Blog - Page 117 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 12, 2022
cricket_1.jpg
1min498

  • રોહિત શર્મા (કેપ્ટન) 
  • કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન) 
  • વિરાટ કોહલી 
  • સૂર્યકુમાર યાદવ
  • દીપક હુડા 
  • ઋષભ પંત 
  • દિનેશ કાર્તિક 
  • હાર્દિક પંડ્યા 
  • આર. અશ્વિન 
  • યુઝવેન્દ્ર ચહલ 
  • અક્ષર પટેલ 
  • જસપ્રિત બુમરાહ 
  • ભુવનેશ્વર કુમાર 
  • હર્ષલ પટેલ
  • અર્શદીપ સિંહ

BCCI દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમ સિવાય ચાર ખેલાડીઓ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહરને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે.

લાંબા સમયથી દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ, ચાહકો અને મીડિયાની ઉત્સુકતાનો અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં થવા જઇ રહેલી T 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 

વિશ્વ કપની ટીમમાં મોટાભાગના સભ્યો એવા છે જેઓ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં રમ્યા હતા. અને આ ટીમમાં આવો કોઈ ચોંકાવનારો નિર્ણય આવ્યો નથી, જે 2019 વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો, જ્યારે અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

September 12, 2022
police-votes.jpeg
1min446

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ પે ગ્રેડ માટે જાહેર કરેલ એલાઉન્સના નિયમોમાં અંતે ફેરબદલ કરવાની ફરજ પડી છે. એલાઉન્સ મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓ નારાજ હતા અને સરકાર એક યુદ્ધ છેડ્યું હતુ જેમાં અંતે આજે સરકાર ઝુકવું પડ્યું છે.

તા. ૨૯-8-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો. અંતે આજે ગૃહવિભાગે નવો પરિપત્ર બહાર પાડીને આ એફિડેવિટના પ્રસ્તાવને રદ્દ કર્યો છે.

પોલીસના સોશિયલ મીડિયામાં ચાલતા આંદોલનને ડામવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓના ધમપછાડા છતાં પોલીસ કર્મચારીઓએ ટસના મસ ના થઈ એફિડેવિટ આપવાનો ઈન્કાર કરતાં આખરે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. હવે પોલીસ કર્મચારીઓએ પગાર વધારા પેટે એફિડેવિટ આપવાની જરૂર નથી.

કેજરીવાલના નિવેદન બાદ સલવાયેલી સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી પણ નિયમોને આધિન પગાર વધારો કરવો હતો, જે પોલીસ કર્મચારીઓને સ્વીકાર ન હતો. આખરે ઘીના ઠામમાં ઘી ઢળે એમ સરકારે એફિડેવિટનો નિર્ણય પડતો મૂક્યો છે.

સરકારના એફિડેવિટના નિર્ણય વિરૂદ્ધ પોલીસ કર્મચારીઓ ફરી એક વખત સોશિયલ મીડિયાનો સહારો લઈને પર પે ગ્રેડનું આંદોલન ચલાવ્યું હતું. પરિપત્રમાં તમામ પોલીસ કર્મચારીઓ સમહતિ પત્ર આપવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી. 

September 12, 2022
srilank.jpg
1min442

દુબઈ ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2022ની રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 71 રનોની અણનમ ઈનિંગ્સ રમી હતી. શ્રીલંકાએ 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈનિંગ્સની ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન બાબર આઝમ 5 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, ઓપનર મોહમ્મદ રિઝવાને 55 રનોની ઈનિંગ્સ રમી હતી. જો કે, શ્રીલંકાના બોલર્સની શાનદાર બોલિંગ આગળ પાકિસ્તાનના બેટર્સ ટકી શક્યા ન હતા. પાકિસ્તાનની ટીમ 147 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાનો 23 રનોથી શાનદાર વિજય થયો હતો. શ્રીલંકા છઠ્ઠી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. શ્રીલંકા આ અગાઉ 1986, 1997, 2004, 2008 અને 2014માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું.

171 રનોના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન બાબર આઝમ 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે મોહમ્મદ રિઝવાને 55 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. પણ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. ફખર ઝમાન ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. ઈફ્તિખાર અહેમદે 32 રન, તો મોહમ્મદ નવાઝે 6 રન બનાવી આઉટ થયો હતો. ખુશદીલ શાહ 2 રન, આસિફ અલી 0 રન, શાબાદ ખાન 8 રન બનાવી આઉટ થયો હતો. હસરંગાએ એક વિકેટમાં 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. હરિસ રૌફે 13 રન, નસીમ શાહે 4 રન તો મોહમ્મદ હસનૈન 8 રન બનાવી આઉટ થયો હતો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરના અંતે 147 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

September 10, 2022
cia_edu-1280x925.jpg
1min509

ભુવનેશ્વર

કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર સંગઠન તરીકે KISSને ભારતમાંથી આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરના પાંચમી સંસ્થા છે. જ્યારે આ અંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશાની પહેલી અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે.

કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પહેલી સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. KISS માટે યૂનેસ્કો પુરસ્કારની જાહેરાત KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે KISS પરિસરમાં આયોજીત અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરની ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર KISS વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી. KISS સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડૉ.અચ્યુત સામંતે કરી હતી.

KISSમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ અને 40 હજાર પૂર્વ વિદ્યાર્થીઓ મળી કુલ 70 હજાર વિદ્યાર્થીઓ માટે KISS વ્યાપક વિકાસ, વ્યાવસાયિક અને રમત ક્ષેત્રે કુશળ બનવાનું માધ્યમ પ્રદાન કરે છે.. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. KISSનો સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન શાખાઓ અને અંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ છે. આ 2015થી ECOSOC સાથે વિશેષ પરામર્શની સ્થિતિમાં રહ્યું છે. જે જનજાતીય સશક્તિકરણ અને શિક્ષણમાં પોતાની પહેલ માટે સંયુક્ત રાષ્ટ્રના જન સૂચના વિભાગ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત અગણ્ય પ્રશંસા અને પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે. KISS કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)ની એક ઘટક સંસ્થા છે. જે ડૉ.અચ્યુત સામંત દ્વારા સ્થાપિત ટેકનોલોજી યુનિવર્સિટી છે.

September 10, 2022
VIJAY_rupani.jpg
1min501

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારીઅને કેટલાક સહપ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહપ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતા લોકોને આશ્ચર્ય થયું છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભાજપ આવા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગત વર્ષે ભાજપે ગુજરાતમાં અચાનક જ નેતૃત્વ પરિવર્તન કરી દીધું હતું. ત્યારે પક્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળના આખા મંત્રી મંડળને બદલી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

હવે રૂપાણીને પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નેતૃત્વએ મોડેલ સ્ટેજમાં રાજ કરતા લોકોને એક સંકેત આપ્યો છે. જોકે, હજી ગયા મહિને જ બે મંત્રીઓના મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપે પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાઓ આંચકી લીધા હતા. આ રીતે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પક્ષમાં કોઈ અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે.

આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે તે પહેલા ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મ સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે તેની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીની ખભા પર રહેશે.

September 10, 2022
finch-1280x830.jpg
1min490

– ફિંચ 2024માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન નહીં હોય પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની આગેવાની કરશે

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિંચ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે પોતાની અંતિમ વનડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે 145 વનડે મેચ રમનારા એરોન ફિંચ આ ફોર્મેટમાં સૌથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. છેલ્લી 7 ઈનિંગમાં તેમના બેટ વડે માત્ર 26 રન થઈ શક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ રીલિઝ પ્રમાણે ફિંચે પોતાની સફરને શાનદાર ગણાવી હતી અને તેમાં અનેક યાદો બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

ફિંચે કહ્યું હતું કે, ‘કેટલીક શાનદાર વનડે ટીમનો સદસ્ય બનીને હું પોતાની જાતને નસીબદાર સમજું છું.’ આ સાથે જ તેમણે પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. ત્યાર બાદ નવા કેપ્ટનને તક આપવાનો સમય આવી ગયો છે જેથી પોતે સરખી તૈયારી કરી શકે અને આગામી વર્લ્ડ કપ જીતી શકે તેમ જણાવ્યું હતું. તેમણે પોતાને આ સ્તરે પહોંચવામાં મદદરૂપ બનનારા સૌ કોઈનો આભાર માન્યો હતો. 

September 9, 2022
ganesh_home.jpg
6min1356

સુરતના ભાગળ ખાતેથી મેઇન શોભાયાત્રાનો આરંભ કરાયો

સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને મંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રા શરૂ કરાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેનમાં સવાર થઇને વિસર્જનમાં ભાગ લીધો

નાનપુરા, અઠવાલાઇન્સના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ પોતાના મહોલ્લામાં જ કર્યું ગણેશજીની મૂર્તિનું વિસર્જન

SGCCI સરસાણા કચેરી ખાતે પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા અને સભ્યોએ ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું

ગણેશ વિસર્જનમાં આ વખતે ડ્રેસ કોડનો જબરદસ્ત ટ્રેન્ડ

સુરતમાં વર્ષો પછી ગણેશ વિસર્જનની અસલ સુરતી સ્ટાઇલ ઉજવણી જોવા મળી રહી છે. ગણપતિ બાપ્પાને વળાવવા માટે સુરતીઓ સપરિવાર વિસર્જન શોભાયાત્રામાં જોડાય રહ્યા છે. સવારે દસ વાગ્યાથી શહેરના દરેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ગણેશજીની નાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. નાની મૂર્તિઓ અને મોટી શોભાયાત્રા શહેરના રાંદેર અડાજણ, અઠવાલાઇન્સ, વેસુ, વોલ્ડ સિટી એરીયા, કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત, સિટીલાઇટ કોઇ વિસ્તાર બાકી નથી કે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે રસ્તા પર જોવા મળ્યા ન હોય. કોરોના પહેલા એકાદ બે વર્ષ એવા હતા કે જ્યારે સુરતમાં નદીમાં વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેના કારણે લોકોએ પોતાના સોસાયટી, કેમ્પસ, સંકુલ, ઘરોમાં જ પાણીની કૂંડીઓમાં નાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ, આજે માહોલ અલગ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પાની પાંચ ફૂટ કરતા નાની મૂર્તિઓ લઇને લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં નીકળેલા જોવા મળે છે.

હજારો સુરતીઓ બાપ્પાની મૂર્તિ લઇને નીકળ્યા શોભાયાત્રામાં

ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ

તાપી કિનારે ઓવારા પરના દ્રશ્યો

વાહનોમાં બાપ્પાની શાનદાર સવારી નીકળી

સુરત શહેરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. પહેલા ત્રણ કલાકમાં સુરત મહાનગરપાલિકા ઉભા કરવામાં આવેલા જુદા જુદા કુત્રિમ તળાવોમાં 475 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

ગણપતિ બાપ્પાને વળાવતી વખતે આટલું ધ્યાન રાખજો

ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી ૧૦ દિવસ ગણેશ પર્વમાં ભક્તો દ્વારા પોતાની આસ્થા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પુરા ૧૦ દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરાય છે જેમાં આજે આ મહા પર્વ માં ગણેશજી નું વિસર્જન કરી સમાપન કરાય છે જે લોકો પોતાનાં ગોર મહારાજ ને બોલાવી ને વિસર્જન વિધિ કરાવે છે તે તો શ્રેષ્ઠ છે જ પરંતુ જે જાતે વિસર્જન કરવાના હોય તેમને આ વિધી વિધાન મુજબ ગણેશ વિસર્જન કરવું જોઈએ 

ગણેશ વિસર્જન વિધિ અંગે વધુ માહિતી આપતા  જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્ર અનુસાર ગણેશ વિસર્જન માં ખાસ ધ્યાન તે રાખવાનું છે તે એ છે કે વિસર્જન ના દિવસે પણ નિત્ય જેમ પૂજન અર્ચન કરતા હોઈએ તે મુજબ સંપુર્ણ પુજન અર્ચન પ્રસાદ વગેરે કરી આનંદ પૂર્વક પૂજન કરી શાંત ચિત્તે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરવી કે આ ગણેશ પર્વ દરમિયાન અમે અમારી યથાશક્તિથી જે કંઈ પણ સેવા કરી તે સ્વીકારી કૃપા કરીને  આપની  કૃપા દ્રષ્ટિ સદા અમારા પરિવાર પર રાખજો 

આ મુજબ ક્ષમા પ્રાર્થના કરવી

હે ગણેશજી જો આપની નિત્ય સેવા પૂજામાં જાણે અજાણે  કોઈ ભૂલચૂક થઈગઈ હોય  કે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમાં કરી કૃપા કરશો અને ફરી આવા શુભ પર્વે આમારે ત્યાં અવશ્ય પધારશો 

ગણેશ વિસર્જન વિધિ વિધાન 

પ્રાથના કરી શુભ મુહર્ત માં જ ગણપતિ બાપા મોરિયા કે ગણપતિ દાદાની જય કરી ગણેશજી નું સ્થાપન સહેજ આગળની તરફ ખસેડવું આમ કરી ગણેશ સ્થાપન નું  વિસર્જન કરવું  ત્યારબાદ તેમની મૂર્તિ ઉપર કે પાસે જે કોઈ પણ ચીજ કે શણગાર રિદ્ધિ સિદ્ધિ સોપારી મૂષક સ્થાપનાનું શ્રીફળ હોય જે મૂર્તિ ઉપાડતા પડી જાય તેવું જે કંઇપણ  હોય જેમકે ભગવાન ને ચડાવેલ ફૂલ કે માળા કે પ્રસાદ તે પહેલા લઈ લેવો આમાંથી કઈ પણ પડી જાય અને પગમાં આવે તો આપણું સેવા નું પૂણ્ય નષ્ટ થાય 

જેથી  શાંતિ થી બધું સમજી ચોકસાઈ કરી ગણેશજી ની મૂર્તિ જળ માં વિસર્જન કરવા ઉપાડવી અને જળમાં વિસર્જન કરીએ ત્યાં સુધી  સહેજ પણ ખંડિત થાય નહિ તેનું પુરે પૂરું ધ્યાન રાખવું  ગણેશ સ્થાપન પાસે રાખવામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોપારી  શ્રીફળ પૂજા સામગ્રી ફૂલ હાર કે જે કંઈ પણ સામગ્રી  હોય તે પણ સાથે લઈ લેવું જેથી જળમાં ગણેશ વિસર્જન કરીએ ત્યારે આ પણ ત્યાજ પધરાવી દેવું  અને ખાસ આ નિમિત્તે યથા શક્તિ દાન પુણ્ય પણ કરવું 

આવી રીતે ગણેશ સ્થાપન કરી વિધિ વિધાન થી વિસર્જન કરાય છે ત્યાં સદા ગણેશજીના  આશીર્વાદ રહેછે  વિઘ્નો હણાઈ જાય છે અને જીવનમાં શુભ અને મંગળ થાય છે

  • અનંત ચૌદશના ગણેશ વિસર્જન માટે શ્રેષ્ઠ મુહર્ત
  •  સવારે ૬-૨૫ થી ૭-૫૮ ચલ
  •  સવારે ૭-૫૮ થી  ૯-૩૧ લાભ
  •  સાવારે ૯-૩૧ થી ૧૧-૦૪અમૃત
  • બપોરે ૧૨-૩૮ થી ૨-૧૦ શુભ 
  • સાંજે  ૫-૧૫ થી ૬-૪૮ ચલ 
  •  રાત્રે   ૯-૪૨ થી ૧૧-૧૦ લાભ 
  • મોડીરાત્રે  ૧૨-૩૭ થી ૨-૦૪ શુભ
September 9, 2022
alizabeth-1280x720.jpg
1min468

– સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા

– મહારાણીના દેહને આજે લંડન લઈ જવાશે, 10 દિવસ પછી અંતિમક્રિયા, 73 વર્ષે રાજા બનેલા રાણીના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે

– પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શોકસંદેશ પાઠવ્યા

લંડન : બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ચિત આયોજન મુજબ ૧૦ દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતીયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ કન્સોર્ટ ગુરુવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો.

એલિઝાબેથ દ્વિતીયનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ લંડન ખાતે ૧૭ બુ્રટન સેન્ટમાં થયો હતો. નૌકાદળના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ચાર સંતાનો હતા. મહારાણીના પતિ ફિલિપ માઉન્ટબેટનનું એપ્રિલ ૨૦૨૧માં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. કિંગ જ્યોર્જ-છઠ્ઠાના નિધન પછી ૧૯૫૨માં એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર બેઠાં હતાં. હવે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ૭૩ વર્ષે સૌથી વધુ વયે રાજા બન્યા હતા. તેઓ હવે કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે.

અગાઉ બ્રિટેનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બ્રિટિશ રાજપરિવારના સભ્યો બાલ્મોરલ મહેલમાં પહોંચવા લાગ્યા હતા. મહારાણી એલિઝાબેથે ખરાબ તબિયતને કારણે બુધવારથી તેમનાં કામો સ્થગિત કરી દીધા હતાં.

મહારાણીના મૃત્યુ પછી બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજપરિવાર દ્વારા ૧૯૬૦થી જ તૈયાર કરાયેલી ‘ઓપરેશન લંડન બ્રિજ’ નામની વિશેષ યોજનાના ભાગરૂપે સરકાર તરફથી વડાપ્રધાન લિઝ ટ્રસે સૌથી પહેલું નિવેદન કર્યું હતું.ત્યાર પછી બ્રિટન અને સમગ્ર દુનિયામાં બ્રિટિશ સરકારની ઓફિસો પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવાયો હતો. 

રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા ૧૦ દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.

September 8, 2022
cia_edu-1280x925.jpg
5min684

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.7મી સપ્ટેમ્બરે રાત્રે બાર વાગ્યે નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનો સ્કોર જાહેર કર્યો હતો. નીટના પરીણામના પ્રથમદર્શી એનાલિસીસમાં એવું માલૂમ પડે છે કે 500 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા દોઢથી બે હજાર સુધી વિદ્યાર્થી સંખ્યા વધી છે તેવી જ રીતે 350થી ઓછો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ એ જ પ્રમાણે વધારો થયો છે. આ એનાલિસીસ પરથી એવું કહી શકાય કે સરકારી અને સેમી સરકારી કોલેજોમાં 2021ની તુલનામાં આ વર્ષે 2022માં કટઓફમાં 5થી 10 માર્ક પ્રવેશ ઉંચે અટકશે. જોકે, આ બાબત પ્રવેશ માટે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશ કરાવે છે તેના પરથી નક્કી થશે.

નીટના ક્વોલિફાઇંગ માર્કમાં પણ ઘટાડો

CategoryQualifying criteriaMarks rangeNumber of candidates
UR/EWS50th Percentile715-117881402
OBC40th Percentile116-9374458
SC40th Percentile116-9326087
ST40th Percentile116-9310565
UR / EWS & PH45th Percentile116-105328
OBC & PH40th Percentile104-93160
SC & PH40th Percentile104-9356
ST & PH40th Percentile104-9313

છેલ્લા ચાર વર્ષના કટઓફની પેટર્ન

Category2022202120202019
Unreserved715-117720-138720-147701-134
Unreserved PWD116-105137-108146-129133-120
Reserved116-93137-122128-113133-107
Reserved PWD104-93121-108128-113133-107
SpecificsDetails
Exam NameNational Eligibility Cum Entrance Test (NEET)
Conducting BodyNational Testing Agency (NTA)
Exam LevelUndergraduate (UG) Exam at National Level
Exam FrequencyYearly
Total Registrations18,72,341
Exam ModeOffline or Paper Pencil Based Test (PBT)
Courses Offered Through NEET UGMBBS, BDS, BAMS, BVSC & AH
Exam FeesRs 1,600 (General)
Rs 1,500 (OBC)
Rs 900 (Reserved category candidates)
Rs 8,500 (Foreign nationals)
Exam Duration200 minutes
Number of Subjects and Total MarksPhysics (180 marks)
Chemistry (180 marks)
Biology (360 marks)
Total Marks – 720
Total Questions200 (180 to be attempted)
Marking Scheme+4 for each correct answer
-1 for each incorrect answer
Number of Exam Cities543 (India)
14 (Abroad)
Language/Medium of Paper13 Languages – English, Hindi, Bengali, Urdu, Assamese, Gujarati, Marathi, Odiya, Kannada, Tamil, Malayalam, Punjabi and Telugu
Accepting Colleges1,613 colleges
Total Number of SeatsMBBS – 92,627
BDS – 27,698
BAMS – 52,720
BVSc & AH – 630
NEET Official Website“www.neet.nta.nic.in”
September 7, 2022
income-tax-raid.jpg
1min460

આજે તા.7મી સપ્ટેમ્બર 2022ને બુધવારે સવારથી જ દેશભરમાં એક સો ઉપરાંત સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને તેમની સાથે ઘરોબો ધરાવતા લોકોના ધંધાકીય તેમજ રહેણાંકના સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મામલો દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 

મળતી પ્રાથમિક માહિતી મુજબ આવકવેરા વિભાગે દેશના 7 રાજ્યોના 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડામાં 300થી વધારે પોલીસકર્મી સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આજની આઇટી રેડની કાર્યવાહીમાં 100 જેટલા વાહનો પણ ઉપયોગમાં લેવાયા છે. ઉપરાંત આઈટી અધિકારીઓએ સુરક્ષા માટે CRPFના જવાનોને પણ સાથે લીધા છે. 

જાણવા મળ્યા મુજબ પોલિટિકલ ફન્ડિંગ મામલે આ એક્શન હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી નાના રાજકીય પક્ષો સાથે સંકળાયેલી છે જે લોકો પાસેથી ફંડ મેળવ્યા બાદ તેમને રોકડ સ્વરૂપે અમુક રકમ પરત કરે છે. ચૂંટણી પંચના રિપોર્ટ બાદ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે. 

આવકવેરા વિભાગની ટીમો દિલ્હીથી શરૂ કરીને ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એક્શનમાં આવી છે અને દિલ્હીના અનેક ઉદ્યોગપતિઓ કરચોરી મામલે આઈટીની રડારમાં છે. રાજસ્થાનના જયપુરમાં પણ ઉદ્યોગપતિઓના સ્થળોએ દરોડા પડ્યા છે.