રમત જગત Archives - Page 28 of 45 - CIA Live

February 18, 2020
Womens-T20WC.jpg
1min5380

વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે.

સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

February 17, 2020
ipl2020.jpg
1min5080

આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૩મી સિઝન આગામી ૨૯મી માર્ચે શરૂ થશે. એ પ્રારંભિક દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગયા વર્ષના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રનર-અપ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.

ફ્રૅન્ચાઇઝી-આધારિત આ ઇવેન્ટનો આરંભ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પૂરી થયાના ૧૧ દિવસ બાદ થશે.

આ સ્પર્ધાની છેલ્લી લીગ મૅચ ૧૭મી મેએ રમાશે. એ મૅચ બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાશે. આઇપીએલના સત્તાવાળાઓ નૉકઆઉટ મૅચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરશે. જોકે, ફાઇનલનો દિવસ નક્કી થઈ ગયો છે અને એ ૨૪ મેએ રમાશે.

એકમાત્ર રાજસ્થાન રૉયલ્સને બાદ કરતા બાકીના બધા ફ્રૅન્ચાઇઝીઓએ પોતાનું હોમ-બેઝ અગાઉની જેમ જ રાખ્યું છે. રાજસ્થાન પોતાના નવા ઘરઆંગણાના સ્થળ તરીકે ગુવાહાટી પર કળશ ઢોળવા વિચારે છે. દર વખતની જેમ આ વખતે પણ બપોરની મૅચો ૪.૦૦ વાગ્યે અને રાતની મૅચો ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

વાનખેડેમાં કઈ લીગ મૅચ ક્યારે?

* રવિવાર, ૨૯ માર્ચે મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ

* રવિવાર, ૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ બૅન્ગલોર

* બુધવાર, ૧૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન

* સોમવાર, ૨૦ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ પંજાબ

* મંગળવાર, ૨૮ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ કોલકતા

* શુક્રવાર, ૧ મેએ મુંબઈ વિરુદ્ધ દિલ્હી

* શનિવાર, ૯ મેએ મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદ

હવેથી શનિવારે બે મૅચ નહીં રમાય

આઇપીએલના સત્તાધીશોએ ટુર્નામેન્ટ દરમિયાન દર શનિવારે બે મૅચ રાખવાની પ્રથા કાઢી નાખી છે. પરિણામે, આ વખતથી આઇપીએલનો લીગ રાઉન્ડ અઠવાડિયું વધુ ચાલશે. સામાન્ય રીતે અગાઉ આઇપીએલની સિઝન પ્રારંભિક મૅચથી માંડીને ફાઇનલ સુધી કુલ ૭૬ દિવસ સુધી ચાલતી હતી, પણ હવે ૮૩ દિવસ સુધી ચાલશે.

ક્રિકેટ બોર્ડે ફ્રૅન્ચાઇઝીઓને શનિવારે મૅચોનું લિસ્ટ મોકલવાની સાથે જણાવ્યું હતું કે ‘હવેથી એક દિવસમાં બે મૅચો માત્ર રવિવારે જ રમાશે. અગાઉની માફક શનિવારે બે મૅચ નહીં રમાય.’

February 10, 2020
BangladeshU19team.jpg
1min5280

અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડ કપમાં બંગલાદેશે ભારતને રવિવારે ફાઇનલમાં ૨૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું.

બંગલાદેશ પહેલી જ વાર વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું છે. એને આ વિજયનું સૌથી મોટું ગૌરવ કૅપ્ટન અને વિકેટકીપર અકબર અલી (૭૭ બૉલમાં ૪૩ અણનમ)એ અપાવ્યું હતું.

બંગલાદેશની અન્ડર-૧૯ ટીમ પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી અને ટ્રોફી જીતી ગઈ હતી, જ્યારે અગાઉ ચાર વાર ચૅમ્પિયન બનેલું ભારત સાતમી વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ પાંચમા ટાઇટલથી વંચિત રહ્યું હતું.

ભારતીય ટીમ હરીફોને માત્ર ૧૭૮ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. ટુર્નામેન્ટની ૯ ઓવર બાકી હતી ત્યારે વરસાદ પડ્યો હતો. ત્યારે બંગલાદેશની ટીમ વિજયની દિશામાં અગ્રેસર હતી અને ભારતીય ટીમ બાજી લગભગ ગુમાવી જ બેઠી હતી.

બંગલાદેશની ટીમને વરસાદના ટૂંકા વિઘ્ન બાદ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ મુજબ ૧૭૦ રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો અને ફરી રમત શરૂ થઈ ત્યારે એણે ૩૦ બૉલમાં ફક્ત ૭ રન બનાવવાના હતા જે એણે એકેય વિકેટ ગુમાવ્યા વગર બનાવી લીધા હતા. સ્પર્ધાના અંતે નવા ચૅમ્પિયન બંગલાદેશનો સ્કોર ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન હતો. બંગલાદેશને એક્સ્ટ્રાના ૩૩ રન મળ્યા હતા જે ભારતને ભારે પડ્યા હતા. ભારતીય ફીલ્ડરોએ બેથી ત્રણ કૅચ પણ છોડ્યા હતા.

ભારત વતી સ્પર્ધાના સુપરસ્ટાર ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલે ૧૨૧ બૉલની લાંબી ઇનિંગ્સમાં એક સિક્સર અને આઠ ફોરની મદદથી ૮૮ રન બનાવ્યા હતા જે એળે ગયા હતા.

એ પહેલાં, ભારતની અન્ડર-૧૯ ટીમ ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બૅટિંગ મળ્યા પછી ભારતીય ઓપનરોએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. તેમની બૅટિંગ ધીમી અને સમજદારીભરી હતી. સાતમી ઓવરમાં માત્ર ૯ રન બન્યા હતા ત્યારે દિવ્યાંશ સક્સેનાની વિકેટ પડી હતી. જોકે, સ્પર્ધાના સૌથી સફળ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને તિલક વર્માનો સારો સાથ મળ્યો હતો. ૨૯મી ઓવરમાં ૧૦૩ રનના ટોટલ પર તિલક ૩૮ રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

૧૧૪ રન પર કૅપ્ટન પ્રિયમ ગર્ગની વિકેટ પડી હતી અને ૪૦મી ઓવરમાં ૧૫૬ રનના ટોટલ પર ચોથી વિકેટના રૂપમાં યશસ્વી જૈસવાલ લાંબી ઇનિંગ્સ બાદ ૮૮ રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર પછી ધબડકો થયો હતો અને પછીના ૨૧ રનમાં બાકીની તમામ છ વિકેટ પડી ગઈ હતી.

ટૂંકો સ્કોર

ભારત: ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રને ઑલઆઉટ (યશસ્વી જૈસવાલ ૮૮, તિલક વર્મા ૩૮, ધ્રુવ જુરેલ ૨૨, પ્રિયમ ગર્ગ ૭, દિવ્યાંશ સક્સેના ૨, સિદ્ધેશ વીર ૦, અથર્વ અંકોલેકર ૩, રવિ બિશ્નોઇ ૨, સુશાંત મિશ્રા ૩, કાર્તિક ત્યાગી ૦, આકાશ સિંહ ૧ અણનમ, અવિશેક દાસ ૪૦ રનમાં ત્રણ, શૉરીફુલ ઇસ્લામ ૩૧ રનમાં બે, તેન્ઝિમ હસન સકીબ ૨૮ રનમાં બે અને રકિબુલ હસન ૨૯ રનમાં એક વિકેટ, શમીમ હોસૈન ૩૬ રનમાં અને તૌહિદ રિદય ૧૨ રનમાં એકેય વિકેટ નહીં)

બંગલાદેશ: (નવા લક્ષ્યાંક બાદ) ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન (પરવેઝ એમોન ૪૭, તેન્ઝિદ હસન ૧૭, મહમુદુલ જૉય ૮, તૌહિદ રિદય ૦, શહાદત હોસૈન ૧, અકબર અલી ૪૩ અણનમ, શમીમ હોસૈન ૭, અવિશેક દાસ ૫, રકિબુલ હસન ૯ અણનમ, રવિ બિશ્નોઇ ૩૦ રનમાં ચાર, મિશ્રા પચીસ રનમાં બે અને યશસ્વી ૧૫ રનમાં એક વિકેટ, કાર્તિક ત્યાગી ૩૩ રનમાં તથા આકાશ સિંહ ૩૩ રનમાં, અંકોલેકર ૨૨ રનમાં એકેય વિકેટ નહીં)

February 9, 2020
indiavsnew.jpg
1min4960

ભારતનો શનિવારે અહીં ઈડન પાર્ક ખાતે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૨૨ રનથી પરાજય થતા આયોજક ન્યૂ ઝીલેન્ડની ટીમે ત્રણ મેચભરી શ્રેણી ૨-૦થી જીતી હતી.

ટોસ હારી જવા પછી પહેલા દાવ લેવા આમંત્રાયેલ ન્યૂ ઝીલેન્ડની ટીમે માર્ટિન ગપ્ટિલ અને રોસ ટેલરની વ્યક્તિગત અડધી સદીના બળે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૭૩ રનનો જુમલો ખેડયો હતો અને ત્યાર પછી, કિવી બૉલરોએ ભારતને ૪૮.૩ ઓવરમાં ૨૫૧ રનમાં આઉટ કરી પ્રવાસી ટીમને સતત બીજી મેચમાં પરાજયનો કડવો સ્વાદ ચખાડ્યો હતો. ભારત શ્રેણીની પહેલી મેચ પણ ચાર વિકેટથી હારી ગયું હતું.

ભારતના દાવમાં રવીન્દ્ર જાડેજાનો ૭૩ બોલમાં ૫૫ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ રહ્યો હતો અને શ્રેયસ ઐયરે ૫૭ બોલમાં ૫૨ રન કર્યા હતા.

હેમીશ બાર્નેટ, ટીમ સાઉધી, કીલ જેમીસન અને કોલિન ડી ગ્રેન્ડહોમે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી હાલ પોતાના સારા ફોર્મમાં રમી રહેલા ટેલરે ૭૪ બોલમાં ૭૩ રન કર્યા હતા જે તેની ૫૧મી અડધી સદી હતી અને જેમીસન (૨૫ અણનમ) જોડે નવમી વિકેટે ૫૧ બોલમાં ૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઓપનર ગપ્ટિલે બોલ દીઠ રનના દરે ૭૯ રન કર્યા હતા અને પોતાના સાથી ઓપનિંગ બેટ્સમેન હેનરી નિકોલ્સ (૪૧) જોડે પહેલી વિકેટની ભાગીદારીમાં ૯૩ રનનો ઉમેરો કર્યો હતો.

ભારતનો યુઝવેન્દ્ર ચહલ ૫૮ રનમાં ત્રણ વિકેટ લઈ સૌથી સફળ બૉલર રહ્યો હતો અને શાર્દુલ ઠાકુરે ૬૦ રનમાં બે વિકેટ લીધી હતી.

ભારતે છેલ્લી મેચની પોતાની ટીમમાં બે ફેરફાર કરી નવદીપ સૈની અને ચહલની મોહંમદ શમી અને કુલદીપ યાદવની બદલીમાં પસંદગી કરી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી છ ફૂટ અને આઠ ઈંચની લંબાઈના રાષ્ટ્રના સૌથી લાંબા ક્રિકેટર જેમીસને પોતાનો વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કરવા સાથે મેન ઑફ ધ મેચનો એવૉર્ડ જીત્યો હતો. તેણે ઈશ સોઢીનું ટીમમાં સ્થાન લીધું હતું અને માર્ક ચેપમેનની મિચેલ સેન્ટનરની બદલીમાં પસંદગી કરાઈ હતી.

ન્યૂ ઝીલેન્ડે આ સફળતા સાથે ગયા વર્ષે માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમી-ફાઈનલથી શરૂ થયેલી વન-ડે મેચોના વિજયની હેટ-ટ્રિક કરી હતી અને પોતાના નિયમિત સુકાની કેન વિલિયમસન તથા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા ટોચના બૉલરોની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલો આ વિજય વધુ પ્રશંસાને પાત્ર હતો.

February 4, 2020
indvspak.jpg
1min5190

ચાર વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમ અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં સતત ત્રીજીવાર પહોંચવા માટે આજે 4 February મંગળવારે સેમિ ફાઇનલમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. બન્ને ટીમ અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. અન્ડર-19 વર્લ્ડ કપના આ મુકાબલાને સૌથી હાઇ વોલ્ટેજ માનવામાં આવે છે. બન્ને ટીમ ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. જે ટીમ મેદાન પર દબાણમાં આવ્યા વિના શાનદાર દેખાવ કરશે તેને ફાઇનલ નસીબ થશે.

મેચનો પ્રારંભ મંગળવારે બપોરે 1-30થી થશે. જેનું લાઇવ ટેલિકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર થશે.

ભારતીય યુવા ટીમ આ પહેલા ગત સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને હાર આપી ચૂકી છે. આથી અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ પ્રિયમ ગર્ગના સુકાનીપદ હેઠળની ભારતીય યુવા ક્રિકેટ ટીમનો હાથ ઉપર રહેશે તેવું માનવમાં આવી રહ્યંy છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને અને પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હાર આપીને સેમિમાં પહોંચી છે. ભારતના કાર્તિક ત્યાગી અને આકાશસિંઘ શાનદાર ફોર્મમાં છે. બીજી તરફ પાક.ની બોલિંગ ધાર વધુ મજબૂત છે. આવતીકાલે રમાનાર આ સેમિ ફાઇનલના મેચમાં વરસાદ વિઘ્ન સર્જી શકે છે. આથી ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.

January 31, 2020
indiavsnew.jpg
2min5180

વર્તમાન શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવામાં અજમાયશ કરવાના મોકો ઊભા થયા છે, પણ ન્યૂ ઝીલેન્ડ સામે શુક્રવારે અહીં રમાનારી ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તેની વિજયકૂચમાં કોઈ ઢીલ કરશે નહીં.

મોહમદ શમી અને રોહિત શર્માએ ભારતને બુધવારે સીડોન પાર્ક ખાતેની ત્રીજી ટી-૨૦ મેચમાં સુપર ઓવર મારફતે વિજય મેળવી આપી ૩-૦થી સરસાઈ અપાવવા સાથે ન્યૂ ઝીલેન્ડની ભૂમિ પર પ્રથમ વેળા ટી-૨૦ શ્રેણી જિતાડી હતી અને શ્રેણીની છેલ્લી બે મેચ હવે આગામી ત્રણ દિવસના સમયમાં શુક્રવારે વેલિંગ્ટન અને રવિવારે માઇન્ટ મોન્ગેન્યુ ખાતે રમાનાર છે.

બંને ટીમે હેમિલ્ટનથી વેલિંગ્ટન પહોંચવા ગુરુવારે મુસાફરી કરી હતી અને શ્રેણીની આખરી મેચ માટે પણ આવો જ શ્રમભર્યો કાર્યક્રમ હોવાથી ખેલાડીઓને નેટ-પ્રેક્ટિસ કરવાનો મોકો રહેતો નથી.

પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ભાગ્યે જ રમાતી હોવાથી તેમાં ભારતની ટીમની વહેલી સફળતાના કારણે હવે બંને ટીમને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેટલીક અજમાયશ કરવાની પૂરતી તક મળી રહેશે.

આઈ. સી. સી. ટી-૨૦ વર્લ્ડ કપનું ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થનાર છે.

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે આ ટી-૨૦ શ્રેણીમાં ન્યૂ ઝીલેન્ડની ટીમનો સંપૂર્ણપણે રકાસ કરવાનો અને નવો ઈતિહાસ સર્જવાનો મોકો રહેલો છે.

જોકે, ભારતને વિજયી ટીમના સંગઠનમાં ફેરફાર કરવાની બહુ જરૂર નથી અને બૅટિંગ તથા બૉલિંગ વિભાગમાં અમુક સ્થાન માટે થોડા ઉમેદવારના દાવા હોવા છતાં, બહુ અજમાયશ અસ્થાને હશે.

સંજુ સેમસન અને રિષભ પંત તકની રાહ જોઈ રહ્યા છે કે જેમાં સેમસનની રમવાની આશા કરાય છે, પણ પંતની પસંદગી કયા બેટ્સમેનને બાકાત રાખવામાં અને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં ચાલુ રાખવો કે નહીં તેના પર આધારિત છે.

ભારતના ટોચના ત્રણ બેટ્સમેનની પસંદગી આપોઆપ થઈ શકે છે તથા શ્રેયસ ઐયર હાલ તેના ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે અને તે પોતાના માટે બૅટિંગમાં ચોથો ક્રમ નક્કી દઈ શકે છે. મનીષ પાંડે તથા શિવમ દુબેને પણ વધુ મેચના અનુભવની આવશ્યક્તા છે.

આગામી બે મેચમાં ભારતના ટોચના ચારમાંથી કોઈપણ બેટ્સમેનને આરામ આપી શકાય છે અને કોહલી તથા રોહિતને આરામ આપવા વેલિંગ્ટન અને મોનગેન્યુમાં વારાફરતી બાકાત રાખવાની કલ્પના કરવી પણ અસ્થાને નથી. આવી યોજનામાં યુવાન ખેલાડીઓને રમવાનો વધુ અનુભવ પ્રાપ્ત થવા ઉપરાંત, તેઓ ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરવાનો પ્રયાસ કરી શકશે.

જોકે, બૉલિંગ વિભાગમાં ફેરફાર કરાવાની આશા કરી શકાય છે. વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની રમવાના મોકાની રાહ જોઈ રહ્યા છે, પણ ત્રણેને તુરતમાં રમવાની સંભાવના નથી. ભારતની ટીમના સત્તાવાળા સ્પિનર અને ફાસ્ટ બૉલરને વારાફરતી રમાડવાની યોજના ઘડી શકે છે.

ઑસ્ટ્રેલિયા મધ્યેના મોટા કદના મેદાનો પર સુંદર ભારતીય કેપ્ટન કોહલીની નવા બોલ માટેની યોજનાનો હિસ્સો છે જેથી તે આગામી બે મેચમાં રમવાનો મોકો મેળવી શકે છે. વધુમાં સુંદરની પસંદગી ટીમને બૅટિંગ વિભાગમાં પણ નીચલા ક્રમે કામ આવી શકતી હોવાથી સૈનીને શાર્દુલ ઠાકુરની બદલીમાં રમાડી શકાશે.

આખરી સવાલ જસપ્રીત બુમરાહના સમાવેશનો છે. હેમિલ્ટનમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હોવામાં તેની પર રહેતો ટીમની બૉલિંગના શ્રમનો વિચાર કરી શકાય છે. ભારતની ટેસ્ટ અને વન-ડે મેચોની ટીમોનો તે મુખ્ય હિસ્સો છે તથા આ વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ તેની ગણના કરાઈ રહી છે.

ભારતની ટીમમાં હાલ ઈજાની કોઈ સમસ્યા ન હોવા છતાં, સત્તાવાળાઓએ તેને બિનમહત્ત્વપૂર્ણ મેચોમાં રમાડવાનું વધુ પડતું જોખમ ન ખેડવું જોઈએ.

ન્યૂ ઝીલેન્ડની ટીમમાં કોલિન ડી ગ્રેન્ડહોમની બદલીમાં ટોમ બ્રુસને સ્થાન મળ્યું છે.

ટીમમાં એવો વિચાર પણ પ્રસરી રહ્યો છે કે કેપ્ટન કેન વિલિયમસને બૅટિંગ ક્રમમાં બઢતી મેળવી રમવા આવવું જોઈએ. હેમિલ્ટન ખાતેની ટી-૨૦ મેચમાં તેની બૅટિંગના આધારે તેની માર્ટિન ગપ્ટિલની જોડીમાં ઓપનિંગમાં રમવાની તેની ટીમની આવશ્યક્તા છે અને કોલિન મનરો નીચે સરકી શકે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ (વિકેટકીપર), મનીષ પાંડે, રિષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર.

ન્યૂ ઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કેજલેજિન, કોલિન મનરો, ટોમ બ્રુસ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, ટીમ સીફર્ટ (વિકેટકીપર), હેમીશ બેનેટ, ઈશ સોઢી, ટીમ સાઉધી, બ્લેર ટિકનેર.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યે.

January 29, 2020
indiavsnew.jpg
1min5320

ભારતીય ટીમ આજરોજ બુધવાર તા.29મી જાન્યુઆરી 2020ના રોજ રમાનાર ત્રીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડમાં જીત સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ઇતિહાસની પહેલી ટી-20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાને પડશે.

ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલા પહેલા બે ટી-20 મેચમાં ક્રમશ: 6 અને 7 વિકેટે આસાન જીત નોંધાવી હતી. કોહલીની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

સેદન પાર્કમાં આજે તા.29ને બુધવારે ત્રીજો મેચ રમાવાનો છે. જ્યાં ભારતને કિવિઝ ધરતી પર પહેલી ટી-20 શ્રેણી જીતવાની તક છે. બીજી તરફ’ કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા આવતીકાલના મેચમાં જીત માટે કરો યા મરો કરશે. આ ટીમ સફળ વાપસી માટે જાણીતી છે. આથી ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. મેચ ભારતીય સમય અનુસાર 12-30થી શરૂ થશે.

કોહલીના સફળ સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. 2019ના વન ડે વિશ્વ કપ બાદ તેણે જે પાંચ ટી-20 શ્રેણી રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં આ વર્તમાન સિરિઝ પણ સામેલ છે. આ દરમિયાન ફકત આફ્રિકા સામે શ્રેણી જીતી ન હતી. જે 1-1ની બરાબરી પર રહી હતી. જો કે આ ફોર્મેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઇન્ડિયાની રેન્કિંગમાં ખાસ બદલાવ થયો નથી. ટી-20માં હાલ ભારત ટીમ ક્રમાંકમાં પાંચમા સ્થાને છે. ચોથા સ્થાને પહોંચવા વર્તમાન સિરિઝ પ-0થી જીતવી પડે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. જયારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ભારતથી આગળ છે. બધાની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર છે. ટીમ ઇન્ડિયા પણ આઇસીસીની આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય સંયોજન તૈયાર કરી રહયું છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું ફોર્મ ટીમની પ્લસ નિશાની છે.

ત્રીજી મેચમાં ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારની શકયતા નહીંવત છે. કદાચ શાર્દુલ ઠાકુરના સ્થાને નવદિપ સૈનીને તક મળી શકે છે. ટીમ સંયોજનના હિસાબે ઋષભ પંતને ફરી ડગ હાઉસમાં બેસવાનો વારો આવી શકે છે. ઓકલેન્ડનું મેદાન નાનુ હોવાથી કુલદિપને તક મળી ન હતી. તેના સ્થાને રમેલ ચહલે સારી બોલિંગ કરી છે. આથી તે ઇલેવનમાં ટકી રહેશે.

January 27, 2020
kobe.jpg
1min5800

રિટાયર્ડ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયંટ(41)નું રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યું હતું. કેલિફોર્નિયાના કેલાબેસસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે હેલિકોપ્ટરમાં બેઠેલું કોઈ બચી શક્યું નહીં. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રમ્યો હતો અને 5 ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. તેના મોતથી ખેલાડીના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

લોસ એન્જલસથી લગભગ 65 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ કોબીનું પ્રાઈવેટ હેલિકોપ્ટર હતું. કહેવાય છે કે હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે જ આગ લાગી ગઈ હતી અને પછી તે ચક્કર ખાતા નીચે પડી ગયું હતું. ક્રેશના કારણે નીચે જંગલી વિસ્તારમાં પણ આગ લાગી ગઈ હતી જેથી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સુધી પહોંચવામાં બચાવ દળને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી.

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ સિકોરસ્કાઈ એસ-76 કરી છે. બ્રાયન કોબી લોસ એન્જલસ લેકર્સના સ્ટાર પ્લેયર હતા તે સમયે પણ પોતે ગમે ત્યાં જાય હેલિકોપ્ટર મારફત જ જતા હતા. પોતાની 20 વર્ષની કરિયરમાં બ્રાયન કોબી 18 વાર NBA ઓલસ્ટાર રહ્યા. કોબીની પાછળ હવે તેમની પત્ની અને ચાર દીકરીઓ પરિવારમાં છે.

January 26, 2020
India-vs-New-Zealand.jpg
1min5430

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.

પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.

ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.

આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.

બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.

January 24, 2020
shreyas.jpg
1min6880

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે. ઓપનર કે એલ રાહુલની ઝડપી અડધી સદીની મદદથી ભારતને મજબૂત સ્ટાર્ટ મળ્યું હતું. રોહિત શર્મા સાત રન બનાવીને ભારતને આઉટ થઈ જતા ભારતીય ટીમને પ્રથમ ઝટકો વહેલો લાગ્યો હતો અને ન્યૂઝીલેન્ડના તોતિંગ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ જણાતો હતો. કેપ્ટન વિરાટ કોહલીની 32 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ્સ અને શ્રેયસ ઐયરના 58 રનની મદદથી ભારતે એક ઓવર બાકી હતી ત્યારે જ આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબેએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.

204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માના રૂપે પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 16 રન હતા ત્યારે રોહિત સેંટનરની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. જો કે વનડાઉન બેટિંગમાં ઉતરેલા કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કે એલ રાહુલની જોડીએ 101 રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ઐયર અને મનિષ પાંડે (14) અણનમ રહીને ભારતને 19મી ઓવરમાં જીત અપાવી હતી. ઐયરની ટી20 ઈન્ટરનેશનલમાં પ્રથમ અડધી સદી રહી છે. ભારતને જીત માટે અંતિમ બે ઓવરમાં 18 રનની જરૂત હતી અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉધીએ 19મી ઓવર લીધી હતી. શ્રેયસ ઐયરે સાઉધીની ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે