શરદ પવારની ભવિષ્યવાણી, જેની સૌથી વધુ બેઠકો તેનો PM

એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચર્ચા કરી શકાય, પરંતુ પહેલા ભાજપને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦૪ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.
પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


