રાજકોટના 123 ખેડૂતોને પાક વીમાના નાણાં મળ્યા નથી, 56 ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી
રાજકોટના 6 ગામના ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 56 જેટલા ખેડૂતોએ એક સાથે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી. આ મામલે સરકાર પણ મદદ ન કરતી હોવાની ખેડૂતોની રાવ છે. ખેડૂતોના કહેવા મુજબ વીમાની રકમ અંદાજે દોઢ કરોડ જેટલી થવા જાય છે.

લાંબા સમયથી વીમાની રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુસ્સે થયેલા ખેડૂતો આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના દિવસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મવિલોપનની ચિીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં વાત કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.
ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાનું કહેવું હતું કે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


