરવાજેથી ઊતરી જતા હોય છે. આવા ખુદાબક્ષો ક્યારેક બસસ્ટોપ પર ઊભેલા ટિકિટચૅકરો દ્વારા પકડાઈ જતા હોય છે અને દંડ ભરવો પડતો હોય છે. આ જ રીતે શુદ્ધિકરણની ક્રિયામાંથી છટકી ગયેલા જીવજંતુને પડકારવા ગ્રહણ સુપર ચૅકિંગ માસ્ટર બનીને આવે છે. ઘણાય એવા વિષાણુ પૃથ્વી પર છે, જ્યાં સૂર્યનાં કિરણો પણ પહોંચી શકતાં નથી અથવા તો પહોંચવા છતાંય એનો સફાયો કરી શકવાની ક્ષમતા હોતી નથી. આવી જગ્યાએ ગ્રહણ વખતે વછૂટેલાં કિરણો કામ આવે છે. એ કેવી રીતે તે હવે આપણે જોઈએ.
કુદરતનો યોગાનુયોગ કે પરમશક્તિની કૃપા?
સામાન્ય રીતે આપણને પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્રમાં એકદમ સરખા જ લાગે છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ચંદ્રથી ઘણો જ મોટો છે, પણ પૃથ્વીથી ઘણો જ દૂર હોઈ અને ચંદ્ર પૃથ્વીથી ઘણો જ નજીક હોઈ બેઉના કદ સરખા દેખાય છે. વૈજ્ઞાનિકો જેને કુદરતી યોગાનુયોગ કહે છે કે પછી આપણે એને પ્રભુની કૃપા કહીએ, પણ પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર અને કદ એ પ્રમાણે ગોઠવાયેલાં છે કે જો ચંદ્ર, પૃથ્વી અને સૂર્યને જોડતી સીધી લીટીમાં બરાબર વચ્ચે ગોઠવાઈ જાય તો સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય. બસ, આ સ્થિતિને જ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. હવે આ સ્થિતિને પરમશક્તિની કૃપા એટલા માટે કહી છે કે સૂર્યનાં કિરણો ચંદ્ર સાથે અથડાઈને તેની કિનારીએથી વધુ વેગવાળાં અને વધુ તીવ્રતા પ્રાપ્ત કરી વછૂટે છે અને સોનાની વીંટી જેવું દૃશ્ય આપણને આકાશમાં દેખાય છે. દડા જેવી કિનારી પર અથડાંતાં કિરણો ડિફ્લેક્ટ થઈ સીધા કિરણોની સાથે ભળી તેમની ગીચતામાં વધારો કરે છે. પરિણામે તેઓ દબાણ અનુભવે છે અને તેમની તીવ્રતામાં વધારો થાય છે. ઙજ્ઞૂયિ = ઋજ્ઞભિય ડ્ઢ ટયહજ્ઞભશિું. (સંદર્ભ: હયતતજ્ઞક્ષ ૬, તમિં. ડ જભશયક્ષભય, ખફવફફિતવિિંફ ઇજ્ઞફમિ.) આવાં કિરણો સૂર્યનાં કિરણોથી પણ વધુ દૂર સુધી જઈ શકે છે અને તેમની તીવ્રતા એટલી બધી હોય છે કે સૂર્યકિરણો જેને ન હંફાવી શક્યાં હોય તેવા વિષાણુઓનો સફાયો આવાં કિરણો કરે છે અને પૃથ્વીને ખરા અર્થમાં ‘સાફ’ રાખે છે. આ વાત સમજવા એક દૃષ્ટાંત જોઈએ.
બાગ-બગીચામાં પાઈપ વડે પાણી પાતા માળીને તો તમે જોયો જ હશે. માળી નજીકના છોડને પાણી પહોંચાડવા તે પોતાના અંગૂઠા કે આંગળીઓ વડે પાઈપનું મોં સાંકડું કરે છે. આ રીતે પાણી પર દબાણ વધારી વધુ તીવ્રતાથી અને વધુ દૂર સુધી પહોંચાડી શકે છે. ઘણી વાર કોઈક જિદ્દી આંદોલનકારી જો રસ્તો રોકીને બેઠા હોય તો એમને હટાવવા માટે સત્તાવાળાઓ ભારે દબાણવાળી પાઈપથી પાણીનો મારો ચલાવે છે. આથી કોઈને શારીરિક ઈજા થતી નથી, પરંતુ પાણીના આવા દબાણથી તેમને એ સ્થળ છોડવાની ફરજ પડે છે. બસ આ જ રીતે સૂર્યમાંથી સતત કિરણો નીકળતાં જ હોય છે, પરંતુ જ્યારે ચંદ્ર વડે તેમનો રસ્તો અવરોધાય ત્યારે તેઓ પ્રચંડ દબાણ અનુભવે છે, પછી ચંદ્રની કિનારીએથી વધુ છાકટા થઈને વછૂટે છે જેમાં તેમની ગતિ અને તેમની તીવ્રતા વધી જાય છે, આમ, જ્યાં ન પહોંચી શકે સૂર્યનાં કિરણો ત્યાં પહોંચી જાય છે ગ્રહણનાં કિરણો. વળી, કુદરતની કળા તો જુઓ કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણકક્ષા એવી રીતે ગોઠવાઈ છે કે દર વર્ષે અલગઅલગ જગ્યાએ અને જુદા જુદા સમયે સંપૂર્ણ સૂર્યગ્રહણ કે આંશિક સૂર્યગ્રહણ થતાં રહે છે. ટૂંકમાં પૃથ્વીનો કોઈ પણ ભાગ સાફસફાઈથી વંચિત ન રહી જાય તેનું ખૂબ જ ધ્યાન રખાયું છે.
મહાભારત અને ગ્રહણ
આપણા વેદ, ઉપનિષદ, રામાયણ, ભાગવતપુરાણ બધે ગ્રહણોનો ઉલ્લેખ થયો છે, પરંતુ મહાભારતમાં ગ્રહણને એક પ્રસંગમાં જે રીતે ટાંકીને રજૂ કરાયું છે તે ખૂબ જ રસપ્રદ છે. જ્યારે જયદ્રથ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી અધર્મથી મારી નાખે છે, ત્યારે ક્રોધિત થયેલા અર્જુને સૂર્યોદય સાથે આરંભાતા યુદ્ધમાં પ્રથમ જ પ્રતિજ્ઞા લે છે કે ‘આજના દિવસભરના યુદ્ધમાં જો હું જયદ્રથને ન મારી શકું તો સૂર્યાસ્ત સમયે પોતે ચિતા પ્રકટાવી બળી મરશે.’ આ વાતની જાણ થતાં જયદ્રથ તરત જ ગુપ્ત જગ્યાએ સંતાઈ જાય છે. અર્જુન અને કૃષ્ણ તેને શોધવા આકાશપાતાળ એક કરે છે, પરંતુ જયદ્રથનો પત્તો લાગતો નથી. કૃષ્ણ ચોસઠ વિદ્યામાં પ્રવીણ હતા તેમાંની એક વિદ્યા એટલે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર. ક્યા દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ છે એની કૃષ્ણને સંપૂર્ણ જાણકારી હતી. વાર્તામાં એમ આવે છે કે શ્રીકૃષ્ણે સૂર્ય અસ્ત થાય તેના પહેલાં જ પોતાના સુદર્શન ચક્ર વડે સૂર્યને ઢાંકી દીધો. હકીકતમાં ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો હતો. આ વખતે દિવસ હોવા છતાં અંધારું છવાઈ ગયું અને અર્જુને ચિતામાં પ્રવેશવાની તૈયારી કરી. હવે અર્જુન પોતાનું કંઈ નહિ બગાડી શકે એવા વિશ્ર્વાસથી જયદ્રથ પણ ભૂગર્ભમાંથી અર્જુનની અગ્નિસમાધિ જોવા બહાર નીકળ્યો. બરાબર આ જ સમયે ગ્રહણ પૂરું થયું. ચંદ્ર સૂર્યના માર્ગમાંથી હટી ગયો અને સર્વત્ર પાછો ઉજાસ ફેલાઈ ગયો. આ અજવાળામાં અર્જુને અધર્મી જયદ્રથને જોયો અને તેને હણી નાખ્યો. આ વાર્તાને શ્રી વ્યાસમુનિએ મહાભારતમાં રૂપકથી રજૂ કરી છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં એમ કહી શકાય કે શ્રીકૃષ્ણ અને અર્જુનની શક્તિ પણ જ્યાં ઓછી પડી ત્યાં ‘ગ્રહણ’ કામમાં આવી ગયું. બસ, આ જ રીતે જળ, વાયુ કે સૂર્યદેવ જે ને કરી શકે તે શુદ્ધિકરણનું કાર્ય ‘ગ્રહણ’ કરી શકે છે.
ગ્રહણના કાયદા અને ફાયદા
ઘણા લોકો ગ્રહણથી ગભરાતા હોય છે, તો ઘણા લોકો ગ્રહણને અશુભ માનતા હોય છે, પરંતુ ગ્રહણ વખતે અમુક કાયદા પાળે તો એ અશુભ નહિ, પણ શુભ બની તમને ઘણા ફાયદા કરાવી શકે છે.
ગ્રહણને અને ખાસ કરીને સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાનું આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે, તેને આજનું વિજ્ઞાન પણ સમર્થન આપે છે. અગાઉ જોયું તેમ ચંદ્રની કિનારી પરથી માત્ર વીંટી જેટલા ક્ષેત્રફળમાંથી છૂટતાં કિરણો વધારે તેજસ્વી હોય છે. સૂકા ભેગું ક્યારેક થોડું લીલું પણ બળી જાય એમ હઠીલા વાયરસને સંહારવા જતાં કિરણોના માર્ગમાં આપણે આવી જઈએ તો આપણે ખાસ કરીને શરીરનાં નાજુક અને કોમળ અંગોને નુકસાન થઈ શકે છે, જેમ કે આંખ અને ગર્ભવતી સ્ત્રીના ગર્ભને. માટે જ નરી આંખે સૂર્યગ્રહણને ન જોવું જોઈએ. આ જ રીતે ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ સમય દરમિયાન બહાર ન નીકળવું જોઈએ જેથી ગર્ભ પર કોઈ ખરાબ અસર ન થાય.
ગ્રહણમાં મંત્રજાપ, સ્નાન અને દાનનો નિયમ આપણાં શાસ્ત્રોમાં છે. તે પણ ઘણો જ વૈજ્ઞાનિક અભિગમ છે.
ગ્રહણ પૃથ્વી અને વાતાવરણને એટલું સાફ કરે છે કે તમારા મંત્રનાં મોજાં કોઈ પણ ટ્રાફિકના અવરોધ વગર પરમશક્તિ સુધી પહોંચી શકે છે. ગ્રહણ દરમિયાન નીકળતાં કિરણો પાણીમાં છેક ઊંડે સુધી પહોંચી પાણીને નિર્મળ અને શુદ્ધ બનાવે છે. કેટલાક જ્યોતિષીઓના મત મુજબ ગ્રહણથી નદી અને તળાવનાં પાણી ગંગાનાં પાણી જેટલી જ શુદ્ધતા અને પવિત્રતા મેળવે છે. આથી ગ્રહણ દરમિયાન નહિ, પરંતુ ગ્રહણ પૂર્ણ થયા બાદ શુદ્ધ થયેલા વાતાવરણમાં બહાર નીકળી અને નદી-તળાવના શુદ્ધ પાણીમાં સ્નાન કરી શારીરિક અને માનસિક લાભ મેળવી શકાય છે.
આવા દિવ્ય વાતાવરણમાં ગરીબ અને વંચિત લોકોને આપેલું દાન આપણા પૂર્વજો અને પરમશક્તિ સુધી ઝડપથી પહોંચીશકે છે. એટલા માટે જ ગ્રહણ છૂટ્યા પછી દાનનો વિશેષ મહિમા છે. ભાગવતમાં જણાવ્યા પ્રમાણે પહેલાંના તવંગર રાજા-મહારાજાઓ ગ્રહણ પત્યા પછી સ્નાનાર્થે બહાર નીકળતા અને ગરીબોને દાન કરતા હતા.
ગ્રહણ અને દર્ભ
ઘણા કાયદા પાળવા છતાં પણ ગ્રહણમાંથી છૂટતાં નટખટ કિરણો ઘરની અંદર પ્રવેશી રાંધેલી રસોઈને બગાડી શકે છે. બને ત્યાં સુધી બનાવેલી રસોઈનો નિકાલ કરવો જરૂરી હોય છે અને શક્ય પણ હોય છે, પરંતુ અનાજ કે કઠોળમાં ગ્રહણની ખરાબ અસર ન થાય તે માટે દર્ભ તેમાં મૂકતા હોય છે, કારણ કે દર્ભ ગ્રહણના શક્તિશાળી વેવ્ઝનું અપાકર્ષણ કરે છે અને અનાજને વિકાર પામતું અટકાવે છે.
ગ્રહણ અને રસોઈ
ગ્રહણમાં વછૂટતાં કિરણો વિષાણુ મારવાની શક્તિ ધરાવે છે તે રાંધેલી રસોઈમાંના વિષાણુને પણ મારી શકે છે, પણ સાથે સાથે રાંધેલી રસોઈને પણ વિકૃત કરી બેસે છે. ગ્રહણથી વાતાવરણ અને પાણી વધુ શુદ્ધ થાય છે, પણ રાંધેલી રસોઈ બગડી જાય છે. આની પાછળ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે તેને આપણે વિગતવાર જોઈએ.
આજનું વિજ્ઞાન પણ કહે છે કે પાણી અને વાયુના અણુઓ એકબીજાથી દૂરના અંતરે હોય છે, જ્યારે ઘનપદાર્થના અણુઓ એકબીજાથી ઘણા નજીક હોય છે. ગ્રહણનાં કિરણો પાણી અને વાયુમાંથી તો આસાનીથી પસાર થઈ શકે છે, પણ અડફેટમાં આવતા વિષાણુઓને મારી નાખે છે. આ કિરણો પસાર થઈ ગયા પછી સ્થિતિસ્થાપકતા ગુણના લીધે હવા અને પાણીના અણુઓ આપમેળે જોડાઈ જાય છે અને વિકૃત પામતા નથી. પરંતુ ઘનપદાર્થમાં અણુઓ ગીચોગીચ હોય તેમને ખસવાની જગ્યા જ નથી મળતી અને તેથી તે ગ્રહણનાં કિરણોેની અડફેટમાં આવી જઈ વિકૃત થાય છે. દા.ત. એક ધારદાર તલવાર હવા અને પાણીમાં વીંઝાય તો તેમને કોઈ નુકસાન થતું નથી, પણ તલવારની અડફેટમાં ઘનપદાર્થ (પૃથ્વી તત્ત્વ) આવે તો તેની સપાટી પરના અણુઓને નુકસાન થાય છે. આ જ રીતે ગ્રહણનાં કિરણોથી હવા અને પાણી વિકૃત થતાં નથી, પણ રાંધેલી રસોઈમાંનું ઘન તત્ત્વ (દાળ, ભાત, શાક, રોટલી વગેરે) વિકૃત બને છે.
અહીં બીજી એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે સૂકા અનાજ કે કઠોળમાં પણ પૃથ્વી તત્ત્વ રહેલું છે, પરંતુ તે રાંધેલી રસોઈ જેવા પોચા કે નરમ નથી હોતા. તેથી ગ્રહણના કિરણો રાંધેલી રસોઈની છેક અંદર સુધી ઘૂસીને જેટલી બગાડી શકે છે તેટલો બગાડ-વિકૃતિ અનાજ કે કઠોળના કઠણ દાણામાં નથી આવતી, છતાં પણ તેમની બાહ્ય સપાટીને વિકૃત થતા બચાવવા દર્ભનો ઉપયોગ કરવાનું અગાઉ આપણે જાણ્યું. આમ છતાં પણ થોડી ઘણી વિકૃતિ પ્રવેશી હોય તો તે રાંધવાના સમયે અગ્નિ તત્ત્વથી દૂર થઈ જાય છે.
ગ્રહણનાં કિરણોથી રાંધેલા અન્નમાં રહેલું પૃથ્વી તત્ત્વ વિકૃત થવાથી તે બગડી જાય છે. હવે તે કેટલા પ્રમાણમાં બગડે તે ગ્રહણનો પ્રકાર, ગ્રહણનું સ્થાન જેવી બાબતો પર આધાર રાખે છે અને આવું અન્ન (ભોજન) ખવાથી કેટલા જણાં બીમાર પડી શકે કે કેટલા પ્રમાણમાં બીમાર પડી શકે તે પણ દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે, પણ એક વાત તો સાચી જ છે કે આવી રસોઈ ન ખાવાથી તમે ૧૦૦ ટકા સલામત રહી શકો છો, પરંતુ ખાવાથી તમારા આરોગ્ય જોખમવાની શક્યતા ૧૦ ટકાથી ૧૦૦ ટકા સુધી વિસ્તરી શકે છે, તો રાંધેલી રસોઈ આપણાં શાસ્ત્રોમાં ખાવાનો નિષેધ કરેલો છે તેમાં ખોટું શું છે?
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.