Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી પણ વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આખરે પોતાના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે લેખિતમાં ખેડૂતોની તમામ માગણી માની લેતા તેમજ સંસદમાં કાર્યવાહી કરીને કાયદા પણ પરત ખેંચી લેતા આ આંદોલનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં આ આંદોલનનો પ્રારંભ થયો હતો. બંને પક્ષો વચ્ચે અનેકવાર વાતચીત થઈ હતી, જે નિષ્ફળ રહી હતી. આ આંદોલન 378 દિવસ ચાલ્યા બાદ આજે Dt.9/12/21 પૂરું થયું છે.
દિલ્હીની સરહદો પર ધરણા કરી રહેલા ખેડૂતો 11 ડિસેમ્બરે વિજય યાત્રા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી જશે. આંદોલનકારી ખેડૂતો સુવર્ણમંદિર જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓના જણાવ્યા અનુસાર, આંદોલનની સમાપ્તી બાદ પણ 15 જાન્યુઆરીના રોજ તેઓ એક રિવ્યૂ મિટિંગ કરીને સરકારે આપેલા વાયદા પર કેટલું કામ થયું તેની સમીક્ષા કરશે. આંદોલન ખતમ કરવાનો નિર્ણય આજે મળેલી ખેડૂતોના યુનિયનની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારે ટેકાના ભાવ અંગે એક સમિતિ બનાવવા તેમજ ખેડૂતો વિરુદ્ધ થયેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવાનું આશ્વાસન આપતા આંદોલનની પૂર્ણાહૂતિ જાહેર કરાઈ હતી.
કેન્દ્ર સરકારના કૃષિ સચિવે પોતાના લેટરપેડ પર ખેડૂતોને આ અંગે ખાતરી આપી હતી. આ ઉપરાંત, યુપી અને હરિયાણાની સરકાર આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખેડૂતોને વળતર ચૂકવશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા અપાઈ છે. ખેડૂત નેતાએ આંદોલનની પૂર્ણાહૂતિની જાહેરાત કરતા તેને કારણે લોકોને પડેલી તકલીફો બદલ ક્ષમા પણ માગી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેની સામે ખેડૂતોને સખ્ત વાંધો હતો. આ જ મામલે એનડીએના સાથી પક્ષ રહેલા અકાલી દળે સરકાર સાથે છેડો પણ ફાડી નાખ્યો હતો.
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધી 4 મૃતદેહ મળી આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની સહિત 9 લોકો સવાર હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું અનુમાન છે.
હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત (પત્ની) 3. Brig LS લિડ્ડેર, SM, VSM 4. LT/COl હરજિન્દર સિંહ 5. NK ગુરસેવક સિંહ 6. NK જિતેન્દ્ર કુમાર 7. L/NK વિવેક કુમાર 8. L/NK બી સાઈ તેજા 9. સતપાલ
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ નીલગીરી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર IAFનું Mi-17V5 હતું. અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાસિંહને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ વડાપ્રધાન મોદીને આ અંગે માહિતી આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.
શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.
દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.
યુએઇએ અત્યારના પાંચ દિવસ કામનાં સપ્તાહને ઘટાડીને ૧લી જાન્યુઆરીથી ફકત સાડા ચાર દિવસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે આટલા ટૂંકા સપ્તાહ માટે કામ કરાવતો એ પહેલો દેશ બન્યો છે. કર્મચારીઓને સુગમતા રહે, ઉત્પાદનમાં વધારો થાય અને કામ તથા ખાનગી જીવન વચ્ચે સમતોલ જળવાઇ રહે એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુએઇના સરકારી મીડિયાએ જણાવ્યા અનુસાર ૧લી જાન્યુઆરીથી કામનો સમય સોમવારથી ગુરુવાર સુધી સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી અને શુક્રવારે સવારે ૦૭.૩૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે. શનિવાર અને રવિવારના દિવસે આખો દિવસ માટે રજા રહેશે. કર્મચારીઓને શુક્રવારે ફ્લેક્સિબલ સમય અનુસાર અથવા ઘરેથી કામ કરવાનો પર્યાય પણ આપવામાં આવશે. સરકારનાં આ પગલાથી અમેરિકા, યુકે અને યુરોપના કામ કરવાના સમયને અનુસરવાનું અને એ કારણે વેપારમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે.
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે.
આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં. એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.
ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે.
વધતી જતી ટેકનોલોજી અને સતત ધ્યાન ભટકાવનારા આ વિક્ષેપજનક યુગમાં, માતા-પિતા માટે બાળકોના ધ્યાનને કેન્દ્રિત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેથી ‘ધ્યાન’નો સાચો અર્થ શું છે તે સમજવું એ તેમના બાળકોમાં યાદશક્તિ, ભાષા, વાંચન, લેખન અને સામાન્ય શિક્ષણ જેવા જટિલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવા માટે નિર્ણાયક છે, જે તમામ ધ્યાન સાથે સંબંધિત છે.
ધ્યાનની પાઠ્યપુસ્તકમાં આપેલી વ્યાખ્યા એ છે કે, કામ પ્રત્યે યોગ્ય રસ ઊભો કરવાની અને ટકાવી રાખવાની ક્ષમતા. તે સામાન્ય રીતે આપણી પ્રેરણા, પ્રેક્ટિસ, સંવેદનાત્મક એકીકરણ અને ભાષાને પકડવાની ક્ષમતા જેવા ઘણા પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, આપણે જમીન પર ઘસરકા કરીએ, તો ધ્યાન ‘ચોક્કસ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા’ની સરળ સમજણથી ઘણું આગળ નીકળી જાય છે. તેમાં સ્પર્ધાત્મક માહિતી, ઉત્તેજના અને સંવેદનાઓની વિશાળ માત્રાને અવગણવી અને ટ્યુનિંગ કરવાનો પણ સમાવેશ થાય છે, જે આ ક્ષણે સંબંધિત નથી.
તો ચાલો જોઈએ કે, ધ્યાનમાં કયા તત્વોનો સમાવેશ થાય છે અને આપણે કેવી રીતે આપણા બાળકોના ધ્યાનના સમયગાળાને વધારીને તેમની શીખવાની ક્ષમતાઓને વધારી શકીએ છીએ અને જીવનભરના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે પાયો પૂરો પાડી શકીએ છીએ.
ધ્યાનને સમજવું આ સંદર્ભમાં, ધ્યાનને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એક જ્ઞાનાત્મક ભાગ છે, જે મગજમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓમાં આપણી આસપાસની ઉત્તેજનાને દિશા આપવાની, નિયંત્રણની, ધ્યાન જાળવવાની અને ઊર્જાને લક્ષ્ય બનાવવાની અદ્રશ્ય માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બીજો વર્તણૂકનો ભાગ છે, જે વધુ મૂર્ત ભાગ છે, જેમાં રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, બાળક પોતાનો વારો આવવાની રાહ જોતું હોય, તેમના વર્ગખંડની બહાર ભસતા શ્વાનને અવગણવું, જેથી તેઓ શિક્ષકની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, અથવા બાળક સતત સળવળાટ કરે છે અને મૂંઝવણ અનુભવે છે.
જ્ઞાનાત્મક બાજુ અને વર્તણૂકીય બાજુ વચ્ચેના ગાઢ આંતર-સંબંધનું ઉદાહરણ એ રીત છે જે રીતે બાળક વિડીયો ગેમ્સ રમવામાં કલાકો પસાર કરી શકે છે. આ રમતો સંગીત, ગ્રાફિક્સ અને સમસ્યાઓના ઉકેલનો ઉપોયગ કરીને મગજના ચોક્કસ ભાગોથી ધ્યાન કેન્દ્રિત કરવા અને જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જે જ્ઞાનાત્મક ભાગ છે. પરિણામે, બાળકો ગેમ કન્ટ્રોલરને પકડીને સોફા પર એક જગ્યાએ બસી રહેશે, જ્યારે કેટલીક વખત હતાશામાં આવીને જોરથી બૂમો પાડશે, જે વર્તણૂકનો ભાગ છે.
ધ્યાન તેમના ભાવનાત્કમ સ્વાસ્થ્ય, તેમની આસપાસ બનેલી કે બનતી ઘટનાઓ, જેવિકે પરિબળો જેવા કે ભૂખ્યા હોવું, ઊંઘમાં હોવું અથવા થાકેલા હોવું, ઉંમર, વિષયમાં વ્યક્તિગત રસ, શીખવાની અક્ષમતા, મૂડ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવા અન્ય પરિબળો દ્વારા પણ સંચાલિત થાય છે. બાળકના ધ્યાનના સમયગાળાને અસર કરતા ઘણાબધા પરિબળો હોવાથી બાળકને સતત મુશ્કેલીઓ આવી રહી હોય , જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે, ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ત્યારે બાળક શીખતું હોય અને લાંબો સમય કામ કરતું હોય તે દરમિયાન માતા-પિતાનું સક્રિય અવલોકન અને બાળક સાથે તેમની સહભાગિતા મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, જાણીતી ઓસ્ટ્રેલિયન ડિજિટલ હેલ્થ કંપનીની Tali Detect એપ જેવીનવી ટેકનોલોજીનો ઉપયોગ, માતા-પિતાને એ સમજવામાં મદદ કરી શકે છે કે તેમનું બાળક ધ્યાન કૌશલ્યના વિકાસ સાથે કેવી રીતે આગળ વધી રહ્યું છે.
અલગ-અલગ બાળકોમાં ધ્યાન કઈ રીતે કામ કરે છે આપણે બધા જાણીએ છીએ કે, બાળકનું ધ્યાન પુખ્ત વયના લોકો કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ ધ્યાન પણ દરેક બાળકમાં બદલાય છે. TALiના ક્લિનિકલ લીડ, ડો. સિમોન ગિન્ડિડિસે સમજાવ્યું કે, ધ્યાન સમજવાની સરળ રીત એ છે કે, ફ્લોર પર બેઠેલા બાળકોના વર્ગખંડની કલ્પના કરવી અને રૂમની આગળના ભાગમાં તેમના શિક્ષક સૂચનો આપે છે. વર્ગખંડમાં ઝાંખો પ્રકાશ છે અને ઓરડામાં મોટાભાગના બાળકોના માથા પર સ્પોટલાઈટ હોય છે. દરેક સ્પોટલાઈટ અલગ-અલગ કદની હોય છે, પરંતુ ચોરસ રીતે રૂમની આગળની તરફ લક્ષિત હોય છે. સ્પોટલાઈટ બાળકો બાકીના રૂમને ફિલ્ટર કરવામાં સક્ષમ છે (કારણ કે ત્યાં તદ્દન અંધારું છે) અને જ્યાં તે હોવું જરૂરી છે, ત્યાં પ્રકાશ ફેંકે છે. ધ્યાનમાં નબળા બાળક માટે, તેમના પ્રકાશનો સ્ત્રોત વાસ્તવમાં સ્પોટલાઈટને બદલે મીણબત્તી છે. તેથી, જ્યારે તે બાળક તેના પ્રકાશને શિક્ષક તરફ દિશામાન કરે છે, ત્યારે આખો ઓરડો પણ પ્રકાશિત થાય છે. આખો ઓરડો ઝળહળતો હોવાથી, બાળક જોઈ શકે છે કે બીજી હરોળમાં રહેલો નાનો જોની તેના બૂટની દોરી સાથે રમી રહ્યો છે, અને ડેસ્ક પર એક રમકડું પડ્યું છે, જેની સાથે તેઓ રમવાનું પસંદ કરે છે, અને તેમને એ પણ ખ્યાલ આવે છે કે તેમને ભૂલ લાગી છે અને દિવાલ પરની ઘડિયાળ જોરથી અવાજ કરી રહી છે.
ડો. સિમોન આ કલ્પનામાં જે મુખ્ય બાબત પર પ્રકાશ પાડે છે, તે એ છે કે, બાળકોના મગજ અલગ-અલગ હોય છે, અને કેટલાકમાં પ્રકાશનો સ્ત્રોત બાકીના કરતા અલગ હોય છે. આપણે આ બાળકોને તેમના વિશ્વને સમજવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં જેટલી વહેલી મદદ કરી શકીએ, તેટલી જ તેઓ તેમના જીવનમાં અન્ય પડકારોને દિશા આપવામાં સક્ષમ થવાની શક્યતા વધારે રહે છે.
બાળકોમાં રહેલી ધ્યાનની નબળાઈઓમાં શરૂઆતથી હસ્તક્ષેપ શા માટે મહત્વપૂર્ણ છે સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે, ધ્યાનની મુશ્કેલીઓ ધરાવતા લોકો તેમના સમગ્ર શાળાકીય વર્ષો દરમિયાન સંઘર્ષ કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેઓ યુવાન પુખ્ત વયના અને તેના કરતા મોટ થાય ત્યારે તેઓ માનસિક સમસ્યાઓ અને ઓછા આત્મસન્માનનો અનુભવ કરે છે. વધતા પુરાવા દર્શાવે છે કે, બાળકોમાં શક્ય તેટલું વહેલી તકે ધ્યાનના મુદ્દાઓને ઓળખવા અને તેના પર કામ કરવું એ તેમની ભાવિ સફળતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, અને તેનાથી માત્ર તેમને જ નહીં, પરંતુ તેમના પરિવાર, શિક્ષકો અને વ્યાપક સમુદાયને પણ લાંબા ગાળાના લાભ થાય છે.
એટલે જ, માતા-પિતા બાળકોને તેમના નાનપણથી જ ધ્યાન આપવાની કુશળતા વિકસાવવામાં અને ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ તેમના બાળકને જે રીતે ટેકો આપી શકે છે, તેમાં સૂચનાઓને તોડીને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને બાળકો હાથમાં રહેલા કાર્યોમાં સફળ થઈ શકે અને જ્યારે તેઓ સફળ થાય ત્યાર તેમને સકારાત્મક પ્રતિસાદ આપી શકે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો પણ માતાપિતાને ભલામણ કરે છે કે, બાળકો સામાન્ય રીતે જે વિક્ષેપો અનુભવે છે તેમાં ઘટાડો કરે. અતિશય ઉત્તેજના બાળકના ધ્યાનના સમયગાળા સામે પણ કામ કરી શકે છે અને આ અનુભવને ઉત્તેજિત કરતી પ્રવૃત્તિઓમાં બાળકોના એક્સેસને મર્યાદિત કરવી શ્રેષ્ઠ બાબત છે.
આ બધા ઉપરાંત, એ યાદ રાખવું જરૂરી છે કે, દરેક બાળકનું મગજ અલગ હોય છે અને જેટલી વહેલી તકે આપણે તેમને તેમની દુનિયાને સમજવામાં મદદ કરવા માટે વ્યુહરચનાઓ અને સાધનોને એક્સેસ કરવામાં મદદ કરી શકીએ, તેમના જીવનમાં અન્ય પડકારોને નેવિગેટ કરવામાં તેઓ સફળ થવાની શક્યતા વધી જાય છે.
તમારું બાળક ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે કે કેમ તે જાણવું ધ્યાન મગજના ઘણા અનન્ય ક્ષેત્રોને સમાવે છે અને ધ્યાનની મુશ્કેલી ઘણીવખત બીજા પડકારોની સાથે ઊભી થાય છે. તેથી તે હંમેશા સ્પષ્ટ નથી હોતું કે ધ્યાનની મુશ્કેલીઓ અન્ય નબળાઈઓને ઢાંકી રહી છે કે તેનાથી ઉલટું છે. આથી જ ક્લિનિકલ સ્તરે, ત્યાં ઘણી મુખ્ય વર્તણૂકો છે, જે માપવામાં આવે છે, તે સૂચવે છે કે, શું બાળક ધ્યાનની મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. માતા-પિતા તેમના બાળકો પર વધારે ધ્યાન આપીને આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે અને તેમનું બાળક કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, તે વિશે દેખાતા હોય તેવા કોઈપણ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.
માતા-પિતા ઘણીવાર તેમના બાળકની જ્ઞાનાત્મક શૈક્ષણિક અને વર્તણૂકીય શક્તિઓ અને નબળાઈઓને સમજનારા સૌ પ્રથમ લોકો હોય છે. જો તેમને લાગતું હોય કે કંઈક સારી રીતે કામ કરી રહ્યું નથી, તો યોગ્ય હેલ્થકેર પ્રેક્ટિશનરને મળવું યોગ્ય છે, જે ધ્યાન અને શીખવાની સમસ્યાઓ માટે તેમના બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સારા સમાચાર એ છે કે, માતા-પિતા પાસે હવે TALi DETECT દ્વારા તેમના બાળકના ધ્યાનનું મૂલ્યાંકન કરવાની વધારાની રીત છે. Tali ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાંથી એકમાં અગ્રણી બાળપણ સંશોધનો દ્વારા વિકસિત ધ્યાન મૂલ્યાંક એપ્લિકેશન પ્રદાન કરે છે. સતત વ્યસ્ત રાખતી ગેમ આધારિત પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા માતા-પિતા તેમના બાળકનું ધ્યાન તપાસી શકે છે અને તેમની ઉંમરના અન્ય બાળકો સાથે તુલના કરી શકે છે. Taliનું બિનહાનિકારક, ડિજિટલ ધ્યાન મૂલ્યાંક સાધન મફત ઉપયોગ કરી શકાય છે અને તે એન્ડ્રોઈડ અને એપલ બંને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એકવખત માતા-પિતા સમજી લે કે કઈ રીતે તેમનું બાળક સરખામણી કરે છે, ત્યારે તેમની પાસે ક્લિનિકલી સાબિત 5 અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે, જે તેમન બાળકના ધ્યાન કૌશલ્યને મજબૂત કરવા માટે ઈન્ટરેક્ટિવ ગેમ આધારત કસરતોનો ઉપયગો કરે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરવા અને ખરીદવા માટે પણ ઉપલબ્ધ છે.
વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. Gujarat CM 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.
સોમવારે Dt.6-12-21 સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.
પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા 146 કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.
મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.
એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.