દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ખબર મળી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ગંભીર હાલતમાંથી બહાર આવી ગયા છે. તેમના હોસ્પિટલમાં એડમિટ થયા હોવાની ખબર મળતા જ વિરાટ કોહલી, સચિન તેડૂંલકર, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે તથા સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
Praying for your speedy recovery. ???????? Get well soon paaji. @therealkapildev
યુએઇમાં રમાઇ રહેલ આઇપીએલમાં ભારત સહિત દુનિયાભરના દિગ્ગજ ક્રિકેટરો ભાગ લઇ રહ્યા છે. દુનિયાની સૌથી અમીર આ ટી-20 ક્રિકેટ લીગ પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ની ચાંપતી નજર છે. નાડા દ્રારા ગઇકાલથી આઇપીએલમાં રમી રહેલા ખેલાડીઓના નમૂના લેવાનું શરૂ થઇ ચૂક્યું છે. નાડાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
નાડાએ જણાવ્યું હતું કે યુએઇમાં રમાઇ રહેલ આઇપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓના ડોપ ટેસ્ટ શરૂ કરાયા છે. આ માટે અમારા નિષ્ણાત કર્મચારીએ યુએઇમાં કાર્યરત છે. નાડાના મહાનિર્દેશક નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને વિદેશના ખેલાડીઓના ડોપ ટેસ્ટ કરવામાં આવશે. નાડા અને બીસીસીઆઇ વચ્ચે ક્રિકેટરોના ડ્રોપ ટેસ્ટ કરવાનો લાંબા વિવાદ બાદ આ વર્ષના પ્રારંભે સમજૂતી કરાર થયો છે.
રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.
224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.
તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.
સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.
અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.
બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.
રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
IPL2020ના પ્રારંભિક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે આસાનીથી હરાવીને લીગમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈ તરફથી મળેલા 163 રનના ટાર્ગેટને ચેન્નઈએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. CSK માટે અંબાતી રાયુડૂએ શાનદાર 71 રનની ઈનિંગ રમી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસે પણ અણનમ 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ રીતે ચેન્નઈએ 2019ની IPL ફાઈનલમાં મુંબઈ સામે મળેલી હારનો પણ બદલો લીધો.
163 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચેન્નઈએ પ્રથમ બે ઓવરમાં જ બંને ઓપનર શેન વોટસન (4) અને મુરલી વિજય (1)ને ગુમાવી દીધા હતા. આ સમયે ટીમનો સ્કોર માત્ર છ રન હતો. બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડૂએ મળીને ટીમની ઈનિંગને સંભાળી લીધી હતી. બંનેએ ક્રિઝ પર ટકવાની સાથે-સાથે ઝડપથી રન પણ બનાવવ્યા હતા. અંબાતીએ 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 જ્યારે ડુ પ્લેસિસે 44 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 14 ઓવરમાં 115 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયૂડૂના આઉટ થયા બાદ બે વિકેટો જલ્દી પડી જતા ટીમ થોડી મુશ્કેલીમાં દેખાઈ પણ ટાર્ગેટ એટલો મોટો ન હોવાથી તેને વધારે તકલીફ પડી નહોતી.
અગાઉ ટૉસ જીતીને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈની શરૂઆત સારી રહી હતી પરંતુ સળંગ બે ઓવરમાં ટીમે રોહિત શર્મા અને ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 12 રન નોંધાવ્યા હતા જ્યારે ક્વિન્ટન ડી કોકે 20 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. જોકે, સૌરભ તિવારીએ આક્રમક બેટિંગની કરીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. તિવારીએ 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી.
જોકે, બાદમાં રવીન્દ્ર જાડેજા અને એનગિડીએ તરખાટ મચાવી દીધો હતો. જાડેજાએ સૌરભ તિવારીને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાને પણ સસ્તામાં આઉટ કરી દીધો હતો. હાર્દિકે 14 રન ફટકાર્યા હતા. જ્યારે એનગિડીએ કેઈરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા અને જેમ્સ પેટ્ટિનસનને પેલેલિયન ભેગા કરી દીધા હતા અને અંતિમ ઓવર્સમાં મુંબઈની રન ગતિ પર બ્રેક લગાવી હતી. ચેન્નઈ માટે એનગિડીએ ત્રણ તથા જાડેજા અને દીપક ચાહરે બે-બે વિકેટ ઝડપી હતી.
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.
53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.
આર્જેન્ટિના અને બાર્સિલોના કલબના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ કમાણીના મામલે ફરી એકવાર તેના નજીકના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સની 2020ની સૌથી વધુ કમાણી કરતા ફૂટબોલ ખેલાડીઓની સૂચિમાં મેસ્સી 126 મિલિયન ડોલર (927.પ કરોડ રૂપિયા) સાથે ટોચ પર છે. મેસ્સીએ પોર્ટૂગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બ્રાઝિલના નેમાર સહિતના તમામ સ્ટાર ફૂટબોલરોને પાછળ રાખીને સતત બીજા વર્ષે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. બાર્સિલોના કલબના કેપ્ટન લિયોનલ મેસ્સીએ 92 મિલિયન ડોલર (677 કરોડ)થી વધુની કમાણી સેલેરીથી કરી છે. જ્યારે 34 મિલિયન ડોલર (2પ0 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટથી મેળવ્યા છે. તે 2019માં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલ ખેલાડી હતો. મેસ્સી બાદ બીજા નંબર પર પોર્ટૂગલ અને યુવેટન્સનો ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેની વર્ષ 2020ની કમાણી 117 મિલિયન ડોલર (861 કરોડ રૂપિયાથી વધુ) છે. જેમાં 70 મિલિયન ડોલર (પ1પ.3 કરોડ રૂપિયા) સેલેરીમાંથી મળ્યા છે. જ્યારે 47 મિલિયન ડોલર (34પ કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ત્રીજા નંબર પર બ્રાઝિલ અને પેરિસ સેન્ટ જર્મન કલબનો ખેલાડી નેમાર છે. તેની કમાણી 96 મિલિયન ડોલર (706 કરોડ રૂપિયા) છે. જેમાં 78 મિલિયન ડોલર (પ74 કરોડ રૂપિયાથી વધુ) સેલેરીના છે. જ્યારે 18 મિલિયન ડોલર (132 કરોડ) એન્ડોર્સમેન્ટના છે. ફીફા વર્લ્ડ કપમાં ચમત્કારિક દેખાવ કરનાર ફ્રાંસનો ખેલાડી કિલિયન એમ્બાપે ફોર્બ્સની આ સૂચિમાં ચોથા સ્થાને છે. તેની 2020ની કમાણી 42 મિલિયન ડોલર(309 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. જેમાં 28 મિલિયન ડોલર (206 કરોડ) સેલેરીના છે અને 14 મિલિયન (103 કરોડ રૂપિયાથી વધુ) એન્ડોર્સમેન્ટના છે. ઇજીપ્તનો મોહમ્મદ સલાહ 37 મિલિયન ડોલર (272 કરોડ) સાથે પાંચમા નંબર પર છે. આ ઉપરાંત ટોપ ટેનમાં ફ્રાંસનો પોલ પોગ્બા છઠ્ઠા, બાર્સિલોનાનો એટોઇનો ગ્રીજમેન સાતમા, રિયાલ મેડ્રિડનો વાલે ગારેથ બેલ આઠમા, બાર્યન મ્યુનિચનો સ્ટ્રાઇકર રોબર્ટ લેવન્ડોસ્કી નવમા અને માંચેસ્ટર યૂનાઇટેડનો ડેવિડ ડિ ગિયા દસમા સ્થાને છે.
નેશન્સ લીગમાં ગઇકાલે પોર્ટૂગલ અને સ્વીડન વચ્ચે મેચ રમાયો હતો. આ મેચ દરમિયાન સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ તેની કેરિયરનો 100મો ઇન્ટરનેશનલ ગોલ કર્યોં હતો. પોર્ટૂગલે આ મેચ 2-0થી જીત્યો હતો. બન્ને ગોલ રોનાલ્ડોએ જ કર્યાં હતા. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં 100 ગોલના આંકડાને સ્પર્શનાર રોનાલ્ડો વિશ્વનો ફકત બીજો જ ખેલાડી છે. આ પહેલા આવી સિધ્ધિ ઇરાનના ખેલાડી અલી દેઇએ મેળવી છે. તેના નામે 109 ઇન્ટરનેશનલ ગોલ છે. 3પ વર્ષીય રોનાલ્ડોએ તેની ઇન્ટરનેશનલ કેરિયરનો પહેલો ગોલ 2004માં કર્યોં હતો. હવે તેના ખાતામાં 101 ઇન્ટરનેશનલ ગોલ થયા છે. સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલ મામલે ત્રીજા સ્થાને મલેશિયાનો ખેલાડી મોરતાર દહારી છે. તેના નામે 86 ગોલ છે. આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસ્સીના નામે 70 ઇન્ટરનેશનલ ગોલ છે અને 1પમા સ્થાને છે. આ સૂચિમાં ભારતનો સુનિલ છેત્રી 72 ગોલ સાથે સંયુકત રીતે 10મા ક્રમે છે.
શ્રીલંકાનો દિગ્ગજ ઝડપી બોલર લાસિથ મલિંગા અંગત કારણોસરનો હવાલો આપીને આઇપીએલ-2020ની યૂએઇમાં રમાનાર સિઝનમાંથી ખસી ગયો છે. ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે મલિંગાના સ્થાને તેની ટીમમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનનો સમાવેશ કર્યાંની આજે જાહેરાત કરી છે.
મલિંગાએ આજે જણાવ્યું કે અંગત કારણોસર હું આઇપીએલની વર્તમાન સિઝનમાંથી ખસી રહ્યો છું. રિપોર્ટ અનુસાર કોરોના મહામારીને લીધે તેણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.’ મલિંગા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સનો મહત્વનો બોલર બની રહ્યો છે. તેણે ગત શુક્રવારે 37મો જન્મદિન મનાવ્યો હતો. તેણે આઇપીએલમાં 122 મેચમાં 170 વિકેટ લીધી છે. પાછલી સિઝનમાં તેના નામે 12 મેચમાં 16 વિકેટ હતી.
દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.
ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.
હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.
મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.
આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ
યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.