CIA ALERT

આજથી E-Way Billing સિસ્ટમ અમલી

Share On :

દેશભરમાં કારોબારીઓ અને વેપારીઓને ઈ-વે બિલમાં આજરોજ તા. 1 ઓક્ટોબરથી મોટી રાહત મળી રહી છે. ધંધો કરનારાઓ પોતાનો સામાન એકથી બીજા રાજ્યમાં મોકલવા ઉપર થતા ખર્ચમાં ઘટાડો થશે. થોડા સમય અગાઉ સરકાર દ્વારા કરવામાં આવેલા કાનૂની સંશોધનના કારણે ખર્ચમાં ઘટાડો સંભવ થશે. આ સાથે સરકારે તેના ફોર્મમાં પણ ફેરફારો કર્યા છે. જ્યારે અડધા ડઝન રાજ્યોમાં જોબવર્કના સામાનની આવકજાવક ઈ-વે બિલથી મુક્ત થઈ જશે.

સરકારે ઈ-વે બિલ જનરેટ કરવા માટે નવા ફોર્મનું પ્રારૂપ જારી કર્યું છે. જે આજે તા.1લી ઓક્ટોબર 2018થી અમલી થઇ ગયું છે. નવા પ્રારૂપમાં જરૂરિયાત વિનાના દસ્તાવેજો અને સૂચનામાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે નવાં સંશોધનના પાલન માટે અમુક નવી બાબતો પણ જોડવામાં આવી છે. જીએસટી નેટવર્કની દેખરેખ રાખતી કંપની જીએસટીએનના એક અધિકારીના કહેવા પ્રમાણે ટ્રાન્ઝેક્શનના આધાર ઉપર દસ્તાવેજ જમા કરવાના ડ્રોપ ડાઉન મેનુ પણ દસ્તાવેજોની સંખ્યા સિમિત કરવામાં આવી છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સામાનની આપૂર્તિ ઉપર ફોર્મ જનરેટ કરતાની સાથે જ સામાન મોકલનારા અને મેળવનારા વ્યક્તિને એસએમએસ એલર્ટ મળી જશે. દેશના અમુક રાજ્યોએ પણ લીધેલા મહત્ત્વના નિર્ણયો એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જેમાં પંજાબ, ગુજરાત સહિત સાત રાજ્યોમાં જોબવર્ક માટે નિર્માતાને ત્યાંથી આવતા અથવા તૈયાર માલને ઈન્ટ્રાસ્ટેટ બિલથી મુક્ત કરવામાં આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :