રમત જગત Archives - Page 17 of 45 - CIA Live

September 18, 2021
engpak.jpg
1min595
PAK vs NZ: New Zealand Pull Out of Pakistan Limited-Overs Tour Over  "Security Alert" Just Before 1st ODI | Cricket News

સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.

ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.

ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.

September 10, 2021
indiavsengland.jpeg
1min411

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ ટેસ્ટ મેચની શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ તા.10 સપ્ટેમ્બરને શુક્રવારથી બપોરે 3:30 (ભારતીય સમય) કલાકથી માંચેસ્ટરમાં રમાશે. શ્રેણીમાં ર-1થી સરસાઈ મેળવનાર ટીમ ઈન્ડિયા શ્રેણી કબ્જે કરવાના ઈરાદે ઉતરશે તો ઈંગ્લીશ ટીમ શ્રેણી પરાજયને ટાળવાના દબાણ હેઠળ રમશે. ભારતીય ટીમમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાંચમો ટેસ્ટ રમાવા અંગે શંકા વ્યક્ત કરાઈ હતી જો કે હજુ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે છેલ્લા ટેસ્ટ માટે ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ જાહેર થયો છે. જો કે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઈજાનો સામનો કરી રહ્યો હોવાથી તેમના રમવા અંગે સસ્પેન્સ છવાયું છે.

September 7, 2021
england.jpg
1min407

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટમાં ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો. ભારતે ઓવલ મેદાન પર પચાસ વર્ષ પછી વિજય મેળવ્યો છે.

ફાસ્ટબૉલર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડની ટીમના મધ્યમક્રમના બૅટ્સમેનોને પેવેલિયનભેગા કરીને ભારતનો વિજય નિશ્ર્ચિત કરી લીધો હતો. બીજી ઈનિગ્સમાં ૧૨૭ રન કરનારા રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. ૩૬૮ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ઈંગ્લૅન્ડની ટીમ ૯૨.૨ ઑવરમાં ૨૧૦ રન બનાવીને પૅવેલિયનભેગી થઈ જતા ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો.

ઈંગ્લૅન્ડની ટીમના બે વિકેટે ૧૩૨ રન થયા હતા અને મૅચનું પલડું કઈ બાજુએ નમશે તે કળી 
શકાતું નહોતું. જોકે, ત્યાર બાદ બુમરાહ અને જાડેજાની બૉલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર ૬૨ રનમાં વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ઑલી પૉપે (બે રન) અને જૉની બૅરિસ્ટો (શૂન્ય રન)ની વિકેટ તો જાડેજાએ હાસિબ હમીદ (૬૩ રન) અને મોઈન અલી (શૂન્ય રન)ની વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે જૉ રૂટ (૩૬ રન)ની ચાવીરૂપ વિકેટ ઝડપી હતી. 
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસન (બે રન)ની વિકેટ ઝડપી હતી. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪.૧ ઑવરમાં આઠ વિકેટે ૧૯૩ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ભારત વતી ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહ ૨૭ રનમાં બે, રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં બે અને શાર્દૂલ ઠાકુરે બાવીસ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લૅન્ડ વતી બર્ન્સ (૫૦ રન), હાસિબ હમીદ (૬૩ રન), ડૅવિડ માલન (પાંચ રન), જૉ રૂટ (૩૬ રન), ઑલી પૉપે (બે રન), જૉની બૅરિસ્ટો (શૂન્ય રન), મોઈન અલી (શૂન્ય રન), વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન), ઑલી રૉબિન્સન (અણનમ ૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસને બે રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટૅસ્ટ માન્ચેસ્ટર ખાતે ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે.

September 6, 2021
indiavseng.jpg
1min342

ડીપ મીડલ ઓર્ડર બેટસમેનોના શાનદાર દેખાવને લીધે ભારતે ચોથા ટેસ્ટમાં વર્ચસ્વ જમાવીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું છે. આજે મેચના ચોથા દિવસે ભારતનો બીજો દાવ 466 રને સમાપ્ત થયો હતો. આથી ઇંગ્લેન્ડને જીત માટે મુશ્કેલ 368 રનનું લક્ષ્યાંક મળ્યું છે.

આજે ભારત તરફથી છૂપા રૂસ્તમ શાર્દુલ ઠાકુર (60) અને વિકેટકીપર ઋષભ પંત (50)એ આકર્ષક અર્ધસદી ફટકારી હતી. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં અતિ મહત્વની 100 રનની ભાગીદારી થઇ હતી. આથી ભારત બીજા દાવમાં 466 રનનો સંગીન સ્કોર કરીને ઇંગ્લેન્ડથી 367 રને આગળ થયું હતું. ભારતનો નવેમ્બર-2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં 400 પ્લસ સ્કોર પહેલીવાર થયો છે.

પહેલા દાવમાં આતશી અર્ધસદી કરનાર નવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે બીજા દાવમાં પણ શાનદાર બેટિંગનો નજારો રજૂ કરીને અંગ્રેજ બોલરોની ધોલાઇ કરી હતી. ઠાકુરે 72 દડામાં 7 ચોકકા-1 છકકાથી સંગીન 60 રન કર્યા હતા. તો શ્રેણીમાં અત્યાર સુધી ફલોપ રહેનાર ઋષભ પંતે પણ અંતે હિર ઝળકાવ્યું હતું અને 106 દડામાં 4 ચોકકાથી પ0 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. આ બન્નેએ 100 રનની ભાગીદારી સાતમી વિકેટમાં કરીને ટીમ ઇન્ડિયાને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધી હતી. આ ઉપરાંત બુમરાહ (24) અને ઉમેશ (25) વચ્ચે નવમી વિકેટમાં 36 રનની ભાગીદારી થઇ હતી. ચાના સમય બાદ ભારત 148.2 ઓવરમાં 466 રને ઓલઆઉટ થયું હતું.

આ પહેલા આજે ચોથા દિવસે લંચ પહેલા કેપ્ટન કોહલી 44, રવીન્દ્ર 17 અને આઉટ ઓફ ફોર્મ રહાણે ઝીરોમાં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોકસે 3 અને રોબિન્સન-મોઇને 2-2 વિકેટ લીધી હતી.

September 3, 2021
Ind-vs-Eng.jpg
1min402

અહીં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટના બીજે દિવસે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪ ઑવરમાં ૨૯૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ઈંગ્લૅન્ડની ટીમે ભારત પર ૯૯ રનની બઢત મેળવી લીધી હતી. 

ઈંગ્લૅન્ડની ટીમ વતી ૮૧ રન બનાવી પૉપ ટોપ સ્કૉરર રહ્યો હતો. 
વૉક્સે પચાસ રન બનાવ્યા હતા. મોઈન અલીએ ૩૫ રન અને જૉન બૅરિસ્ટોએ ૩૭ રન બનાવ્યા હતા. 

અગાઉ બીજે દિવસે ચાના સમયે ઑલી પૉપેના અણનમ ૭૪ રનની મદદથી ઈંગ્લૅન્ડની ટીમે સાત વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા.  અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની અડધી સદીની મદદથી ૧૯૧ રન બનાવ્યા હતા. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમે ૩૬ રનની બઢત મેળવી લીધી હતી. એક સમયે ઈંગ્લૅન્ડની ટીમ પાંચ વિકેટે ૬૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. પૉપે અને જૉની બૅરિસ્ટો (૩૯ રન)એ ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભોજનના સમયે ઈંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.  ત્યાર બાદ પૉપે સાથે મોઈન અલી જોડાયો હતો અને બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૧ રન નોંધાવ્યા હતા. 
ભારત વતી ઉમેશ યાદવે ૭૬ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહે ૬૭ રનમાં બે વિકેટ, શાર્દૂલ ઠાકુરે ૫૪ રનમાં એક, મોહમ્મદ સિરાજે ૪૨ રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

રમતના પ્રથમ કલાકમાં ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. દિવસની પ્રથમ જ ઑવરમાં વિકેટ ઝડપી ઉમેશ યાદવે કારકિર્દીની ૧૫૦મી વિકેટ ઝડપી હતી.

India Vs England ચોથી ટૅસ્ટ: ભારત ઑલઆઉટ @191

લંડન રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેથી ચોથી ટૅસ્ટના પહેલા દિવસે ભારતની ટીમ ૬૧.૩ ઑવરમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

અગાઉ ચાના સમયે ભારતની ટીમ છ વિકેટે ૧૨૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ઈંગ્લૅન્ડના ફાસ્ટબૉલરો અને સ્વિન્ગ સામે ભારતીય ટીમ રીતસર  ઘૂંટણીયે પડી ગઈ હતી. 
ચાના સમયે રિષભ પંત (૪ રન) અને શાર્દૂલ ઠાકુર (૪ રન) બનાવીને રમતમાં હતા. 

ભારત વતી રોહિત શર્મા (૧૧ રન), કે. એલ. રાહુલ (૧૭ રન), ચેતેશ્ર્વર પૂજારા (૪ રન), વિરાટ કોહલી (૫૦ રન), રવીન્દ્ર જાડેજા (૧૦ રન) અને અજિંક્ય ર્હાણેએ (૧૪ રન), રિષભ પંત ( નવ રન), ઉમેશ યાદવ (૧૦ રન), મોહમ્મદ સિરાજ અણનમ એક રન અને શાર્દૂલે (૫૭ રન) બનાવ્યા હતા. 

ઈંગ્લૅન્ડ વતી જૅમ્સ ઍન્ડરસને ૪૧ રનમાં એક, ઑલી રૉબિનસને ૩૮ રનમાં ત્રણ, ક્રિસ વૉક્સે પંચાવન રનમાં ચાર અને ક્રૅગ ઑવરટને ૪૯ રનમાં એક વિકેટ ઝડપી હતી.

September 2, 2021
indiavseng.jpg
1min452

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા.ર સપ્ટે.ને ગુરુવારે બપોરે 3:30 કલાક (ભારતીય સમય મુજબ) થી લંડનના ઓવલમાં ચોથો ટેસ્ટ મેચ રમાશે. બન્ને ટીમ એકબીજા પર સરસાઈ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. લીડ્સમાં ઘોર પરાજય બાદ ટીમ ઇન્ડિયા પ્રદર્શન સુધારવા પ્લેઇંગ ઇલેવનમાં 3 મહત્ત્વના બદલાવ કરી શકે છે.

પ ટેસ્ટની શ્રેણીમાં પહેલો ટેસ્ટ ડ્રો ગયા બાદ ભારતે લોર્ડસ ટેસ્ટ જીતી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે જોરદાર પુનરાગમન કરતાં શ્રેણી 1-1થી સરભર કરી છે. ઓવલમાં બન્ને ટીમ લીડ મેળવવાના દબાણ હેઠળ રહેશે. ભારત માટે મુખ્ય સમસ્યા આઉટ ઓફ ફોર્મ મીડલ ઓર્ડરની છે. રવીન્દ્ર જાડેજા ઈજાથી ઉભર્યો નહીં હોય તો તેનાં સ્થાને સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. લાંબા સમયથી ફલોપ રહેલા ઉપકપ્તાન અજિંક્ય રહાણેને ચોથા ટેસ્ટમાં ટીમમાંથી બહાર બેસાડવામાં આવી શકે છે.

ચેતેશ્વર પુજારાના ખભ્ભા પર મહત્ત્વની જવાબદારી રહેશે. રહાણેને બહાર કરાયો તો સૂર્યકુમાર યાદવ જેવા આક્રમક ખેલાડી અથવા હનુમા વિહારી જેવા પારંપરિક ખેલાડીને મીડલ ઓર્ડર મજબૂત કરવા તક આપવામાં આવી શકે છે. વિહારી બેટિંગ સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે. ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને શાર્દુલ ઠાકુરના સમાવેશની સંભાવના છે. વધારાના બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા પૂર્વ સિનિયર ખેલાડીઓની સલાહને અવગણી કોહલી પ સ્પેશિયલ બોલરો સાથે ઉતરવા મક્કમ રહ્યો છે.

સંભવિત ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મો.શમી, જસપ્રીત બુમરાહ, મો.સિરાજ

August 29, 2021
bhavina.jpg
1min485

ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

August 25, 2021
indiavsenglandt20.jpg
1min423

15/8/2021 બુધવારથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-0ના અપરાજીત સરસાઇના લક્ષ્ય સાથે મેદાને પડશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.

ઇંગ્લેન્ડનો ઇરાદો પલટવાર કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવવાનો રહેશે. ત્રીજા ટેસ્ટ માટે રાહતની વાત એ છે કે અહીં વરસાદની શકયતા ઓછી છે. આથી ચોથા અને પાંચમા દિવસે હેડિંગ્લેની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે.

ભારતીય ઇલેવનમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને તક મળી શકે છે. જે બેટિંગમાં તો શાનદાર દેખાવ કરી રહ્યો છે, પણ બન્ને ટેસ્ટમાં તેના ખાતામાં એક પણ વિકેટ નથી. ત્રીજો ટેસ્ટ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.

August 11, 2021
phoghat.jpg
1min439

ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.

વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.

August 11, 2021
loards.jpg
1min401

ટ્રેંટબ્રિજનાં મેદાન પર તો વરસાદને લીધે ઇંગ્લેન્ડની લાજ બચી ગઈ પણ હવે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસનાં મેદાન પર ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હશે ત્યારે મુકાબલો કસોકસનો બની રહેશે. લોર્ડસનું મેદાન ઝડપી બોલરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ વખતે લોર્ડસમાં ગ્રીનટોપ વિકેટ પર બન્ને ટીમના બેટ્સમેનોની કસોટી થવી નક્કી છે. એવામાં ટીમ ઇન્ડિયાની ઇન ફોર્મ ફાસ્ટ બોલિંગને તેનો ફાયદો મળી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે વાપસીની તક રહેશે. જો કે લોર્ડસનાં મેદાન પરની ભારતની ટેસ્ટ સફર હજુ સુધી નિરાશાજનક રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસ પર ટીમ ઇન્ડિયા પહેલીવાર 1932માં ટેસ્ટ રમવા ઉતરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમને ફક્ત બે જીત જ નસીબ થઈ છે.

લોર્ડસનાં મેદાન પર ટીમ ઇન્ડિયા 2018 સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ફક્ત બે મેચમાં જ જીત મળી છે જ્યારે 12 મેચમાં હાર સહન કરવી પડી છે. ચાર મેચ ડ્રો રહ્યા છે. છેલ્લે 2018માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ લોર્ડસનાં મેદાન પર કંગાળ દેખાવ કરીને એક દાવ અને 1પ9 રને હારી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલિંગ આક્રમણ સામે ભારતીય ટીમ બન્ને દાવમાં નતમસ્તક થઈ હતી અને મહામુસિબતે 100ના આંકડાને પાર કરી શકી હતી. એન્ડરસન અને બ્રોડે એ મેચમાં ભારતીય બેટધરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.

ખાસ વાત એ રહેશે કે ભારતીય સુકાની લોર્ડસનાં મેદાન પર તેની સદીના દુકાળને ખતમ કરવા પણ ઇચ્છશે. તે આમ પણ હજુ સુધી લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ત્રણ આંકડે પહોંચી શક્યો નથી. મહાન સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર પણ લોર્ડસમાં સદીથી વંચિત રહ્યા છે.

કોહલી આ કમનસીબ સૂચિમાં સામેલ થવા ઇચ્છશે નહીં. કોહલી પાછલી 9 ટેસ્ટની 1પ ઇનિંગથી સદી કરી શક્યો નથી. છેલ્લે તેણે નવેમ્બર-2019માં સદી કરી હતી. આ પછી 1પ ઇનિંગમાં તે ફક્ત 34પ રન જ કરી શક્યો છે. સરેરાશ 23.00 છે. લોર્ડસ પર ગવાસ્કરે 10 ઇનિંગમાં 340 રન અને સચિન તો અહીં 9 ટેસ્ટ ઇનિંગ અર્ધસદી પણ કરી શક્યો નથી. કોહલી લોર્ડસમાં ચાર ઇનિંગ રમી ચૂક્યો છે. જેમાં તેનાં નામે 6પ રન છે. શ્રેષ્ઠ સ્કોર 2પ છે.