CIA ALERT

સ્મૃતિ ઇરાનીને કાળા વાવટાની સાઇડ ઇફેક્ટ, ટેક્સટાઇલ પોલિસી અંગેની મિટીંગમાંથી ફોગવા આઉટ

Share On :

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની સુરત ખાતેની છેલ્લી મુલાકાત દરમિયાન વિવર્સના કેટલાક પ્રશ્નો સંદર્ભે ફોગવાના અશોક જીરાવાળા સમેત 4 આગેવાનો એ કાળા વાવટા બતાવવાની કરેલી હરકતના માઠા પરિણામો હવે ફોગવાના આગેવાનોએ ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસીના ડ્રાફ્ટિંગની મિટીંગમાંથી જ ફોગવાનો એકડો કાઢી નાંખ્યો છે.

આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને નવી ટેક્સટાઇલ પોલિસીની રચના માટે મળેલી બેઠકમાં ફોગવાના એકેય આગેવાનને સ્થાન અાપવામાં આવ્યું ન હતું. આમ છતાં ફોગવાએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા)એ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં સામેલ કરવા માટેના કેટલાક મુદ્દાઓ આધારિત એક મેમોરેન્ડમ પાઠવ્યું છે. ફોગવાએ કરેલી રજૂઆતો મોટે ભાગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી દેવાઇ છે એટલે ફોગવા રજૂઆત કરે કે ન કરે રાજ્ય સરકારને કશો ફરક પડતો નથી.

ફોગવાની નેતાગીરીએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં નીચે મુજબના મુદ્દાઓ ગુજરાત સરકારની ડ્રાફ્ટ થઇ રહેલી ટેક્સટાઇલ પોલિસીમાં સમાવવા રજૂઆત કરી છે.

  1. હયાત પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રઝ અને નવી પાવર લુમ્સ ઇન્ડ. માટે સ્પેશિયલ પાવર ટેરીફ (રૂ.3.50 પ્રતિ યુનિટ બધા જ ચાર્જ સાથે અને ટેક્સ સાથે)
  2. નવી ટેક્સટાઇલ પોલિસીમાં 5થી 8 ટકાની વ્યાજની સબસિડી વિવર્સને આપવામાં આવે.
  3. કેપિટલ સબસિડી 10 ટકા શહેર હદ વિસ્તારમાં અને 15 ટકા શહેર બહારની હદ વિસ્તારમાં આવેલા વિવર્સને આપવામાં આવે. જેમાં સબસિડીની રકમની લિમીટ રૂ.20 કરોડ ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડની ગાઇડ લાઇન મુજબ
  4. જુના પાવર લુમ્સનું આધુનિકરણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસિડી.
  5. વિવિંગ ઉદ્યોગ માટે નવું બાંધકામ કરવા રૂ.350 પ્રતિ સ્ક્વેયર ફીટની સબસિડી
  6. વોવન ટેકનિકલ ટેક્સટાઇલ માટે 45 ટકા સબસિડી આપવામાં આવે.

ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય

જોકે જાણકારો કહે છે કે ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં એટલા માટે લેવાય નહીં કેમકે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા સમેત કેટલાક આગવાનો વિવર્સના પ્રશ્નો હલ થાય તો કોંગ્રેસને શ્રેય આપશે અને અગાઉ પણ આવી હરકતો ફોગવાની હાલમાં આગેવાની લેનારાઓ કરી ચૂક્યા છે. અશોક જીરાવાળાએ તો ક્રેડિટ લેપ્સના મુદ્દે ઉતાવળે એવું પણ નિવેદન કરી દીધું હતું કે ભાજપ સરકાર કશું નહીં કરે તો ફોગવાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆતો કરવી પડશે. અશોક જીરાવાળાના આ નિવેદન પછી ફોગવાને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહેજ પણ દાદ નહીં આપવાનો નિર્ણય કરી દીધો છે. પરીણામે નવી ટેક્સટાઇલ પોલિસીમાં ફોગવાની જગ્યાએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ગંભીરતાથી લઇને પ્રાધાન્ય અપાશે એમાં કોઇ બે મત નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :