CIA ALERT

Blog - Page 159 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 14, 2021
schoolgirlsoldiers.jpg
1min659

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.

સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.

સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.

December 13, 2021
sa_president.jpg
1min540
Omicron: South Africa says hospital admissions not increasing despite a  jump in Covid-19 active cases

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે અને રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા પણ તેના સપાટામાં આવીને સંક્રમિત થયા છે.

તેમની સારવાર ચાલી રહી છે.જોકે તેમને કોરોનાન હળવા લક્ષણો છે.બીજી તરફ દેશમાં 24 કલાકમાં 37000 નવા કેસ સામે આવ્યા છે.તેના એક દિવસ પહેલા 17000 નવા કેસ સામે આવ્યા હતા.

સકારના કહેવા પ્રમાણે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બહાર નીકળેલા રાષ્ટ્રપતિ રામફોસાને પોતાની તબિયત સારી નહીં હોવાનુ લાગ્યુ હતુ.તેમણે વેક્સીનના બે ડોઝ લીધા છે છતા સંક્રમિત થયા છે.હાલમાં તેઓ કેપટાઉન ખાતેના ઘરમાં આઈસોલેશનમાં છે.

તેમણે આગામી સપ્તાહ સુધી પોતાની તમામ જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિને સોંપી છે.રાષ્ટ્રપતિ રામફોસાએ લોકોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીન લગાવો અને કાળજી રાખો,

દક્ષિણ આફ્રિકા હાલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.જેની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ રામફોસાને ઝડપભેર સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

.

December 13, 2021
harnaz.jpg
1min886

હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય

ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.

આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.

December 13, 2021
patagonia.jpg
1min1104

ખાદી, જેને ઘણા લોકો દ્વારા ભારતનું રાષ્ટ્રીય કાપડ માનવામાં આવે છે, તે તેની આંતરરાષ્ટ્રીય ફેશનની શરૂઆત કરવા માટે તૈયાર છે. યુએસ આઉટડોર એપેરલ અને ગિયર રિટેલર પેટાગોનિયા ઇન્કે ભારતમાંથી 30,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદ્યું છે. કેલિફોર્નિયા સ્થિત ફર્મ, જે વિશ્વભરમાં સેંકડો સ્ટોર્સ ધરાવે છે, તેણે તૃતીય-પક્ષ તરીકે અરાવિંદ મિલ્સ-ઊંટઈંઈ (ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના ટાઇ-અપ દ્વારા ગુજરાતમાંથી 1.08 કરોડની કિંમતનું ફેબ્રિક મેળવ્યું. જેમાંથી 25,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ગોંડલની ઉદ્યોગ ભારતી ખાદી સંસ્થામાંથી મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ વિશ્વભરમાં ખાદી ડેનિમ ઉત્પાદનનો વેપાર કરવા માટે જુલાઈ 2017માં અરાવિંદ મિલ્સ સાથે કરાર કર્યો હતો. તે પછી, અરાવિંદ મિલ્સ ગુજરાતની ઊંટઈંઈ-પ્રમાણિત ખાદી સંસ્થાઓ પાસેથી દર વર્ષે ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદે છે. જેમાં ગોંડલની ઉદ્યોગ ભારતી દ્વારા બે વર્ષમાં 50,000 મીટર જેટલું ખાદી ડેનિમ ફેબ્રિક મોકલવામાં આવ્યું છે. ખાદી ડેનિમનાં ઉત્પાદનની પ્રક્રિયા જોવા માટે રાજકોટના ગોંડલ ખાતે ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતીની મુલાકાત લેતા પેટાગોનિયાની ટીમે આ સોદો ગતિમાન કર્યો હતો. ડેનિમની ગુણવત્તાથી સંતુષ્ટ, ટીમે ચાર પ્રકારના ડેનિમ ફેબ્રિકનો ઓર્ડર આપ્યો, જે 100% સુતરાઉ અને 28 ઇંચથી 34 ઇંચ સુધીની પહોળાઈ સાથે બનેલ છે.

ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાના કવીનભાઈ પટેલ જણાવે છે કે, આજના યુવાવર્ગને ગમે એવી ફેશન ખાદીમાં આપવા માટે અમારી સંસ્થા મહેનત કરી રહી છે. પેટાગોનિયા ફેશન જે અમેરિકાની પ્રખ્યાત અપરેલ કંપની છે તેમણે યુએસ-આધારિત મૂલ્યાંકનકાર ગઊજઝ સંસ્થાને ગુણવત્તા સહિતની ચકાસણી કરવા માટે રોકી છે. તે ગઊજઝ સંસ્થા ગ્રાહકોને ખાતરી આપે છે કે ખરીદેલી વસ્તુ ‘ઘર અથવા નાની વર્કશોપમાં નૈતિક રીતે હાથથી બનાવવામાં આવી છે’ તેમજ આ સંસ્થા ખાદીની ગુણવત્તા માટે ચરખા, ચાર પાવડી વણાટ કામ, બહેનો અને વણકરને રોજગાર અને ખરેખર ખાદી જ છે ને તે ચકાસણી કરે છે. જેના દ્વારા દેશની એકમાત્ર ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાને સર્ટીફિકેટ મળેલું છે. પેટાગોનિયા પહેલા પણ અરવિંદ મીલ્સ મારફતે અમેરિકાની પ્રખ્યાત લેવીસ કંપનીને પણ ડેનિમ ખાદી મોકલી છે.

December 13, 2021
kashi.jpg
1min765
Modi to inaugurate phase-1 of Shri Kashi Vishwanath Dham on 13 Dec

વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ ધામના ઉદ્ઘાટન માટે લાડુઓ તૈયાર કરતા લોકો. વડા પ્રધાન મોદી Date 13/12/21 સોમવારે કાશી વિશ્ર્વનાથ ધામ કોરીડોરનું ઉદ્ઘાટન કરવાના છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ ધામના (Kashi Vishwanath Corridor) લોકાર્પણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. જો કે હવે કાશીની તસવીર નવા રૂપમાં જોવા મળશે. પીએમ મોદી 13 ડિસેમ્બર એટલે કે સોમવારે તેનું લોકાર્પણ કરશે. આ માટે, સીએમ યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) યોજના પર સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર કાશીને સુંદર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

From Kashi Vishwanath Dham to Rudraksh Convention Centre: Here's How PM  Modi Transformed Varanasi

આ સાથે કાશીના રહેવાસીઓએ પણ તેમના મહેમાનોના સ્વાગત માટે મંદિરો, કુંડો, ગંગા ઘાટ વગેરેની સફાઈ શરૂ કરી દીધી છે અને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં લોકાર્પણ બાદ કાશી વિશ્વનાથનો પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામ હવે તેના અંતિમ મુકામ તરફ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્રમાં આવશે અને શ્રી વિશ્વનાથ ધામને જનતાને સોંપશે.

December 12, 2021
narendra-modi-twitter.jpg
1min764

વણઓળખાયેલા હેકરે શનિવારે મધરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેરીફાઇડ (સત્તાવાર) ટ્વીટર હેન્ડલ હેક કરી દઇને તેના પર બિટકોઇનને ભારતમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઇ હોવાનું ટ્વીટ પણ કરી દીધું હતું. જોકે બે જ મિનિટમાં અકાઉન્ટને રિકવર કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે @narendramodi તરફથી સ્પામ Tweet કરવામાં આવ્યું હતું.. Tweet માં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. ભારત જલ્દી કરો…… ભવિષ્ય આજે આવી ગયું છે!’

Hackers Posted this message

The hackers posted one tweet and a scam link from the handle.

જો કે, આ Tweet બે મિનિટમાં જ ડિલીટ થઈ ગયું. બીજી Tweet સવારે 2.14 કલાકે આવી હતી, જે પ્રથમ Tweetની નકલ હતી. આ Tweet પણ તરત જ ડિલીટ થઈ ગયું. PMOએ Tweet કરીને જાણકારી આપી કે મોદીનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું છે. PMO દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કોઈપણ Tweet ને ‘ઈગ્નોર’ કરવામાં આવે.

આ રીતે ભારતના વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ હેક કરીને બિટકોઇન અંગે જે સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા તે અત્યંત ગંભીર બાબત છે અને પીએમઓ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

December 11, 2021
mumbai-1.jpeg
1min674

ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 17 કેસની પુષ્ટિ

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 કેસની પુષ્ટિ થઈ છે.

મુંબઈ પોલીસે Dt.10/12/21 શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં CrPC ની કલમ 144 લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે.

તેમણે કહ્યું કે, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.

December 11, 2021
ctet.jpg
1min1036

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનારી સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (CTET) આ વખતે કમ્પ્યુટર બેઝ્ડ લેવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી. જોકે, પ્રથમ વખત કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 20 ભાષામાં આ પરીક્ષા લેવાશે.

CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવાતી CTET પ્રથમ વખત ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે. 16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો મોડ બદલ્યા બાદ પણ ફીમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું જાણવા મળે છે. પ્રથમ વખત ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવનાર હોઈ બોર્ડ દ્વારા પ્રેક્ટિસ સેન્ટર અને મોક ટેસ્ટ માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા CTETની 15મી આવૃત્તિમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે.

16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે

CTET આપનારા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા સમગ્ર દેશના લાખો ઉમેદવારો માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ જાહેર કરી દીધી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં કુલ 356 પ્રેક્ટિસ સેન્ટર નક્કી કર્યા છે. આ સેન્ટર પર જઈને ઉમેદવાર ઓનલાઈન યોજાનારી પરીક્ષા માટે અભ્યાસ કરી શકે છે. ઉપરાંત વેબસાઈટ પર પણ મોક ટેસ્ટ માટેની લિંક મુકવામાં આવી છે. ત્યાં જઈને પણ ઉમેદવાર પરીક્ષાની તૈયારી કરી શકે છે.

CTET પ્રથમ વખત ઓનલાઈન યોજવામાં આવનાર છે, ત્યારે સીબીએસઈ બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષાની નવી પેટર્નની સમજ મળી રહે તે માટે મોક ટેસ્ટ અને અભ્યાસ કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. CTETમાં બે પેપર રહેશે. જેમાં પેપર-1 ધોરણ-1થી 5ની શાળામાં શિક્ષક બનવા માટે લેવાશે. જ્યારે પેપર-2 ધોરણ-6થી 8ની સ્કૂલમાં શિક્ષક બનવા માટે લેવાશે.

પેપર-1માં પાંચ ભાગમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ભાષા-1, ભાષા-2, બાળ વિકાસ અને શિક્ષાશાસ્ત્ર, પર્યાવરણ અધ્યયન અને ગણિતનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, CTETનો સ્કોર હવે જીવનભર માન્ય રહેશે. જેથી એકવાર પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર માટે તે કાયમ માટે માન્ય ગણાશે. આ નિર્ણયથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારનો ખુબ જ મોટી રાહત મળશે.

પરીક્ષા માટે ગુજરાતમાં 13 સેન્ટરો નક્કી કરાયા છે. જેમાં અમદાવાદમાં પ્રકાશ સ્કૂલ નક્કી કરવામાં આવી છે. આ જ રીતે રાજ્યમાં આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના મોટાભાગના શહેરોને પરીક્ષા સેન્ટર તરીકે આવરી લેવાયા હોવાનું જાણવા મળે છે.

December 11, 2021
khattar.jpg
1min506

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કામચલાઉ ધોરણે જાહેર સ્થળો પર શુક્રવારની નમાજ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુગ્રામમાં જાહેર સ્થળોએ યોજાતી નમાજનો અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ કરતાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે જાહેરમાં નમાજ અદા કરવાનું સાંખી નહિ લેવાય. ખુલ્લી જગ્યાઓમાં પ્રાર્થના કરવા માટે કેટલાક પ્લોટ્સ અનાત રાખવાના જિલ્લા વહીવટીતંત્રના આદેશને પાછા ખેંચવામાં આવે છે અને રાજ્યસરકાર આ મુદે સુમેળભર્યો ઉકેલ લાવવાની દિશામાં કામ કરશે. 

જાહેર સ્થળોએ નમાજ અદા કરવાના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના મામલે પૂછાયેલા એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી ખટ્ટરે એ કહ્યું હતું કે ખુલ્લી જગ્યામાં નમાજ અદા કરવાની રીતિ ચલાવી નહિ લેવામાં આવે. તમામને પ્રાર્થનાની સવલત મળવી જોઇએ. પરંતુ કોઇને બીજાના અધિકાર પર તરાપની છૂટ નહિ મળે.

તેમણે Dated 10/12/21 શુક્રવારે જણાવ્યું હતું કે, “લોકો તેના ધાર્મિક સ્થળે પ્રાર્થના કરે તેની સામે અમને કોઇ વાંધો નથી, પણ તેના માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે એ સ્વીકાર્ય નથી. આ મુદ્દે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અસર થવી જોઇએ નહીં  અથવા કોઇ તણાવ પણ ઊભો થાય એ યોગ્ય નથી. અમને જાણ થઈ છે કે કેટલાક જૂથો વચ્ચે બેઠક થઈ હતી અને જાહેર પ્રાર્થના માટે અમુક સ્થળો ફાળવાયા હતા પણ અમે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ કરીએ છીએ. આગામી સમયમાં સંમતિથી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરાશે.”

December 11, 2021
vaccine-1.jpg
1min579

દેશની કુલ વસતિના પ્રમાણમાં કોરોનાની વૅક્સિનના બંને ડૉઝ લેનારાઓની સંખ્યાને મામલે ૩૧ ઑક્ટોબર ૨૦૨૧ના ભારત વિશ્ર્વમાં ૧૭મા સ્થાને હોવાનું આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ભારતી પ્રવિણ પવારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું. 

લોકસભામાં એક લેખિત પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ૮ ડિસેમ્બરના રોજ દેશના પુખ્તવયના અંદાજે ૯૩.૯ કરોડ લોકોમાંથી લગભગ ૧૩.૩ કરોડ લોકોએ વૅક્સિનનો પ્રથમ ડૉઝ પણ નહોતો લીધો. 

વૅક્સિનનો પ્રથમ ડૉઝ લેનારાં ૩૩.૬ કરોડ લોકોમાં ૧૭.૨ કરોડ પુરુષ અને ૧૬.૪ કરોડ મહિલાનો સમાવેશ થતો હતો. 
નાન્યતર જાતિના ૯૦,૦૦૦ લોકોએ હજુ વૅક્સિનનો બીજો ડૉઝ નથી લીધો. 

વૅક્સિનના બંને ડૉઝ લીધો હોય તેવા પાંચ કરોડ કરતા વધુ વસતિ ધરાવતા મુખ્ય ૧૦ દેશમાં દક્ષિણ કોરિયા, જાપાન, ઈટલી, ફ્રાન્સ, યુકે, જર્મની, યુએસએ, તુર્કી, બ્રાઝિલ અને મૅક્સિકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું. 

પુખ્તવયની વૅક્સિનને લેવા પાત્ર કુલ વસતિમાંથી ૫૩ ટકા લોકોએ બંને ડૉઝ લઈ લીધા હોવાનું તેમણે કહ્યું હતું.  રાજ્યો અને કેન્દ્રશાતિ પ્રદેશોને વૅક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.