CIA ALERT

સોમાલિયા પર અમેરિકાનો હવાઇ હુમલો, 37થી વધુ આતંકીઓનો સફાયો

Share On :
મંગળવારે અમેરિકાએ કરેલા બે હવાઇ હુમલામાં સોમાલિયાના 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. યુ.એસ આર્મીએ દાવો કરતા જણાવ્યું કે પ્રથમ હવાઇ હુમલામાં 27 આતંકવાદીઓના મોત થયા હતા અને બીજા હુમલા દરમિયાન અન્ય 10 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.
અમેરિકા મુજબ આ હુમલાઓ સોમાલિયામાં આતંકી સંગઠનોની તાકાત તોડવા માટે કરવામાં આવ્યા હતા, અમેરિકા મુજબ સોમાલિયાનું અલ-કાયદા સાથે જોડાયેલું અલ-શબાબ આતંકી સંગઠન ભવિષ્યમાં આતંકી હુમલાઓ કરી શકે એમ હતું, જેથી તેના પર અંકુશ મેળવવા માટે હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકા મુજબ આ હવાઇ હુમલાઓ સોમાલિયાની સરકારને વિશ્વાસમાં લઇને કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ એ પણ દાવો કર્યો હતો કે, બે હવાઈ હુમલા દરમિયાન કોઈ પણ નાગરિકનું મોત નીપજ્યું નથી. અમેરિકાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સોમાલિયા અને AMISOM દળોને ટેકો આપવા તથા તેમને રક્ષણ આપવા આતંકવાદીઓને સોમાલિયામાંથી ખદેડવા માટે તે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના રિપોર્ટ મુજબ અલ-શબાબ આતંકી સંગઠન હુમલાઓનું કાવતરું ઘડવા અને તેને પાર પાડવા, માનવતાવાદી સહાયને નુકસાન પહોંચાડવા, સોમાલિયામાં સ્થાનિક આતંકવાદીઓની પ્રવૃત્તિઓ માટે  જરૂરી ભંડોળ પૂરું પાડવા અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે દક્ષિણ અને મધ્ય સોમાલિયાના ભાગોનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા 16 ઑક્ટોબરે સેન્ટ્રલ સોમાલિયામાં આજ પ્રકારના હવાઇ હુમાલાઓમાં  60 આતંકી માર્યા ગયા હતા.
અમેરિકા દ્વારા નવેમ્બર 2017માં પણ હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલા દરમિયાન 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ યુ.એસ. દળો પર હવાઈ હુમલા દરમિયાન નાગરિકોની હત્યા કરવાના આરોપ લગાવામાં આવ્યા હતા.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :