CIA ALERT

Blog - Page 610 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 10, 2018
surat.jpeg
1min22670

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

November 10, 2018
raghu-1280x720.jpg
1min14930
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આજરોજ તા.10મી નવેમ્બરે અમેરિકાના કેર્લિફોનિયા ખાતે જાહેર સમારોહને સંબોધતા કહ્યું હતું કે નોટબંધી તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીધે વિતેલા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી.
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે એક સંબોધનમાં રાજને જણાવ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ થતા પૂર્વે ચાર વર્ષ (2012-2016) સુધી ભારતના આર્થિક વિકાસ દરની ગતિ ઝડપી રહી હતી.
ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે જણાવ્યું કે, નોટબંધી તેમજ જીએસટી એમ એક પછી એક બે આંચકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર એવા સમયે નીચો ગયો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો.
November 10, 2018
mizo.jpg
1min10790
જયેશ બ્રહ્મભટ્ટ
તાજેતરમાં સીબીઆઈના બે આઇ.પી.એસ. ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના વૉરને કારણે સુપ્રીમ કોર્ટે બન્નેને તેમના પદ પરથી થોડા સમય માટે દૂર કરી દીધા છે, આ બન્નેમાં એક અધિકારી ગુજરાત કેડરના છે.
આ પ્રકારનો જ એક કિસ્સો બે આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ વચ્ચે બન્યો છે. મિઝોરમમાં હાલ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવી ફરીયાદ મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી હતી. જેને પગલે એલ.ચૂઆંગોના હટાવી દેવાયા હતા. બાદમાં ચૂંટણી પંચે મિઝોરમના ચૂંટણી અધિકારીને પણ હટાવી દીધા છે. આ કેસમાં પણ એક આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ગુજરાત કેડરના છે. એલ. ચૂઆંગોએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ અદા કરી ચૂક્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઇ.એ.એસ. એલ. ચૂઆંગોને કારણે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી કરાવી રહેલા વહીવટીતંત્રમાં મસમોટી ઉથલપાથલ થવા પામી છે. હાલમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાની ફરીયાદ કરીને મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. બી. શશાંકે તેમને પદ પરથી હટાવ્યા બાદ શરૂ થયેલા રાજકારણએ ખુદ મિઝોરમના ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકનો પણ ભોગ લીધો હતો. દેશના ચૂંટણી પંચે તેમને પણ તાત્કાલિક હટાવી દીધા છે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો કે જેમને પહેલા મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) પદેથી હટાવવામાં આવ્યા તેમની તસ્વીર)
ચૂંટણી કમિશને મિઝોરમ રાજ્યના પ્રધાન સચિવ (ગૃહ) લલનુનમાવિયા ચૂઆંગોને હટાવી દેવામા આવ્યા ત્યારબાદ એનજીઓ કોર્ડિનેશન કમિટીએ શશાંકને હટાવવાની માંગ કરી. મીડિયાના એક વર્ગે જણાવ્યું કે શશાંકે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી કે ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી લલથનહવલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, લોકોનો મુખ્ય ચૂંટણી અધિકારી એસ બી શશાંક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તો 2018 વિધાનસભાના સારા સંચાલન માટે એકમાત્ર સમાધાન, સીઈઓ એસબી શશાંકને તત્કાલિક પદથી હટાવવાનું રહેશે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો હટાવાની ફરીયાદ કરનાર મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા. એસ.બી. શશાંકની તસ્વીર)
ચૂંટણી આયોગે મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસબી શશાંકને હટાવવાનો નિર્ણય કર્યો છે. મિઝોરમમાં લાંબા સમયથી શશાંકને હટાવવાની માંગ ચાલી રહી હતી.
ચૂંટણી કમિશન અધિકારીને હટાવવાની માંગ વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમ તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. તેમના રિપોર્ટ બાદ આયોગે ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ચૂંટણી આયોગે નવા મુખ્ય ચૂંટણી અધિકારી માટે મિઝોરમના મુખ્ય સચિવે નવી પેનલની માંગ કરી છે.
40 સીટોવાળી મિઝોરમ વિધાનસભા માટે આ મહિને 28 તારીખે મતદાન થવા જઇ રહ્યું છે. 28 નવેમ્બરે જ મધ્યપ્રદેશમાં પણ વોટ નાંખવામા આવશે. મિઝોરમ સહિત પાંચ ચૂંટણી રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થવાની છે.
November 10, 2018
crime-1280x434.jpg
1min12800

5 કરોડની ખંડણીના પ્રકરણમાં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલાના કેસમાં અગાઉ એક આરોપી ઝહુરના પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી વસિમ બિલ્લાની પણ ધરપકડ કરી

સુરતના એક વ્હોરા સમાજના અગ્રણી મહાજન બદરી લેસવાલા પર તેમના જ ઘર પર જઇને હિંસક હુમલો કરનારા આરોપી વસીમ બિલ્લા પોલીસના હાથે ઝડપાયો હોવાની વિગતો સાંપડી છે. આ કેસમાં 3 આરોપીઓ પૈકી એક ઝહુર અગાઉ પકડાય ચુક્યો છે. જમીનના વિવાદમાં 5 કરોડની ખંડણી નહીં આપી હોવા સબબ વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલો કરાયો હોવાનું જાણવા મળે છે.

હુમલાની ફરીયાદમાં આરોપી તરીકે વસીમ બિલ્લા, ઝહુર કુરેશી અને આસિફ સુરતીના નામ હતા.

November 10, 2018
MALL.jpg
1min6770

ભારતની ટોચની ત્રણ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલે 2017-’18ના નાણાકીય વર્ષમાં આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હોવા છતાં જંગી ખોટ નોંધાવી હતી. આ કંપનીઓ ભારતીય ઇ-કોમર્સ બજારનો મોટો હિસ્સો કબ્જે કરવાના ધ્યેયના લીધે તેમના ખર્ચ પર અંકુશ રાખવાનો જરા પણ ઇરાદો ધરાવતી નથી.

ફ્લિપકાર્ટ (ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને હોલસેલ એકમ), એમેઝોન સેલર સર્વિસિસ અને પેટીએમ મોલની સંયુક્ત ખોટ 2016-’17ના ₹6,726.6 કરોડથી વધીને ₹11,295.5 કરોડ થઈ હતી, આમ તેણે 68 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો હતો.

ત્રણેય ઇ-કોમર્સ કંપનીઓએ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ ખોટ નોંધાવી હતી. પણ તેમની આવક કરતાં ખોટનો દર વધારે હતો. તેમની કુલ આવક 2016-’17ના ₹21,085.6 કરોડથી 44 ટકા વધીને 2017-’18માં ₹30,509.8 કરોડ થઈ હતી.

આ સેક્ટરનો ટ્રેક રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનું ઇ-કોમર્સ બજાર હજી પ્રાથમિક તબક્કામાં છે અને દરેક કંપની ઓનલાઇન શોપિંગની વધતી જતી વસતીમાં હિસ્સો મેળવવા ઇરાદો ધરાવે છે, જેની સંખ્યા હાલના 8 કરોડથી વધીને આગામી કેટલાંક વર્ષોમાં 20 કરોડે પહોંચે તેમ મનાય છે.

ભારતીય ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું જારી રાખશે, ઓમ્નીચેનલ વૃદ્ધિ જારી રાખશે, લોજિસ્ટિક્સ જારી રાખશે અને પ્રાઇવેટ લેબલ્સ વધુ ને વધુ ગ્રાહકો ઓનલાઇન મેળવશે તેમ મનાય છે. આ જોતાં લાગતું નથી કે ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓ આગામી કેટલાંક વર્ષો સુધી તેની ખોટ જારી રાખે.

November 10, 2018
dadi.jpg
1min8440

જે ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, તે ઉંમરે એક મહિલા રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવે છે. આમ તો વાત વિશ્વાસ ન થાય તેવી છે પરંતુ 85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે. એટલું જ નહીં તેમની દિનચર્યામાં ચાલવાનું પણ સામેલ છે.

છત્તીસગઢના બસ્તર સંભાગના હાટકચોરા વિસ્તારમાં રહેતા વિજયાલક્ષ્મીના લગ્ન 1952માં આયુર્વેદિક ડોક્ટર સુદર્શનપાલ અરોરા સાથે થયા હતા. સુદર્શન બૈલાડીલામાં પ્રેક્ટિસ કરતા હતા. 1968માં જ્યારે વિજયલક્ષ્મી બીમાર પડ્યા તો સુદર્શન તેમને ગોરખપુર સ્થિત આરોગ્યધામમાં લઈ ગયા. અહીં ડોક્ટર કે કે મોદીએ તેમને નિયમિત કસરત કરવાની સલાહ આપી.  બસ તે દિવસ અને આજની ઘડી સાઈકલને જ તેમણે સલેહી બનાવી લીધી. ત્યારથી શરૂ થયેલી સાઈકલ યાત્રા આજે 85 વર્ષની ઉંમરે પણ ચાલુ છે.

સાઈકવાલી દાદી વિજયલક્ષ્મી સવારે 4 વાગે ઉઠે છે. સવારે 5થી 7નો સમય તેમણે ચાલવા માટે રાખ્યો છે. પછી નાસ્તો અને એક કલાકનો આરામ. પછી ફરી નીકળી પડે છે સાઈકલ લઈ. બપોરે ઘરે આવીને ભોજન કરે છે. સાંજ સુધી આરામ અને ફરી ચાલવાનું શરૂ.  આ રીત સવાર સાંજ વૉકિંગ અને 35 કિલોમીટરની સાઈકલ જ તેમની તંદુર્સીતનો મંત્ર છે.

35 વર્ષની ઉંમરે એક વખત બીમાર શું પડ્યા, કે તંદુરસ્તીની કિંમત સમજાઈ ગઈ. અને વિજયલક્ષ્મી અરોરા એ દિવસ પછી ક્યારેય બીમાર નથી પડ્યા. આ ઉંમરે પણ તમામ દાંત સલામત છે. શરૂઆતમાં તો તેમને આ ઉંમરે સાઈકલ ચલાવતા પૌત્ર-પૌત્રી, પાડોશી, વહુ તમામ લોકોએ ના પાડી. તેમની હાંસી કરી, પરંતુ વિજયાલક્ષ્મી ન માન્યા. આજે તે આખા ગામના રોલ મોડેલ છે. બાળકો તેમને સાઈકલવાળી દાદીના નામથી ઓળખે છે.

વિજયલક્ષ્મીના પત્ની તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. તેમના 65 વર્ષના પુત્રનું પણ એકાદ વર્ષ પહેલા નિધન થયું હતું. શરૂઆતમાં તેમની પુત્રવધુ અને બાળકો સાઈકલ ચલાવવાની ના પાડી આરામ કરવાનું કહેતા હતા. પરંતુ વિજયલક્ષ્મીની જીદ સામે કોઈ ન ટક્યા. આજે તે પોતાના પરિવારની સાથે આખા વિસ્તારના રોલમોડેલ બની ચૂક્યા છે.

November 10, 2018
iccwomen.jpg
1min6580

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને એના ઘરઆંગણે પછાડવા થનગની રહી છે ભારત સહિત બીજી ૮ ટીમ: આજે ગ્રુપ-Aની પાંચ ટીમ પર કરીએ એક નજર

પુરુષોના ક્રિકેટની જેમ વિમેન્સ ક્રિકેટમાં પણ T૨૦ની લોકપ્રિયતા જબરદસ્ત વધી રહી છે. ગઈ કાલથી કૅરિબિયન ટાપુમાં શરૂ થયેલા છઠ્ઠા ત્ઘ્ઘ્ વિમેન્સ વર્લ્ડ T૨૦ કપમાં ૨૩ મૅચો રમાશે. આ વખતની ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે મૅચો ડબલ હેડર નહીં રમાય. એનો અર્થ એમ કે પહેલાંની જેમ આ વખતે પુરુષોની મૅચ નહીં રમાય. આ પહેલાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પુરુષોની મૅચ શરૂ થાય એ પહેલાં એ જ ગ્રાઉન્ડ પર વિમેન્સ મૅચ રમાતી હતી જેથી લોકોમાં વિમેન્સ ક્રિકેટની લોકપ્રિયતા વધે. ૧૦ રાષ્ટ્રને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યાં છે. ગ્રુપ-ખ્માં સાઉથ આફ્રિકા, બંગલા દેશ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ છે અને ગ્રુપ-ગ્માં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, આયરલૅન્ડ છે. બન્ને ગ્રુપમાંથી ટૉપ બે ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. ૨૪ નવેમ્બરે ફાઇનલ મૅચ એન્ટિગાના સર વિવિયન રિચડ્ર્સ સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ પર એક નજર:

T૨૦ રેકૉર્ડ

વેસ્ટ ઇન્ડીઝ

યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમ સ્ટેફની ટેલરની કૅપ્ટન્સી હેઠળ માર્ચ-૨૦૧૬માં ભારતના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સના મેદાનમાં શક્તિશાળી ઑસ્ટ્રેલિયાને પછાડીને વિમેન્સ T૨૦ની સુપરપાવર ટીમ બની હતી. આ વર્ષે એ આઠમાંથી ફક્ત બે મૅચ જીતી શકી છે. શમીલિયા કૉનેલના રૂપમાં એની પાસે જબરદસ્ત પેસ બોલર છે જે કોઈ પણ ટીમની બૅટિંગ લાઇન-અપને ધરાશાયી કરી શકે છે. અનિસા મોહમ્મદે હાલમાં આ ફૉર્મેટમાં હૅટ-ટ્રિક લેવાની અસાધારણ સિદ્ધિ મેળવી છે. બૅટિંગમાં કૅપ્ટન ટેલર, હેલી મૅથ્યુઝ, નતાશા મૅકïલિન અને ડિયાન્ડ્રા ડૉટિન પર આધાર છે.

મૅચ : ૧૦૭, જીત : ૬૧, હાર : ૪૦,

ટાઇ-અનિર્ણીત : ૪-૨

સાઉથ આફ્રિકા

આ ટીમની છાપ એક દિવસે એકદમ શાનદાર પર્ફોર્મન્સ અને બીજે દિવસે સાવ કંગાળ પર્ફોર્મન્સ કરનાર ટીમ જેવી છે. હાઇએસ્ટ ટોટલ સ્કોર કરવા દેનાર સાઉથ આફ્રિકાની ટીમ આ વર્ષે ૭ મૅચ જીતી છે અને ૮ મૅચ હારી છે. ઑલરાઉન્ડર ડેન વૅન નીર્કેકની કૅપ્ટન્સીમાં ભાગ લેનાર આ ટીમે હાલમાં યજમાન વિન્ડીઝ સામે સિરીઝ ૨-૨થી ડ્રૉ કરીને ઘણો કૉન્ફિડન્સ મેળવી લીધો છે. ઓપનર લિઝેલ લી અને લૉરા વોલ્વાર્ટ ટીમને જોરદાર શરૂઆત અપાવે છે. બોલિંગમાં અનુભવી પેસર શબનીમ ઇસ્માઇલની વાપસીથી અટૅક ઘણો મજબૂત થયો છે.

મૅચ : ૮૭, જીત : ૩૬, હાર : ૪૩,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

બંગલા દેશ

ભારતને હરાવીને વિમેન્સ T૨૦ એશિયા કપ જીતનાર આ એશિયન ટાઇગર ટીમ હવે આ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પહોંચવાના સપના સાથે ઊતરશે. આ વર્ષે ૨૦માંથી ૧૨ મૅચ જીતનાર બંગલા દેશ આ પહેલાંની બન્ને ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. ૧૦.૭૩ની આર્યજનક ઇકૉનૉમી રેટથી ૨૬ વિકેટ લેનાર લેગ-સ્પિનર રૂમાના અહમદ અને ચશ્માધારી કૅપ્ટન અને ઑફ-સ્પિનર સલમા ખાતૂન આ વર્ષે જબરદસ્ત ફૉર્મમાં છે. બૅટિંગમાં શમીમા સુલ્તાના અને ફરગાના હક સ્કોરિંગ રેટ વધારશે.

મૅચ : ૫૪, જીત : ૧૭, હાર : ૩૭,

ટાઇ-અનિર્ણીત : ૦-૦

શ્રીલંકા

અત્યાર સુધીમાં રમાયેલી પાંચેય વિમેન્સ T૨૦ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શ્રીલંકા ક્યારેય બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી શક્યું નથી. આ વર્ષે એણે ૧૩માંથી ફક્ત ૩ મૅચ જીતી છે. ચમારી અટાપટ્ટéની કૅપ્ટન્સીમાં એ હાલમાં ઘરઆંગણે ભારત સામે પાંચ મૅચની સિરીઝમાં ૦-૪થી હાર્યું હતું, પણ એણે દરેક મૅચમાં વળતી લડત આપીને મૅચ રોમાંચક બનાવી હતી. સૌથી અનુભવી શશિકલા સિરિવર્દનેનો લગભગ આ છેલ્લો વર્લ્ડ કપ હશે જેણે પોતાની ઑફ-સ્પિન બોલિંગથી આ વર્ષે ૧૩ મૅચમાં ૧૫.૮૫ની ઍવરેજથી ૧૪ વિકેટ લીધી છે.

મૅચ : ૮૪, જીત : ૨૨, હાર : ૫૮,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

ઇંગ્લૅન્ડ

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ T૨૦માં સૌથી વધુ સક્રિય છે. એણે વિમેન્સ વર્લ્ડ T૨૦નું સૌથી પહેલું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૪માં એ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશ લીગની જેમ એણે પણ વિમેન્સ સુપર લીગ T૨૦ની શરૂઆત કરી છે જેમાં ભારતની સ્મૃતિ મંધાનાએ હાઇએસ્ટ રન બનાવ્યા હતા. ટોક્યોમાં જન્મેલી આ દેશની કૅપ્ટન નતાલી સિવરની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકા સામે T૨૦નો હાઇએસ્ટ ૨૫૦-૩ સ્કોર બનાવ્યો હતો. બિગ બૅશ લીગમાં સૌથી પહેલી સિક્સર તેણે ફટકારી હતી. આ ટીમ પાસે આક્રમક ઓપનર ડૅનિયલ વાઇટ અને ટૅમી બોમન્ટ છે જ્યારે મિડલ-ઑર્ડર કૅપ્ટન હેધર નાઇટ અને કૅથરિન બ્રન્ટ સંભાળશે. ડૅનિયલ હેઝલ અને આન્યા શ્રબસોલની બોલિંગ સામે હરીફ ટીમ માટે રન-રેટ વધારવો કઠિન બનશે.

મૅચ : ૧૧૫, જીત : ૮૧, હાર : ૩૧,

ટાઇ-અનિર્ણીત: ૨-૧

ભારત સામેના પરાજયથી અમે ઘણું શીખ્યા : મેગન શટ

ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો ભારત સામે પરાજય થતાં ઑસ્ટ્રેલિયન ટીમની પોતાના દેશના લોકો દ્વારા ઘણી ટીકા થઈ હતી. હરમનપ્રીત કૌરે એ મૅચમાં નૉટઆઉટ ૧૭૧ રન બનાવીને ઑસ્ટ્રેલિયન ટીમનું મનોબળ તોડી નાખ્યું હતું. ૨૫ વર્ષની ઑસ્ટ્રેલિયન પેસ બૉલર મેગન શટે કહ્યું હતું કે ‘ભારત સામેના પરાજયે અમને વિમેન્સ ક્રિકેટના પાયા મજબૂત કરવા પર મજબૂર કર્યાં. હું ૬ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમમાં આવી હતી ત્યારે અમે અમારી વાત સરળતાથી કહી શકતા નહોતા, પણ આજે સોશ્યલ મીડિયાને કારણે ઘણો ફાયદો થઈ રહ્યો હતો જેનું શ્રેય અમારા કોચ મૅથ્યુ મોટને જાય છે. આજે અમારી ટીમ એકદમ અલગ છે અને અમારી પાસે જીતવા માટે એકદમ અલગ ફૉમ્યુર્લા છે. આજે ડ્રેસિંગ રૂમનો માહોલ એકદમ હળવો છે, ખેલાડીઓના કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે સારી સમજણ છે. અમે કોઈ એવા ફરજિયાત નિયમ બનાવ્યા નથી. અમને અમારું લક્ષ્ય ખબર છે અને અમે બધાં ભેગાં મળીને એને અચીવ કરવા મહેનત કરી રહ્યાં છીએ. દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાના ગર્વથી અમારો કૉન્ફિડન્સ વધે છે. આશા છે કે આ વખતે અમે વર્લ્ડ કપની ટ્રોફી જીતીશું.’

November 9, 2018
CR1.jpg
1min42790

ભારતીય જનતા પાર્ટી માટે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલ ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલને મધ્ય પ્રદેશમાં કઇ કઇ બેઠકો પર પ્રચાર-પ્રસાર, ઇલેકશન વ્યૂહરચના ગોઠવણ માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું અને તેનું સાનૂકુળ પરીણામ આવતા ભાજપાએ તેમને ઇલેકશન સ્ટ્રેટેજી મેકર નેતાઓની યાદીમાં મૂક્યા છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીના પહેલા દૌરમાં તેઓ એક વખત જઇ આવ્યા છે હવે આગામી સપ્તાહે સુરતથી પોતાની ટીમ સાથે ઇન્દૌર ક્ષેત્રમાં જશે અને ત્યાં બીજેપીના ઉમેદવારોના જીતાડવા માટે વ્યૂહરચના અનુસાર કામગીરી સંભાળશે એમ જાણવા મળે છે.

November 9, 2018
Thugs-of-Hindustan-Movie-Review-with-Related-Details.jpg
1min14540

તા.8મી નવેમ્બર 2018ના રોજ મોટા ઉપાડે રિલીઝ થયેલી અને બિગ સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પર ફિલ્મ રસીકોને આશા હતી કે ફિલ્મ સુપર ડુપર જોવા લાયક હશે અને પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હશે પણ આવું કશું ફિલ્મ નથી. પહેલા જ દિવસે ફિલ્મ જોનારાઓના પ્રતિભાવોએ ફિલ્મની ખરાબ રીતે પીટાઇ કરી દીધી છે.

ફિલ્મ રસીકોનું માનવું હતું કે ફિલ્મ એટલી મનોરંજક હશે અને સ્ટોરી દમદાર હશે કે બંને સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. મોટા મોટા કિલ્લા, જહાજ અને ગ્રાન્ડ પ્રોડક્શન વેલ્યુ. એક્શન અને એડવેન્ચરની ભરમાર. સાથે જ દાવો કરાયો કે આ ફિલ્મ 300 કરોડમાં બની છે તો આશા હતી કે જબરજસ્ત ભવ્ય કિલ્લો જોવા મળશે.

ફિલ્મની સ્ટોરી 1795ના ભારતની છે, જેમાં બતાવાયો છે ભારતનો ઈતિહાસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી હતી વેપાર કરવા માટે પરંતુ ધીરે ધીરે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી. તેમના વિરોધમાં જે લોકો હતા તે આઝાદ કહેવાયા. જેનું નેતૃત્વ ખુદ ખુદાબખ્શ એટલે કે અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. તે બીજી તરફ છે ફિરંગી મલ્લાહ એટલે કે આમિર ખાન જે અંગ્રેજો માટે કામ કરે છે. ફિરંગીને આઝાદને શોધવાનું કામ સોંપાય છે. તો શું ફિરંગી સફળ થશે કે પછી ખુદ આઝાદની જાળમાં ફસાઈ જશે. આ જ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. ભરે પછી તે તાર્કિક હોય કે નહીં. કેટલાક કેરેક્ટર્સને ડેવલપ કરવાનું જ ભૂલાઈ ગયું છે. જ્યારે તમે ઈતિહાસ કે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો તો લોર્ડ ક્લાઈવની મૃત્યુ કાલ્પનિક ઘટના તરીકે ન બતાવી શકાય.

આ ઈતિહાસ સાથે છેડછાડ છે. આમિર ખાનની ફિલ્મ લગાનની જેમ જ લોર્ડ ક્લાઈવના પાત્રના બદલે કોઈ કાલ્પનિક પાત્ર પણ હોઈ શક્તું હતું. સરવાળે અધકચરી સ્ટોરી પર ફિલ્મ બની છે, તે સ્પષ્ટ દેખાય છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પર થોડી મહેનત કરી હોત તો આટલા મોટા સ્ટાર્સ અને બજેટની ફિલ્મ સારી બની શક્તી હતી. ફિલ્મમાં મનોરંજન તો છે, એક વાર જોઈ શકાય. બાળકોને ગમે તેવી છે.

એક્ટિંગની વાત કરીએ તો ખુદાબખ્શના પાત્રમાં અમિતાભ બચ્ચન સુપર હીરોની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. આમિર ખાન ફિરંગીના પાત્રમાં જામે તો છે પરંતુ ક્યારેક લાગે છે કે બીજાના ડાઈલોગ પણ તે જ બોલી રહ્યા છે. આ બે પાત્ર સિવાય ડિરેક્ટરને બીજા કોઈ પાત્રમાં રસ નથી પડ્યો. સરવાળે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક કમર્શિયલ સાધારણ ફિલ્મ છે. જેને એક વખત જોઈ શકાય.

November 9, 2018
airindia-1.jpg
1min7420

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાના ફ્લાઈટ્સ ઓપરેશન્સ ગુરૂવારે એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (એઆઈટીએસએલ)ના સ્ટાફે અચાનક હડતાળ કરી. દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

એર ઈન્ડિયાના એક અધિકારીના અનુસાર સરકારી એરલાઈન્સની સહાયક કંપની એઆઈટીએસએલ દેશના બધા એરપોર્ટ પર એર ઈન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપે છે. કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ સહિત આ કંપનીના કુલ પાંચ હજાર કર્મચારી છે.

એરલાઈન્સના અધિકારીએ બતાવ્યું કે એઆઈટીએસએલના કેટલાક કર્મચારી બુધવાર-ગુરૂવારની રાતે દિવાળી બોનસ ન મળવા પર, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓની પુનર્સ્થાપન અને કોન્ટ્રેક્ટ રીન્યૂ નહીં કરવા પર હડતાળ પર ગયા. એનાથી ફ્લાઈટ્સ સંબંધી સેવાઓ પર અસર થઈ. આ કર્મચારી કોન્ટ્રેક્ટ પર છે.

ગુરૂવારની બપોરે ત્રણ વાગે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત 37 ફ્લાઈટ્સમાં ત્રણ કલાક મોડી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ એરપોર્ટ પર એરલાઈન્સે પોતાની સ્થાયી કર્મચારીઓને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પર લગાવી દીધા. હડતાળ પર ગયેલા કર્મચારીઓથી એઆઈટીએસએલના પ્રબંધની વાતચીત ચાલુ છે.