સરકારે ટુકડો ફેંક્યો, દ.ગુ.ના મુખ્ય પાક શેરડીના ભાવમાં ક્વિન્ટલે ₹ 20નો વધારો
સરકારે આગામી ઑક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગના નવા (ઑક્ટોબરથી સપ્ટેમ્બરના) વર્ષથી શેરડીના લઘુતમ ભાવમાં ક્લિન્ટલ દીઠ રૂપિયા 20નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 કર્યો હતો.
ખાંડના કારખાનાઓએ માર્કેટિંગના આગામી વર્ષથી શેરડીના ઉત્પાદકો (ખેડૂતો)ને ક્વિન્ટલ દીઠ રૂપિયા 20 વધુ ચૂકવવા પડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોને લગતી કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. ખાંડના કારખાનાઓએ શેરડીના ઉત્પાદકોને
2017-2018ના માર્કેટિંગના વર્ષમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ રૂપિયા 255 ચૂકવવાના છે.
કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે શેરડીના ઉત્પાદકોના લાભાર્થે તાજેતરમાં અનેક પગલાં લીધા હતા. સરકારે બુધવારે શેરડીના ભાવમાં કરેલો વધારો બતાવે છે કે સરકારને ખેડૂતોની તકલીફની ઘણી ચિંતા છે.
અન્ન વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે 2018-2019ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના લઘુતમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 રાખ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલ દીઠ રૂપિયા 155 થાય છે અને લઘુતમ ભાવ તેનાથી 77.42 ટકા વધુ રખાયો છે.
પાસવાને જણાવ્યું હતું કે રિકવરી રૅટ જો 10 ટકાથી વધુ હશે તો શુગર રિકવરીમાંના દરેક 0.1 ટકા વધારા પર ક્વિન્ટલ દીઠ રૂપિયા 2.75 પ્રીમિયમ અપાશે.
રિકવરી રૅટ 9.5 ટકાથી ઓછો હશે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 261.25 મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
