મહેનતનું ફળ મોટરકાર
- સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીએ 600 કર્મચારીઓને કાર લઇ આપી, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ કારની ચાવી અર્પણ કરાશે
- નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પોતાની ઓફિસમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીઓ સમેત 4 કર્મચારીઓને ટોકન રૂપે ચાવી અર્પણ કરશે
- સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીના સવજીભાઇ ધોળકીયા કહે છે કે તેજી હોય કે મંદી મોટરકાર આપવાના મામલાને કોઇ અસર નથી પહોંચતી કેમકે એ કર્મચારીઓએ કરેલી એક્સટ્રા મહેનતના જ પૈસા છે
- દરેક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પેટે રૂ.6 હજાર ફિક્સ, જેમાંથી લોનનો હપ્તો કંપની બારોબાર ભરશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતની જાણીતી હીરાની પેઢી હરેકૃષ્ણે એક્સપોર્ટ દ્વારા ચાલુ વર્ષે પણ દિવાળી પૂર્વે તેના 600 કર્મચારીઓને મોટરકારની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ યોજી રહી છે.
કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હરે કૃષ્ણ પેઢીના સ્થાપક સવજીભાઇ ધોળકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટરકાર આપવાના કાર્યક્રમને સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ મિશન નામ આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મોટરકાર એવા કર્મચારીઓને મળી રહી છે જેમણે તેમનામાં સ્કીલ ડેવલપ કરી કંપનીને ફાયદો કરાવ્યો છે. ટૂંકમાં કંપની માટે કર્મચારીઓએ કરેલી મહેનતનું પરિણામ તેઓ તેમને મોટરકાર અપાવીને કે ઘર લેવા માટેની ફિક્સ ડિપોઝિટ કરીને ચૂકવશે.
સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કર્મચારીઓને ઇન્સેન્ટીવ માટે પસંદ કરવામાં આવેલા 600 કર્મચારીઓએ પોતાને મોટરકાર જોઇએ છે તેવી માગણી કરતા તેમણે મારુતી સેલેરીયો, મારુતી અલ્ટો અને રેનૉલ્ટ ક્વીડ કાર લઇ આપી છે. તેમણે મોટરકાર ઉત્પાદક કંપનીઓ સાથે જ સીધું ડિલિંગ કર્યું છે એટલે પ્રતિકાર 80 હજાર જેટલું જંગી ડિસ્કાઉન્ટ મળ્યું હોવાનું પણ સવજીભાઇએ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં આવે એટલા માટે સંપર્ક કરાયો હતો પણ તેઓ વ્યસ્ત હોવાથી નહીં આવી શકે પણ, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે તેઓ દિલ્હી ખાતે સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટના 4 કર્મચારીઓ જેમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે તેમને ટોકન ચાવી ગીફ્ટ કરશે એ પછી સુરત ખાતે ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ કંપની ખાતે બાકીના કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવશે.
કર્મચારીઓને કાર વિતરીત કરાયા પછી કંપની તેમના વતી હપ્તો ભરશે, આ હપ્તોની રકમ એ જે તે કર્મચારીઓએ કરેલી મહેનતના બદલામાં તેમને આપવામાં આવેલું પ્રતિ માસ રૂ.6 હજારની રકમનું ઇન્સેન્ટીવ જ છે.
સવજીભાઇએ એક વાત મહત્વની એ પણ કરી કે ઇન્સેન્ટીવ પામનારા દરેક કર્મચારીઓને માગે એટલે કાર નથી આપતા પણ તેઓ પહેલા એ ચેક કરે છે કે કર્મચારી પાસે પોતાનું ઘર છે કે નહીં, ઘર ન હોય તો તેઓ પહેલા ઘર લેવા માટે ઇન્સેન્ટિવના નાણાં ઉપયોગમાં લેવાની સૂચના આપે છે, જેમની પાસે ઘર હોય તેઓને જ કાર લેવાની પરમિશન અપાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
