12 વર્ષથી ઓછી વયની છોકરી પર બળાત્કાર માટે ફાંસીનો કાયદો બનશે
દેશના કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે 12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારવામાં કસૂરવાર ઠરેલાને ફાંસી ફટકારવાની જોગવાઈ કરતો ખરડો 18મી જુલાઇથી આરંભેલા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વર્ષ 2018ના અપરાધિક કાનૂન (સુધારા) ખરડા પર એક વાર સંસદનું મંજૂરીનું મત્તું મારવાની રાહ જોવાઈ રહી છે. તે સંપન્ન થયા બાદ ક્રિમિનલ કાનૂન સુધારાવધારા અને ફેરફાર વટહુકમનું સ્થાન લઈ લેશે. ગૃહ મંત્રાલયે ઘડેલા મુસદ્દા ખરડાને કેન્દ્રીય કેબિનેટે સહમતિ આપી છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ ખાતે સગીરા પર બળાત્કાર ગુજારાયા બાદ ખૂન કરવું તેમ જ ઉત્તર પ્રદેશના ઉન્નાવો ખાતે એક મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના બાદ હોબાળો મચી ગયો હોવાથી 21મી એપ્રિલે આ વટહુકમ ઘડવામાં આવ્યો હતો.
12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુદંડ કરવાની સજાની જોગવાઈ છે.
મહિલા પર બળાત્કાર ગુજારવામાં લઘુતમ સજાને સાત વર્ષની કડક કેદની સજાથી વધારીને 10 વર્ષની સખત કેદની સજા કરાઈ છે. આ સજા વિસ્તારીને આજીવન કારાવાસની સજા પણ ફટકારી શકાય છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ ખરડા અનુસાર 16 વર્ષ હેઠળની ક્ધયા પર બળાત્કાર ગુજારાય તો લઘુતમ સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષની કરવામાં આવી છે, બાકીના જીવન સુધી કારાવાસ વિસ્તારી શકાય છે તેનો મતલબ એવો થાય કે કસૂરવારના કુદરતી જીવન સુધી જેલની સજા થઈ શકે છે. આથી 16 વર્ષ કરતાં ઓછી ઉંમરની ક્ધયા પર સામૂહિક બળાત્કાર ગુજારવાની સજા કસૂરવારને બાકીના જીવન સુધી કેદની જ થઈ શકે છે. આ ઉપરાંત બળાત્કારના કેસમાં ઝડપી તપાસ આદરવી તેમ જ ખટલો પણ ઝડપથી ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
