CIA ALERT

સમલૈંગિક્તા ગુનો નથી : સુપ્રીમ કોર્ટ

Share On :

કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

કલમ 377 પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં.

શું કહ્યું ચીફ જસ્ટિસે ?

કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા
માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

કલમ 377 શું કહે છે

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :