સપ્તશ્રૃંગી મંદિર પર દેશની સૌપ્રથમ ફ્યુનિક્યુલર ટ્રોલીની સુવિધા યાત્રાળુઓ માટે શરૂ
જયેશ બ્રહ્મભટ્ટ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો લોકો જેના દર્શને જાય છે એ મહારાષ્ટ્રના નાસિક નજીક વણી ખાતે આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પહોંચવા માટે ફ્યુનિક્યુલર રોપ-વેની સુવિધા કાર્યાન્વિત કરી દેવામાં આવી છે.
દેશની જાણીતી શક્તિપીઠ પૈકીના અને મહારાષ્ટ્રમાં નાસિક નજીક વણી ખાતે ગઢ પર આવેલા સપ્તશ્રૃંગી મંદિર પર દેશની પહેલી ફ્યુનિક્યુલર ટ્રોલીનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રોલીને કારણે મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ ભાવિકોને મંદિર સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના આદિવાસી વિભાગ અને જાહેર બાંધકામ ખાતાના માધ્યમથી આ ટ્રોલીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર જ આવા સ્વરૂપનો રોપ વે બનાવવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે. રશિયન ટેકનોલોજીની મદદ લઇને રોપ વે બનાવવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ યોજના પર કામ કરવામાં આવ્યું છે. મેટ્રોની જેમ ડબાની રચના કરવામાં આવી છે. એક જ ફેરીમાં 60 જણ આ ટ્રોલીમાં પ્રવાસ કરી શકશે.
સપ્તશ્રૃંગી ગઢ સમુદ્રની સપાટીથી 12,000 મીટર ઊંચાઇ પર છે, 40 અંશે રોપ વે બાંધવામાં આવ્યો છે. રોપ વેની લંબાઇ 167 મીટર, જ્યારે ઊંચાઇ 100 મીટર છે. સપ્તશ્રૃંગી ગઢને 550 સીડી હોવાથી દેવીના દર્શન કરવા માટે મહિલા વરિષ્ઠ નાગરિકને અગાઉ દોઢથી બે કલાક સમય લાગતો હતો, હવે માત્ર દોઢ મિનિટમાં ભકત મંદિર સુધી પહોંચી શકશે.
ટ્રોલીમાં કુલ નવ બ્રેક બેસાડવામાં આવ્યા છે, તેથી જ બે-ત્રણ બ્રેક ફેલ થઇ જાય તો પણ બાકી બચેલી બ્રેકથી કામ થઇ શકે. એક રોપને સર્પોટ કરવા માટે વધુ એક રોપ નાખવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી સર્જાતા સિક્યોરિટી અલાર્મ વાગશે.
મુખ્ય પ્રધાન પાસે સમયનો અભાવ હોવાથી છેલ્લા છ મહિનાથી ટ્રોલીનું લોકાપર્ણ રખડ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
