ડો.પ્રફુલ દોશીના પ્રકરણ પછી શહેરના તબીબો પેનિકમાં, CPને મળ્યા
Jayesh Brahmbhatt. 98253 44944
Me and Mummyવાળા ડો. પ્રફુલ દોશી પર થયેલી પોલીસ ફરીયાદ બાદ શહેરના તબીબો પેનિકની સ્થિતિમાં હોવાની કેફિયત સાથે આજે વીસથી વધુ તબીબોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શર્માને મળીને કેટલીક રજૂઆતો કરી હતી.

ડો.અનિતા શાહ, ડો. આશા ભટ્ટ, ડો. પ્રફુલ છાશટીયા, ડો.પ્રશાંત નાયક, ડો.સમીર દેસાઇ, ડો.અનિલ પટેલ, ડો.ઇન્દ્રવદન શાહ, ડો. ભૂપેશ ચાવડા, ડો. વિનોદ શાહ, ડો.અનિલ ગોસ્વામી, ડો.પ્રકાશ ભટ્ટ, ડો.મનિષા ઝવર, ડો. તોરાવાલા, ડો.અનિલ શાહ, ડો.હિરલ શાહ વગેરેનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મળવા પહોંચ્યું હતું.
પોલીસ કમિશનરને મળ્યા બાદ તેમની મુલાકાત અંગે પ્રતિનિધિમંડળ દ્વારા મિડીયાને જણાવાયું હતું કે તેઓ ડો. પ્રફુલ દોશી સામેના પોલીસ પ્રકરણ પછી ભયની સ્થિતિમાં આવી ગયા છે. તબીબ સામે આક્ષેપો સરળતાથી થઇ શકે તેવી સ્થિતિમાં તબીબોએ કેવી રીતે કામ કરવું એ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિ મંડળના કેટલાક તબીબોએ જણાવ્યું હતું.
પોલીસ કમિશનર શ્રી શર્માએ આ મુદ્દા પર તેમના ગાઇડન્સ આપ્યું હોવાનું જણાવતા પ્રતિનિધિ મંડળે કહ્યું કે પોલીસ કમિશનરે તેઓને કન્સલ્ટીંગ રૂમમાં વિડીયો કેમેરા રાખવા તેમજ દર્દીની તપાસ થાય ત્યારે તેના પરિવારજનો પૈકી કોઇકને સાથે રાખવાની સલાહ આપી હતી.
તબીબોનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર ને મળવા પહોંચ્યું ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ ડો. પ્રફુલ દોશીની તરફેણમાં મળવા પહોંચ્યા હતા. જો કે, પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમણે આવી કોઇ રજૂઆત કરી ન હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


