સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને પગલે ઉદ્ભવેલી સ્થિતિમાં મિનિસ્ટર જયેશ રાદડીયા લોકો વચ્ચે પહોંચી ગયા
સમગ્ર ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગરીબ મધ્યવર્ગીય પરિવારો પર જાણે આકાશી આફત તૂટી પડી છે. આવા સંજોગોમાં લોકોની વચ્ચે જઇને તેમના દુખદર્દ પૂછનારાઓ જ ખરા લોકનેતા ગણાય છે.
રાજ્યના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રમાં ઉદભવેલી સ્થિતિની સ્વયં સમીક્ષા કરી હતી. શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમ જૂનાગઢના કેશોદ, માણાવદરના અસરગ્રસ્ત ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નો સાંભળવા સાથે તેના ઉકેલ માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમે જૂનાગઢ જીલ્લાના કેશોદ તેમજ માણાવદર તાલુકાના ધેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી મદદ પહોંચાડવા સુચન કરીને જીલ્લા અને તાલુકાના કંટ્રોલરુમની મુલાકાત લઈને કલેકટરશ્રી તેમજ પ્રાંત અધિકારીઓ સાથે પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
