મોદી સરકારે ચાર વર્ષ પૂર્ણ કરતાં ગુજરાતમાં ઉજવણી કરાશે: જીતુભાઇ વાઘાણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રમાં ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળ જે સિદ્ધિઓ મેળવી છે તે આ ઉજવણી દરમિયાન લોકો સુધી પહોંચાડવાનો ભાજપનો આશય છે. કેન્દ્રની એનડીએ સરકારની સિદ્ધિઓને લોકો સુધા લઈ જઈશું, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૭ મેથી ૧૧ જૂન સુધી ભાજપ ગુજરાતભરમાં ઊજવણી કરશે જેમાં વિવિધ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જન સંપર્ક કાર્યક્રમ, પત્રકાર વાર્તાઓ, લાભાર્થી કાર્યક્રમ જેવા કાર્યક્રમ યોજશે અને ભાજપ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. તેમણે કૉંગ્રેસ પર પણ નિશાન તાકતા કહ્યું હતું કે કૉંગ્રેસ ગૌશાળા, પાંજરા પોર, ગાય માતા માટે ધડમાથા વગરની વાતો કરે છે અને ગમે તેમ આક્ષેપો કરે છે તે બધા આક્ષેપોને હું ફગાવું છું. બનાસકાંઠામાં જે રીતે સમાધાન થયું છે, ઘણી સેવા કરનારી સંસ્થાઓ છે તે બાબતને કૉંગ્રેસ પચાવી શકતી નથી. ભાજપની સંવેદના પાંજરાપોળ, ગૌશાળા મૂંગા પશુ કે માનવી માટે કાયમ રહી છે અને રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
