કૉંગ્રેસમાં ડખો : અમદાવાદ શહેર 500 કાર્યકરોએ આપ્યા રાજીનામાં તો સુરતમાં બાખડ્યાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રાહુલ ગાંધી ભલે કોંગ્રેસને બેઠી કરવા માટે દિવસ રાત એક કરતા હોય પણ ગુજરાતમાં કોંગ્રેસીઓ વચ્ચેના ડખાં ક્યારેય કોંગ્રેસને ઉપર આવવા નહીં દે એવું લાગે છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને સુરત જે બન્ને શહેરો કોંગ્રેસ માટે હાઇપ્રોફાઇલ ગણાય છે, આ બન્ને શહેરોમાં ધારે તો કોંગ્રેસ આગામી દિવસોમાં ભાજપાના કાંગરા ખેરવી શકે તેવા અન્ડર કરન્ટ વચ્ચે કોંગ્રેંસી કાર્યકરો એવા બાખડ્યાં કે મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો. અમદાવાદમાં તો 500 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ અંદરોઅંદરની લડાઇમાં પાર્ટીને જ રામરામ કરી દીધા છે જ્યારે સુરતમાં કોંગ્રેસીઓ એવા બાખડ્યા કે પ્રદેશ પ્રમુખ અમિતભાઇએ દરમિયાનગીરી કરવી પડી. સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને ધક્કો મારીને પાડી દેવાની પેરવીમાંથી ડખો થયો હતો.

અમદાવાદ કોંગ્રેસમાં શું બન્યું
શહેર કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામાં આપ્યા હતા. પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન જઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ચાંદખેડાના કૉંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા હતા. કૉંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કૉંગ્રેસના નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢી હતી. આ રેલીમાં જોડાયેલા કૉંગ્રેસના 500 જેટલા કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન ખાતે જઈને રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કૉંગ્રેસમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કૉંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે. નિમણૂકોમાં વહાલા-દવલાની નીતિ દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


