ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ આઈપીએલ 2019માં માંડ માંડ કોઈ ટીમમાં જવામાં સફળ થયા છે. પહેલા રાઉન્ડમાં યુવરાજ સિંહને કોઈ ટીમે નહોતા ખરીદ્યા, પરંતુ આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદી લીધા. પરિણામે આ વખતે યુવરાજ સિંહ રોહિત શર્માની કેપ્ટનસીમાં રમતા દેખાશે. જો કે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને એક ખાસ યોજના અંતર્ગત ખરીદ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ ઝહીર ખાને કર્યો છે.
ઝહીર ખાને કહ્યું કે યુવરાજસિંહ પાસે લાંબો અનુભવ છે, તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં એક મહત્વના બેટ્સમેન સાબિત થઈ શકે છે. યુવરાજસિંહ મેચન વિનર ખેલાડી છે, અમને એક એવા બેટ્સમેનની જરૂર હતી જે મિડલ ઓર્ડરમાં અનુભવી હોય. મને લાગે છે કે યુવરાજસિંહ પાસે આ અનુભવ છે, એટલે જ અમે તેમને અમારી ટીમમાં ખરીદ્યા છે. ઝહીર ખાને કહ્યું કે યુવરાજ સિંહે વર્ષો સુધી પોતાની ટીમને મેચ જીતાડી છે અને તેઓ એક મેચ વિનર ખેલાડી છે, તેમાં કોઈ બેમત નથી. અમે પ્રેક્ટિસ દરમિયાન પણ જોયું છે કે તે સારી બેટિંગ કરી રહ્યા છે. આ સિઝનમાં તે સારું પ્રદર્શન જરૂર કરશે. યુવરાજ સિંહની હાજરીથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપ મજબૂત બની છે.
યુવરાજસિંહને બીજા રાઉન્ડમાં ખરીદવા અંગે ઝહીર ખાને કહ્યું કે એવા ઘણા ખેલાડીઓ હતા જે પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ હતા, હું પણ તેમાંથી એક છું. ઓક્શન વખતે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરે છે. તો રોહિત શર્માએ કહ્યું કે ખેલાડીઓએ નક્કી કરવાનું છે કે તેઓ પોતાની ક્ષમતા બરાબર ઓળખે છે. તેમને પોતાને જ્યારે જરૂર હશે ત્યારે તેઓ આરામ કરશે. રોહિત શર્માએ કહ્યું કે પાછલા ત્રણ-ચાર વર્ષમાં અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. વર્કલોડ ખેલાડીઓનો અંગત મામલો છે. આ મામલે ખેલાડીઓએ જાતે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
ભારતી ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઈએ એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. બીસીસીઆઈએ ગુરૂવારે મોડી રાત્રે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી છે. નવા કરાર અનુસાર કેપ્ટન વિરાટ કોહલી, એક દિવસીય વાઈસ કેપ્ટન રોહિત શર્મા (વન-ડે) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જ એવા ખેલાડીઓ છે કે જેને એ પ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભુવનેશ્વર અને ધવનને આ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને એ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા ગ્રેડ આ પ્રકારે છે:
આજીવન પ્રતિબંધના કારણે ક્રિકેટથી દૂર થઇ ગયેલા કેરેલિયન ક્રિકેટર શ્રીસંથ પરથી આજે સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
IPL સ્પોર્ટ ફિક્સિંગ કેસમાં બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયાએ ઝડપી બોલર શ્રીસંત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જેને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે વધુમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 3 મહિના સુધીમાં આ સમગ્ર કેસમાં પોતાન રીપોર્ટ સોંપવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે નિયમોને લગતી કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે.
આજે સુરતની મુલાકાતે આવેલી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં આવતા વેંત પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે યુનિવર્સિટીના સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, હોકી ગ્રાઉન્ડ તેમજ સ્વીમીંગ પુલ જેવા બિલકુલ રેડી પ્રોજેક્ટસ સમર્પિત કરતા જણાવ્યું હતું કે ભાજપા સરકાર ખેલે ગુજરાતને પ્રોત્સાહિત કરી રહી છે અને યુનિવર્સિટી જેવા વિશ્વ વિદ્યાલયોએ ગુજરાતી ખેલાડીઓને પ્લેટફોર્મ મળે, સ્પર્ધાત્મક માહોલ મળે એ માટે રમતગમત માટે માળખાગત સુવિધાઓ વિકસાવવી જોઇએ.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે યુનિવર્સિટીના નવનિર્મિત હોકી ગ્રાઉન્ડને વિદ્યાર્થી સમર્પિત કરવામાં આવ્યું હતું.
સુરતની મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ યુનિવર્સિટીના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વીમીંગ પુલનું પણ ઉદઘાટન કર્યું હતું.
અત્રે એ ખાસ નોંધનીય છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટસના મૂળ પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના શાસનકાળ દરમિયાન રોપાયા હતા. પૂર્વ કુલપતિ ડો. ઠાકરએ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી રમતવીરોને જુદી જુદી રમતો માટેની માળખાગત સુવિધાઓ મળે તે માટે આધુનિક પ્રોજેક્ટના મંડાણ કર્યા હતા. આજે એ પ્રોજેક્ટસ સાકાર થઇ ચૂક્યા છે ત્યારે યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોએ ડો.ઠાકરની દીર્ઘદ્રષ્ટીની પ્રશંસા કરી હતી.
તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.
ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.
ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.
માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ મેરેથોન દોડમાં ઉમટી પડ્યા
સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાયા
હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કર્યું
બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા
લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ એવું બારડોલી શહેર વહેલી સવારે ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર આયોજિત હાફ મેરેથોનના રંગે રંગાયું હતું. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડને સ્વરાજ આશ્રમથી મેરેથોનને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું.
માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ દોડવા માટે ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ વિશેષ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કરી મેરેથોનનો નજારો માણ્યો હતો.
૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજીત હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો.
સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડૉ.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શનમાં ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. રનર્સને આવકારવા માટે મેરેથોન રૂટને સુંદર સુશોભિત વેલકેમ ગેટથી સુસજ્જ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ પૂર્વે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ દોડવીરો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી માટે શપથ લેવડાવ્યા હતા.
સંદીપ પંડ્યા નામના સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારી 60 હજારની લાંચ લેતા ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ઝડપાયા છે.
એસીબીની બરોડાની ટીમ આ ઘટનામાં તપાસ કરી રહી છે. SAG (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) દ્વારા સ્કૂલમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીના સંચાલન માટે અલગ અલગ એજન્સીઓને કામ આપવામાં આવે છે. આ સ્કૂલની એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યો હતો. જેમાં ટ્રેનરોના બિલ મંજૂર કરવા માટે એજન્સી પાસે લાંચ માંગી હતી. ACBને આ પ્રકારે લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી.
આ સમગ્ર મામલાની તપાસ ACBની બરોડા ટીમને તપાસ સોંપવામાં આવી છે. ACBની બરોડાની ટીમે છટકું ગોઠવી SAGના અધિકારી સંદીપ પંડ્યાને રંગેહાથ રૂ.60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
પ્રાથમિક તપાસમાં SAGના સંદીપ પંડ્યાનું નામ સામે આવ્યું છે. જેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના ઈન સ્કૂલ શાખાના ઈનચાર્જ છે. જેમણે એજન્સીના ટ્રેનરના બિલ SAGમાં મંજૂર કરાવવા માટે એજન્સી પાસેથી લાંચ માંગતા તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBના અધિકારી ડી. બી. બારડે ટ્રેપ ગોઠવતા તેમાં સંદીપ પંડ્યા રંગે હાથ ઝડપાયા છે.
ટીમ ઈન્ડિયાએ ચોથી વન ડેમાં શરમજનક હાર જોયા બાદ પાંચમી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની સિરીઝ પર 4-1થી કબજો કરી લીધો છે.
યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાએ ચોથી વન ડેમાં શરમજનક હાર જોયા બાદ પાંચમી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની સિરીઝ પર 4-1થી કબજો કરી લીધો છે.
253 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા કવિઝની શરૂઆત સારી નહોતી રહી. ન્યૂઝીલેન્ડે 38 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. જોકે ટોમ લાથમ અને જેમ્સ નિશામે ન્યૂઝીલેન્ડની ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચહલના સ્પિન સામે લાથમ ટકી ન શક્યો તો જેમ્સ નિશામને ધોનીએ રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમ્સ નિશામે સૌથી વધુ 44 રન બનાવ્યા.
તો ભારત તરફથી ચહલે 3, શમીએ 2, હાર્દિક પંડ્યાએ 2, ભુવી અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.
પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રન બનાવ્યા છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. જાણે ચોથી વન ડેની હાઈલાઈટ ચાલતી હોય તેમ ટોપ ઓર્ડરે ઘૂંટણીયા ટેકવી દીધા. ભારતે પહેલી વિકેટ 8 રને, બીજી વિકેટ 12 રને, ત્રીજી વિકેટ 17 રને, ચોથી વિકેટ 18 રને ગુમાવી હતી.
આજની વન ડેમાં ટીમમાં ઈજા બાદ પાછા ફરેલા ધોની પાસેથી ઘણી આશાઓ હતી. જો કે ધોની માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. જો કે અંબાતી રાયડુ અને વિજય શંકરે ભારતીય ઈનિંગને સંભાળી. જો કે રાયડુ સદી ચૂક્યો અને 90 રને આઉટ થઈ ગયો. તો વિજય શંકરે 45 રન બનાવીને રાયડુને સાથ આપ્યો હતો. છેલ્લે હાર્દિક પંડ્યાએ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા ટીમના સ્કોરને 252 પહોંચાડ્યો. હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 5 સિક્સર્સ અને 2 ફોર સામેલ હતી.
ND VS NZ: ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે ભારતને હરાવ્યું
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રનમાં જ ઢેર થઈ ગઈ. ભારત તરફતી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 18 રન બનાવ્યા તો હાર્દિક પંડ્યાએ 16 રન બનાવ્યા.
ટ્રેન્ટ બોલ્ટે ઝડપી 5 વિકેટ
પાંચ વન ડેની સિરીઝની ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે પરાજય આપ્યો. 93 રનના ટાર્ગેટનો પીછ કરવા ઉતરેલા કિવિઝે આ માત્ર 14.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોસ ટેલર 37 અને હેન્રી નિકોલસ 30 રને અણનમ હતા.
આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગમાં ઉતારી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમે તેને સાચો સાબિત કરતા ટીમ ઈન્ડિયાને 100 રન પણ પાર ન કરવા દીધા.
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રનમાં જ ઢેર થઈ ગઈ. ભારત તરફતી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 18 રન બનાવ્યા તો હાર્દિક પંડ્યાએ 16 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફી ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમા 21 રન આપીને 5 વિકેટ ઝડપી. આ ઉપરાંત કોલિન ડી ગ્રેન્ડ હોમે 3 વિકેટ ઝડપી.
IND VS NZ : ત્રીજી વન ડેમાં 7 વિકેટે ભારતનો વિજય
ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી વન ડેમાં હરાવીને સિરીઝ જીતી લીધી છે. પહેલી ત્રણ વન ડે જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો જમાવ્યો છે.
ત્રીજી વન ડે જીતીને ભારતે ઈતિહાસ રચી લીધો છે. આ મેચ જીતવાની સાથે જ વિરાટ સેનાએ વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હવે 3-0થી આગળ છે. આ મેચ જીતવાની સાથે જ ભારતે 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી વખત ભારત ન્યૂઝીલેન્ડમાં વન ડે સિરીઝ જીત્યું છે.
ટીમ ઈન્ડિયા 1976ના વર્ષથી ન્યૂઝીલેન્ડમાં દ્વિપક્ષીય સિરીઝ રમી રહી છે. ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે આ 8મી દ્વિપક્ષીય વન ડે હતી. આ પહેલા ભારત માત્ર એક જ વખત ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી શક્યું છે. માર્ચ, 2009માં ટીમ ઈન્ડિયા 5 વન ડેની સિરીઝ 3-1થી જીત્યું હતું.
આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
જવાબમાં બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે પહેલી વિકેટ ઝડપથી ગુમાવી હતી. 39 રનના સ્કોરે જ શિખર ધવનને બોલ્ટે પેવેલિયન ભેગા કરી દીધા. પરંતુ કપ્તાન કોહલી અને રોહિત શર્માની જોડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાલી. રોહિત શર્મા 62 અને વિરાટ કોહલી 60 રનના સ્કોરે આઉટ થયા હતા.
IND VS NZ: પહેલી નેપિયર વનડેમાં ભારતનો 8 વિકેટે વિજય
મેચની શરૂઆતથી જ વિપક્ષી ટીમ પર ભારતીય ટીમે દબાવ બનાવતા માત્ર 157 રનમાં ઓલઆઉટ કરી હતી જેના જવાબમાં માત્ર 2 વિકેટના નુકશાને ભારતે આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું.
ભારતની જીત
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતની શરૂઆત ધમાકેદાર રહી છે. ભારતીય બોલરોના તરખાટ અને બેટ્સમેનોની મક્કમ બોટિંગના કારણે ભારતનો 8 વિકેટે વિજય થયો છે. મેચની શરૂઆતથી જ વિપક્ષી ટીમ પર ભારતીય ટીમે દબાણ બનાવતા માત્ર 157 રનમાં ઓલઆઉટ કરી હતી. જેના જવાબમાં માત્ર 2 વિકેટના નુકશાને ભારતે આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 75 રન અને વિરાટ કોહલીએ 41 રનની મહત્વની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી અને બ્રેકવેલને 1-1 વિકેટ મળી હતી.
ન્યુઝીલેન્ડની ઈનિંગને 157 રનમાં ઓલઆઉટ કર્યા પછી રોહિત શર્મા અને શિખર ધવને મક્કમ શરૂઆત કરી હતી. જો કે ભારતે રોહિત શર્માના રૂપમાં પહેલી વિકેટ વહેલા ગુમાવી હતી. રોહિત શર્મા માત્ર 11 રનમાં આઉટ થયો હતો, ત્યાર બાદ શિખર અને વિરાટે ભારતને જીત અપાવી. જો કે 156 રને ભારતીય ટીમની ઈનિંગ અટકાવી હતી ત્યારબાદ ડક વર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતની જીત થઈ હતી.
ભારતીય ટીમના જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ સામે ન્યુઝીલેન્ડની ટીમ લાચાર સાબિત થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર વિલિમ્સને હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. વિલિયમ્સન સિવાય કોઈ પણ પ્લેયર ભારતીય બોલિંગનો સામનો કરી શક્યો ન હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ શામીએ 3 વિકેટ , ચહલે 2 વિકેટ , અને કેદાર જાદવે 1 વિકેટ ઝડપી હતી. 75રનની ઈનિંગ સાથે જ શિખર ધવન સૌરવ ગાંગુલીને પાછળ મુકતા બીજો ફાસ્ટેસ્ટ 5,000 રન બનાવનાર ખેલાડી બન્યો છે. શિખર ધવને 118 મેચમાં 5,000 રન પૂરા કર્યા હતાં.
ચહલ મેન ઓફ ધ મેચ અને મહેન્દ્રસિંહ ધોની મેન ઓફ ધ સિરીઝ બન્યા
ભારતની ધમાકેદાર જીત
મેલબોર્નમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ છે. મેચની સાથે ભારતે સિરીઝ પણ જીતી લીધી છે. 231 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી થઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા તુરંત જ આઉટ થતા વિરાટ કોહલી અને ધોનીએ ઈનિંગને મક્કમતાથી આગળ વધારી હતી. જો કે વિરાટ કોહલી 46 રને આઉટ થતા કેદાર જાદવ અને ધોની ભારતને જીત તરફ લઈ ગયા હતા. ટિકાકારોને જવાબ આપતા સતત ત્રીજી વન-ડેમાં ધોનીએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ધોનીએ 87 રનની અને કેદારનાથે 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ત્રીજી અને આખરી વન ડેમાં ચહલના ચમત્કાર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચિત થઈ છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પિટર હેન્ડ્સકોમ્બે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા જ્યારે શૉન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી.
ત્રીજી વન ડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રણ પરિવર્તન કરાયા હતા. સિરાજના બદલે વિજય શંકર, કુલદીપના બદલે ચહલ, સાયદુની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે વન ડે સિરીઝની આ છેલ્લી મેચ રમાઈ. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ પહેસા બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી હતી અને સિરીઝ જીતવા આ મેચ બન્ને ટીમ માટે ફરજિયાત હતી . ભારતે મેચમાં જીત મેળવીને સિરીઝ પર પણ કબજો કર્યો છે.
ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે
ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.
ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.
લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”
ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.
આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.
ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.
અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.