મેહુલ ચોક્સીએ મિલકતો મની લૉન્ડરિંગથી ખરીદી હતી
હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસી અને તેમનાં નામ સાથે સંકળાયેલી તેમ જ ઍનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરવામાં આવેલી રૂ.૧,૨૧૦ કરોડનાં મૂલ્યની મિલકત મની લૉન્ડરિંગની હોવાનું પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના અધિકારીએ જણાવ્યું હતું અને એ તમામ મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈસ્થિત પંજાબ નેશનલ બૅંક સાથે કરવામાં આવેલી અંદાજે રૂ.૧૪૦૦૦ કરોડની છેતરપિંડીને મામલે પીએમએલએ અંતર્ગત આ વર્ષના ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના નાશિક, નાગપુર અને પનવેલ તેમ જ તમિળનાડુના વિલુપુરમ ખાતે આવેલી કુલ ૨૩૧ એકર જમીન, અલીબાગમાં આવેલું ચાર એકર વિસ્તારમાં ફેલાયેલું ફાર્મહાઉસ, કોલકતામાં આવેલો એક મૉલ, મુંબઈમાં ૧૫ ફ્લેટ તેમ જ ૧૭ ઑફિસ કેન્દ્રીય તપાસ એજન્સીએ ટાંચમાં લીધી હોવાનું તેમણે કહ્યું હતું.
ઇડી દ્વારા દાકલ કરવામાં આવેલી મૂળ ફરિયાદની બાબતોને ધ્યાન પર લેતાં જપ્ત કરવામાં આવેલી મોટાભાગની સ્થાવર મિલકતો મનીલૉન્ડરિંગની હોવાનું જણાઈ રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એટલે જ હું આ તમામ મિલકત જપ્ત કરવાનો અને એ અંગેની પ્રક્રિયા ચાલુ રાખવાનો આદેશ આપું છું, એમ તેમણે કહ્યું હતું
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


