CIA ALERT

Blog - Page 100 of 695 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 18, 2023
shiv.jpg
1min998

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

મહાશિવરાત્રી એ હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ પર્વ છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે દર વર્ષે આ પર્વ ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. ભવનાથમાં હર હર મહાદેવનાં નાદ સાથે શરૂ થયેલા શિવરાત્રી મેળામાં ભજન, ભકિત અને ભોજનના સમુદ્રમાં ડુબકી લગાવવા લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા છે. મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓની દિવ્યતાથી લાખો ભાવિકોને અનેરી અનુભૂતિ થઇ રહી છે. ભવનાથમાં આજે શિવમય માહોલ બન્યો છે. આજે મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ હોવાથી હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.

આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાને કારણે રાજ્યના શિવજીના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં કપડવંજનું ઉત્કંઠેશ્વર મહાદેવ, ગળતેશ્વર મહાદેવ, નડિયાદનું માઈ મંદિર અને ડાકોરના ડંકનાથ મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય ભક્તોને આકર્ષવા માટે શિવાલયોમાં આકર્ષક શણગાર કરાયો છે. આજે મંદિરોમાં પ્રસાદમાં ભાંગનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 

February 18, 2023
bharat-gandhi-fiaswi-chairman-surat.jpg
1min592

ફિઆસ્વીની ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરાઇ

ફિઆસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી)ની ગુરૂવાર, તા. ૧૬ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઓફલાઇન એન્ડ ઓનલાઇન ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં દેશભરમાંથી ૧૩૬ જેટલા સભ્યો જોડાયા હતા. આ સભામાં ફિઆસ્વીના ચેરમેન તરીકે ભરત ગાંધીની ફરીથી સર્વાનુમતે નિમણૂંક કરાઇ હતી. જ્યારે ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરવામાં આવી હતી.

ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ફિઆસ્વીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અન્ય એસોસીએશનોની સાથે મળીને કેન્દ્રીય તથા રાજ્ય કક્ષાએ ઘણી રજૂઆતો કરી હતી. જેમાંથી કેટલીક રજૂઆતોનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. આ રજૂઆતો નીચે મુજબ છે.

– મલબરી રો સિલ્ક યાર્ન પરની કસ્ટમ ડયૂટીને ઘટાડીને ૧૦ ટકા કરવાની રજૂઆત કરી હતી.
– એચએસએન કોડ પ૦૦૭ હેઠળ ઇમ્પોર્ટ થતા ફેબ્રિકસના વજન ઉપર ફલોર પ્રાઇઝ નકકી કરી કસ્ટમ ડયૂટી લગાવવા માટે રજૂઆત કરાઇ હતી.
– વોર્પ નીટિંગના ઇમ્પોર્ટેડ મશીન ઉપરથી બેઝીક કસ્ટમ ડયૂટી હટાવવા માટે રજૂઆત કરાઇ હતી.
– ચેપ્ટર ૬૦માં આવરી લેવાતા નીટેડ ફેબ્રિકસના આયાત ઉપર ઓછામાં ઓછી રૂપિયા ૧૦૦ પ્રતિ કિલો ફિકસ્ડ કસ્ટમ ડયૂટી લગાવવા મામલે રજૂઆત કરી હતી.
– મોડર્ન વિવિંગ મશીનો કે જેના પર કસ્ટમ ડયૂટી એકઝમ્પ્શન તા. ૩૧ માર્ચ ર૦ર૩ સુધી છે તેની મુદત આગામી પાંચ વર્ષ માટે લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી.
– સિન્થેટિક યાર્નના આયાત ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડવા માટે રજૂઆત કરાઇ હતી.
– ફિનીશ્ડ ફેબ્રિકના આયાત પર નોન ટેરિફ બેરિયર ખાસ કરીને વિયેતનામથી ઇમ્પોર્ટ થતા ફેબ્રિક ઉપર નોન ટેરિફ બેરિયર લગાવવા બાબતે રજૂઆત કરી હતી.
– ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે મશીનરી મોર્ડનાઇઝેશન માટે નવી ઇન્સેન્ટીવ સ્કીમ ટીટીડીએસની માંગ કરવામાં આવી હતી, પરંતુ બજેટમાં એના સંદર્ભે કોઇ જોગવાઇ કે જાહેરાત કરવામાં આવી નથી.

February 18, 2023
societynews-1280x1040.jpg
1min623

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન

સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.

February 15, 2023
bhavnath-mahdev-view.jpg
1min436

15/02/23: આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળનો પ્રારંભ થશે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.  તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે. 

લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

ગિરનાર નેચર સફારી રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

February 11, 2023
cia_multi-1280x1045.jpg
1min510

ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.

જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.

આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે

February 10, 2023
adm_guide-1280x874.jpg
11min532

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જેઇઇ મેઇન્સ પેપર-1, ફેઝ-1 2023ની પરીક્ષાના જાહેર થયેલા પરીણામ બાદ હાલ કેટલાક કોચિંગ ક્લાસીસોના સંચાલકો પોતાના વિદ્યાર્થીઓ 90 પર્સન્ટાઇલથી વધુ માર્કસ લાવ્યા હોવાના ગુણગાન ગાઇ રહ્યા છે. હકીકતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે 90 પર્સન્ટાઇલ માર્ક આવે એ કોઇ ઉપયોગ સ્કોર નથી કે જે તમારી ઇચ્છિત બ્રાન્ચ કે કેમ્પસમાં પ્રવેશ અપાવી શકે. હકીકતમાં 95 પર્સન્ટાઇલ જેઇઇમાં આવ્યા પછી પણ કદાચ ટોપ ટેન કેમ્પસ કે કમ્પ્યુરની કોઇ બ્રાન્ચમાં એડમિશન મળવું અતિમુશ્કેલ છે.

કોચિંગ ક્લાસીસોવાળા ફક્ત પર્સન્ટાઇલ રેન્ક જાહેર કરે છે એવું કહેતા નથી કે એડમિશન ક્યાં મળશે, જેઇઇ એડવાન્સ માટે ક્વોલિફાય થવું એટલે એડમિશન મળી જવું એ માનવું ભૂલ ભરેલું છે

કોચિંગ ક્લાસીસોના સંચાલકો હવે પછીના વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવા માટે 90 પર્સન્ટાઇલનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને પોસ્ટર બોય બનાવીને એક પ્રકારની જાળ બિછાવી રહ્યા છે.

અહીં વર્ષ 2022માં જેઇઇ મેઇન્સના રેન્કની સામે કેટલા પર્સન્ટાઇલ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા એ દુર્લભ ડેટા રજૂ કરવામાં આવ્યો છે જેના પરથી જાણી શકશો કે 95 પર્સનટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓનો રેન્ક 45 હજારથી પણ ઉપર છે. આઇઆઇટી, એનઆઇટી, ત્રિપલ આઇટી બધુ મળીને આખા ભારતમાં 40 હજાર જેટલી સીટો ઉપલબ્ધ છે.

RankPercentile
5699.998
7399.996
8899.995
10999.993
12999.992
19199.98
26999.97
39399.96
48299.95
58199.94
66399.93
76099.92
84799.91
95199.9
1,03699.89
1,12899.88
1,22599.87
1,30799.86
1,40799.85
1,48599.84
1,57199.83
1,65899.82
1,75799.81
1,82299.8
1,92599.79
2,01799.78
2,10999.77
2,18399.76
2,28899.75
2,36999.74
2,47399.73
2,55599.72
2,65599.71
2,72999.7
2,82899.69
2,92399.68
3,03499.67
3,12199.66
3,20699.65
3,29499.64
3,38999.63
3,46499.62
3,57199.61
3,63699.6
3,74499.59
3,85599.58
3,92899.57
4,00099.56
4,11499.55
4,20699.54
4,30099.53
4,41099.52
4,49199.51
4,57299.5
4,66199.49
4,75799.48
4,83999.47
4,91299.46
5,02199.45
5,09199.44
5,20599.43
5,27999.42
5,39999.41
5,46699.4
5,55099.39
5,63399.38
5,74599.37
5,80099.36
5,90199.35
6,00299.34
6,10899.33
6,18499.32
6,28999.31
6,37099.3
6,47399.29
6,55699.28
6,65399.27
6,74899.26
6,83599.25
6,94399.24
7,02499.23
7,09199.22
7,19399.21
7,31799.2
7,37499.19
7,46299.18
7,54399.17
7,61999.16
7,72399.15
7,82699.14
7,89799.13
7,99999.12
8,07899.11
8,19299.1
8,26699.09
8,35699.08
8,47299.07
8,54099.06
8,64699.05
8,71899.04
8,81699.03
8,91999.02
8,99699.01
9,11899
9,62298.94
10,50198.85
11,38198.75
12,36498.64
13,30598.54
14,18998.44
15,06698.35
15,93398.25
16,85998.15
17,76598.04
18,64897.94
19,54097.85
20,46397.74
21,39497.64
22,26997.54
23,21597.44
24,09297.34
24,95297.25
25,85797.14
26,70197.05
27,61096.94
28,49996.84
29,34796.75
30,22596.64
31,07596.56
31,94596.47
32,94996.34
33,93096.24
34,74396.14
35,60096.06
36,49895.95
37,33195.85
38,25795.76
39,11395.65
39,98095.56
40,87795.46
41,77395.35
42,71295.25
43,61595.16
44,53995.05
49,43594.48
58,40293.5
67,40892.49
76,37991.48
85,41490.5
94,70889.48
1,03,97188.45
1,13,10787.52
1,22,28386.47
1,31,57685.54
1,40,96084.52
1,50,34783.52
1,59,87382.51
1,69,55981.47
1,78,93680.52
1,88,66579.54
1,98,30178.5
2,07,68977.54
2,17,49676.57
2,27,92575.44
2,37,95074.44
2,47,91173.48
2,57,20172.45
2,66,19471.58
2,76,39870.63
2,86,58369.5
2,96,63768.5
3,06,95067.43
3,17,27566.36
3,26,71965.55
3,35,74964.46
3,45,82263.52
3,56,14162.53
3,65,82561.46
3,75,56960.43
3,84,59159.53
3,93,96358.49
4,03,61657.49
4,14,14956.52
4,23,78555.64
4,32,01854.57
4,41,57753.56
4,52,42452.41
4,62,10151.44
4,70,53850.52
4,79,18749.62
4,89,30348.63
4,99,37947.47
5,07,42746.58
5,16,44545.56
5,26,98544.47
5,36,54343.5
5,44,37942.51
5,53,51141.4
5,63,47040.52
5,71,96839.34
5,80,91138.56
5,90,18337.54
5,99,17936.33
6,08,68135.53
6,17,19534.37
6,25,36233.53
6,33,89632.59
6,43,36031.39
6,52,64730.52
6,60,17629.76
6,68,21028.61
6,77,75127.54
6,86,27026.66
6,94,04825.63
7,03,44924.71
7,13,42023.48
February 6, 2023
turkey-quake.png
1min557

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. હજુ સુધી ત્યાંથી કોઈપણ પ્રકારની જાનહાનિના કે નુકસાનના હાલ સુધી અહેવાલ મળ્યા નથી. 

February 4, 2023
gjepc-symbol.jpeg
1min435

જીજેઇપીસી દ્વારા આગામી એપ્રિલમાં સુરતમાં ઇન્ટરનેશનલ બાયર્સ-સેલર્સ મીટ યોજાશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ અંગેનો કોલ આપતા જ સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડના સૌથી મોટા ઉત્પાદક સુરતમાં લેબગ્રોન ડાયમંડ્સની ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત સ્થિત રિજિયોનલ ઓફિસ દ્વારા સુરતમાં આગામી તા.4 અને 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડના ટ્રેડિંગ માટે ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કર્યું છે.

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયા, દિનેશ નાવડીયા, ગ્રીન લેબ્સના સ્મીત પટેલ, લેબગ્રોન એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી, જયંતિ સાવલિયા અને રજત વાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ભારતના સૌથી વધુ કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ (સીવીડી)નું ઉત્પાદન થાય છે. મહિને સુરતમાં પાંચ લાખ કેરેટ જેટલા જંગી પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ ડાયમંડ ગણાય છે અને સમગ્ર વિશ્વમાં તેની માગ વધી છે આથી જીજેઇપીસી દ્વારા આગામી તા.4 અને 5 એપ્રિલે સુરતમાં લેબગ્રોન ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયર્સ સેલર્સ મીટમાં હીરા વેચનારા તમામ સુરતના જ ઉત્પાદકો હશે જ્યારે ખરીદારોમાં 50 ટકા ખરીદારો ઓસ્ટ્રેલિયા, અમેરીકા, યુરોપ, મિડલ ઇસ્ટ જેવા દેશોમાંથી ખાસ સુરત તેડાવાશે. જ્યારે 50 ટકા ખરીદારો ભારતના જુદા જુદા શહેરોમાંથી સુરત આવશે અને તેમની સામે સુરતમાં જ ઉત્પાદિત થયેલા લેબગ્રોન ડાયમંડનું વ્યૂઇંગ થશે.

વધુમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો ઇચ્છે તો હાલમાં તેઓ બાયર્સ સેલર્સ મીટમાં પોતાનું રજિસ્ટ્રેશન જીજેઇપીસીમાં કરાવી શકે છે.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માગુકીયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડસના ટ્રેડિંગ માટે સૌથી પ્રથમ વખત ઇન્ટરનેશનલ બાયર્સ સેલર્સ મીટ યોજાઇ રહી છે અને એ સુરત શહેરમાં યોજાઇ રહી છે. આ માટે હાલમાં ઘનિષ્ઠ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવતા ખરીદારોને સુરતમાં બનેલા સારામાં સારા લેબગ્રોન રફ ડાયમંડ્સનો માલ જોવા અને ખરીદવા મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

February 4, 2023
weavers.jpg
1min2931

વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Textile trading comes to a standstill in Surat amid second Covid-19 wave |  Business Standard News

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.

સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.

લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.

February 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min535

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી

મુંબઇ સ્થિત અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કી સહિતના ડેલીગેશને બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરના ઓફિસ બેરર્સ, ઉદ્યોગકારો તેમજ મહિલા સાહસિકો સાથે મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ સાથે અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એ ભારતના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે, આથી એમએસએમઇમાં કલાયમેટ ચેન્જ અંગે અમેરિકાની કન્સલ્ટન્ટ કંપનીઓ માર્ગદર્શન આપી શકે તેમ છે. આ ઉપરાંત ભારતની કઇ કઇ પ્રોડકટ માટે અમેરિકામાં માર્કેટ છે તેની યાદી ચેમ્બરને આપવા તેમણે યુએસ કોન્સુલ જનરલને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ માં અમેરિકાના ડલાસ અને એટલાન્ટા શહેરમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરાયું છે. તેમણે અમેરિકાના સૌથી મોટા હોટેલ એસોસીએશન આહોઆએ સુરત ખાતે ઉદ્યોગકારો સાથે કરેલી મિટીંગ વિષે પણ માહિતી આપી હતી.

અમેરિકાના કોન્સુલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ભારત સાથે આર્થિક અને સામાજિક સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધી રહયું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગ માટે બંને દેશો એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે ? તેના માટે પ્રયાસો થઇ રહયાં છે. બિઝનેસ ડેવલપમેન્ટ, વ્યકિતગત સંપર્કો અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા તથા હયુમન ટ્રેઇનીંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે. જેના ભાગ રૂપે તેઓ ભારતના જુદા–જુદા રાજ્યોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી રહયાં છે. અમેરિકામાં બિઝનેસ વધારવા માંગતા ઉદ્યોગકારોને તુરંત રિસ્પોન્સ આપવામાં આવે છે.

ઇકોનોમિક અને બિઝનેસ કલ્ચર ડેવલપ થાય તે રીતે યુએસ પોલિસી બનાવવામાં આવી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસાર્થે આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બિઝનેસ વીઝા, સ્ટુડન્ટ વીઝા અને મેરીટલ વીઝા ઉપર ફોકસ કરવામાં આવી રહયો છે. કલ્ચરલ કનેકશન માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઇ રહયાં છે. ગુજરાતમાં વડોદરા અને હવે સુરતની મુલાકાત લીધી છે.

સુરત શહેર એ પ્રેકટીકલ બિઝનેસ કલ્ચર ધરાવે છે. અહીં કો–ઓપરેટીવ કલ્ચર જોવા મળ્યું છે. સુરતમાં મહિલા સાહસિકો જુદા–જુદા ઔદ્યોગિક સેકટરમાં તેઓનું યોગદાન આપી રહી છે. મહિલા સાહસિકોનું યોગદાન વધે તે હેતુથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકાની કંપનીઓ દ્વારા ફાયનાન્સ પ્રોવાઇડ કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો પોતાનો બિઝનેસ વધારી શકે તે દિશામાં ખાસ પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઇલેકટ્રીકલ વ્હીકલ મોબિલિટી પ્લાન્ટના અમલીકરણ માટે પણ મદદ કરવા પ્રયાસ કરાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ટેક્ષ્ટાઇલ અને જ્વેલરી પ્રોડકટ ડોમેસ્ટીક માર્કેટમાં વેચાઇ રહી છે પણ આ પ્રોડકટ્‌સ ગ્લોબલી માર્કેટને ધ્યાને લઇને બનાવી એક્ષ્પોર્ટ કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કલાયમેટ ચેન્જ અંગે પેપ્સીકો કંપની દ્વારા બનાવવામાં આવેલો રિપોર્ટ તેઓ ચેમ્બર ઓફ કોમર્સને આપશે. સાથે જ અમેરિકાના માર્કેટ માટે ભારતીય પ્રોડકટની યાદી પણ તેઓ ચેમ્બરને આપશે. તેમણે કહયું કે, યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ચેમ્બર ઓફ કોમર્સના ટેક્ષ્ટાઇલ સંબંધિત સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરોકત મિટીંગમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેરમેન હર્ષલ ભગત તથા મહિલા ઉદ્યોગ સાહસિકોમાં ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કો–ચેરપર્સન કૃતિકા શાહ, ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. અમિ યાજ્ઞિક, બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભકતા, જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા પૂર્વી પચ્ચીગર અને વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સંગિતા ચોકસી ઉપસ્થિત રહયાં હતાં.