પ્રેરણાદાયી વાત Archives - Page 9 of 42 - CIA Live

November 26, 2021
dr-purnima-nadkarni-ivf.jpg
1min591

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નિસંતાનપણું આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. અનેક પરિવારો સંતાન નહીં થતા હોવાથી સામાજિક રીતે અનેક દુષણોની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા દંપતિઓને સંતાન થઇ શકે તે માટે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે. સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ, વૈશ્વિક સ્તરે જેમને IVF ના એક્સપર્ટ તરીકે માન્યતા મળી છે એવા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ, 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ એફોર્ડ નહીં કરી શકે તેવા નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટેની અંદાજે રૂ.1 લાખ 50 હજારની ગર્ભધારણ સુધીની સંપૂર્ણ સારવાર ફક્ત રૂ.35 હજારમાં જ કરી આપવામાં આવશે.

નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દર મહિને વધુમાં વધુ 10 યુગલોને આ પ્રકારે રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું હાલ પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ જેમ તેઓને ફંડિંગની સુવિધા વધુ મળશે તેમ તેમ તેઓ ભવિષ્યમાં આ સંખ્યા વધારી પણ શકે.

Dr. Purnimaben Nadkarni of Pardi in Valsad district dies of cancer, dies in  Goa | વલસાડ જિલ્લાના પારડીના ડો પૂર્ણિમાબેન નાડકર્ણીનું કેન્સરની બીમારીના  કારણે નિધન, ગોવામાં ...

વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા

ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહે સ્વ.ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરીયલ ફંડ તેમજ તેની કામગીરી વિષે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી

દોઢ લાખની ટ્રીટમેન્ટ 35000માં, શું શું સામેલ હશે ટ્રીટમેન્ટમાં

લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં ડો. પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે ગર્ભધારણ સુધીની તમામે તમામ ટ્રીટમેન્ટ અને IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. એ પછી ડિલીવરી માટે કોઇપણ હોસ્પિટલમાં તેઓ જઇ શકશે.

આર્થિક રીતે IVFનો ખર્ચ ન ઉઠાવી શકે તેવી જરૂરીયાતમંદ મહિલાઓને જ ટ્રીટમેન્ટ મળશે

ડો.પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે આજે IVF ટ્રીટમેન્ટ સૌથી મોંઘી છે, અમારી જાહેરાત બાદ શક્ય છે કે કોઇપણ નિસંતાન દંપતિ આ ટ્રીટમેન્ટ સસ્તામાં મળતી હોઇ, એ લેવા અમારી પાસે પહોંચી શકે. પરંતુ, અમે સામાજિક સંસ્થાઓ કે અન્ય કોઇના રેફરન્સ તથા મહિલા ખરેખર જરૂરીયાત મંદ છે અને આર્થિક રીતે નબળા વર્ગની છે કે નહીં તેની તપાસ કર્યા પછી જ તેમની પસંદગી કરીશું.

November 14, 2021
khel_puraskar.jpeg
1min345

રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ, કોચને આજે રમત ગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં રમત પુરસ્કારોનું વિતરણ કર્યું. દર વર્ષે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ખેલ, રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ, મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડનો સમાવેશ થાય છે.

રમતગમતની દુનિયામાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ આ વર્ષે 12 ખેલાડીઓને આપવામાં આવ્યો. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોય. પહેલા 11 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું નામ પણ તેમાં જોડાયું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય પુરુષ કુસ્તીબાજ રવિ દહિયા, મહિલા બોક્સર લવલિના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, પેરાલિમ્પિક મેડલિસ્ટ શૂટર અવની લેખરા, પેરાથ્લેટ સુમિત એન્ટિલ, પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, કૃષ્ણ નાગર, પેરા શૂટર મનીષ નરવાલે પણ અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યાં છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, હોકી ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા.

35 લોકોને અર્જુન એવોર્ડ
આ સાથે જ કુલ 35 લોકોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ હોકી સાથે સંકળાયેલા હતા. જેમાં પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ વખતે ટીમ બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરી હતી.

પુરુષ ટીમમાંથી દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર છે. આ સાથે જ આમાં ક્રિકેટર શિખર ધવનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તલવારબાજ ભવાની દેવીની સાથે ઘણા પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે.

આ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો 

એથ્લેટિક્સ કોચ ટીપી ઓસેફ, ક્રિકેટ કોચ સરકાર તલવાર એવા કોચમાં સામેલ છે જેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં હોકી કોચ સરપાલ સિંહ, કબડ્ડી કોચ આશાન કુમાર અને સ્વિમિંગ કોચ તપન કુમાર પાણિગ્રહીનું નામ પણ સામેલ છે. બીજી તરફ એથ્લેટિક્સ કોચ રાધાકૃષ્ણન નાયર, બોક્સિંગ કોચ સંધ્યા ગુરુંગ, હોકી કોચ પ્રિતમ સિવાચ, પેરા શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલ, ટેબલ ટેનિસ કોચ સુબ્રમણ્યમ રમણને દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડની યાદીમાં કોચ લેખ કેસી, ચેસ કોચ અભિજિત કુંટે, હોકી કોચ દવિંદર સિંહ ગરચા, કબડ્ડી કોચ વિકાસ કુમાર, કુસ્તી સજ્જન સિંહના નામ સામેલ છે.ખેલ રત્ન એવોર્ડમાં 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ, મેડલ અને સન્માન પત્ર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની ઈનામી રકમ, એક કાંસ્ય પ્રતિમા અને સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમના પુરોગામી કેરેન રિજિજુ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા.

November 10, 2021
sudani-1280x853.jpg
1min724

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત લગ્ન સમારોહમાં આર્ય સમાજ વિધિથી લગ્નગ્રંથીએ જોડાતા નવયુગલના હસ્તે “બચત જાગૃતિ અભિયાન” શરૂ કરાયું

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સંવત વર્ષ 2078ને બચત જાગૃતિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું  છે. આજરોજ ખૂબ જ સાદાઈથી સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ ખાતે આર્ય સમાજ લગ્ન વિધીથી લગ્ન કરી દાખલો બેસાડનાર યુગલ મૌલિક તથા નિધિના હસ્તે દીપ પ્રાગટય વિધિ કરી બચત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

મોટીવેટર અને સતત 75 કલાક પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે તેવા અશ્વિનભાઈ સુદાણીના દીકરા મૌલિક તથા રમેશભાઈ રાજાણીની દીકરી નિધિએ સમજદારીથી લગ્ન નિમિત્તે ખર્ચ ના કરવાનું નક્કી કર્યું હતું. થોડા પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી વરઘોડિયાના માતા પિતાનું અભિવાદન કરાયું હતું તથા નવયુગલનું વિશેષ સન્માન કર્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના મંત્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથિરીયા, વરાછા બેંકના ચેરમેન ભવનભાઈ નવાપરા, જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી દેવચંદભાઈ જે.કાકડીયા, જે.કે.પટેલ, યુવા ટીમના કિરણભાઈ ઠુંમ્મર, સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજીભાઈ માવાણી, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના પ્રમુખ ડો.સી.એમ.વાઘાણી, મનજીભાઈ વાઘાણી, અરવિંદભાઈ કાકડીયા અને અલ્પેશભાઈ કથિરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની એક યાદીમાં જણાવ્યાનુસાર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આર્થિક બચત અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ થશે. આગામી 20મી ફેબ્રુઆરી 2021 સમુહ લગ્ન સમારોહનું બચતની થીમ આધારિત આયોજન થશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સાથે 200થી વધુ સેવા સંગઠનો જોડાયેલા છે. જેમાં સી.એ, વકીલો, તબીબો અને ધંધા-વ્યવસાયના સંગઠનો પણ શામેલ છે. આ તમામ સંસ્થાઓ તરફથી બચત જાગૃતિ અંગે પ્રયાસો કરવામાં આવશે. કુલ 360 જેટલા કાર્યક્રમો કરવાનું આયોજન છે.

કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે બચત અને આયોજન ખૂબ જરૂરી છે. શિક્ષણ અને આરોગ્ય માટે મોટા ખર્ચાની બચત ન હોય તો પરિવાર દેવાના ડુંગર નીચે આવી જાય છે. નાણાકીય જાગૃતતા જ જીવનમાં સુખ અને શાંતિ આપી શકશે. મોટાભાગના લોકોમાં જોઈએ તેવી નાણાકીય જાગૃતતા નથી આથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી જાગૃતિ માટે વ્યાપક પ્રયાસ કરવાનું આયોજન છે.

November 4, 2021
sukanya-samriddhi-yojana.jpg
1min422

વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

November 4, 2021
modi.png
1min407

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

October 21, 2021
upsc1.jpg
1min347

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 6, 2021
aayushya.jpeg
1min475

સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. 
સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે. 

મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.

October 5, 2021
CIA-1280x937.jpg
5min399
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for  discovery of temperature, touch receptors - The Hindu
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for discovery of temperature, touch receptors : CiA Live News web

મેડિસીનના ક્ષેત્રમાં તાપમાન અને સ્પર્શ રિસેપ્ટર્સની શોધ બદલ અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડોમ પેટાપાઉટિયનને નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. 

નોબલ કમિટીના મહામંત્રી થોમસ પર્લમેને સોમવારે Dt.4/10/2021 વિજેતાઓનાં નામ જાહેર કર્યા હતા.

પર્લમેને જણાવ્યું હતું કે આ ખરેખર કુદરતનું એક રહસ્ય જાહેર કરે છે. ખરી રીતે આ એવી બાબત છે કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, માટે આ અત્યંત મહત્ત્વનું છે અને ખાસ શોધ છે.  આ પ્રતિષ્ઠિત ઇનામમાં સુવર્ણ ચંદ્રક અને ૧૦ મિલિયન સ્વિડીશ ક્રોનર (૧.૧૪ મિલિયન ડોલરથી વધારે)ની રકમ મળે છે. 

આ વર્ષનું આ પહેલું ઇનામ જાહેર કરાયું છે. આ સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પણ ઇનામો આપવામાં આવે છે. 

In English

Two U.S.-based scientists were awarded the Nobel Prize in physiology or medicine on October 4 for their discovery of the receptors that allow humans to feel temperature and touch.

David Julius and Ardem Patapoutian focused their work on the field of somatosensation, that is the ability of specialised organs such as eyes, ears and skin to see, hear and feel.

“This really unlocks one of the secrets of nature,” said Thomas Perlmann, secretary-general of the Nobel Committee, in announcing the winners. “It’s actually something that is crucial for our survival, so it’s a very important and profound discovery.” The committee said Mr. Julius, 65, used capsaicin, the active component in chilli peppers, to identify the nerve sensors that allow the skin to respond to heat.

Mr. Patapoutian found separate pressure-sensitive sensors in cells that respond to mechanical stimulation, it said.

The pair shared the prestigious Kavli Award for Neuroscience last year.

“Imagine that you’re walking barefoot across a field on this summer’s morning,” said Patrik Ernfors of the Nobel Committee. “You can feel the warmth of the sun, the coolness of the morning dew, a caressing summer breeze and the fine texture of blades of grass underneath your feet. These impressions of temperature, touch and movement are feelings relying on somatosensation.”

“Such information continuously flows from the skin and other deep tissues and connects us with the external and internal world. It is also essential for tasks that we perform effortlessly and without much thought,” said Mr. Ernfors.

Mr. Perlmann said he managed to get hold of both of the winners before the announcement.

“I […] only had a few minutes to talk to them, but they were incredibly happy,” he said. “And as far as I could tell they were very surprised and a little bit shocked, maybe.”

Last year’s prize went to three scientists who discovered the liver-ravaging hepatitis C virus, a breakthrough that led to cures for the deadly disease and tests to keep the scourge from spreading though blood banks.

The prestigious award comes with a gold medal and 10 million Swedish kronor (over $1.14 million). The prize money comes from a bequest left by the prize’s creator, Swedish inventor Alfred Nobel, who died in 1895.

The prize is the first to be awarded this year. The other prizes are for outstanding work in the fields of physics, chemistry, literature, peace and economics.

September 25, 2021
kartik-Jivani.jpg
1min840

UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.

તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.

ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.

કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.

કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.

September 18, 2021
nirmalasita.jpg
1min393

નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક dt. 17/9/21 પૂર્ણ થઈ છે. 

GST on food delivery apps, reduced rate on Covid drugs extended: Key  decisions - Times of India

નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી. 

No GST on petrol for now, says FM | Latest News India - Hindustan Times