આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાનું શાનદાર રીતે પ્રજાવાત્સલ્ય અભિવાદન કરાશે
સુરતમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહેલી જ વખત કોઇ ધારાસભ્ય સ્વરૂપમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થયેલી નિયુક્તિ બાદ પહેલી વખત સુરતમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ નામની ખાનગી સંસ્થા દ્વારા આવતીકાલ તા.14મી નવેમ્બરને શુક્રવારે સાંજે લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ અને કાર્પ વિદ્યાસંકુલ ખાતે જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી પ્રુફુલ પાનશેરિયાનું પણ જાહેર અભિવાદન કરવામાં આવશે.
આ સમારોહ અંગે વધુ વિગતો આપતા દિનેશ નાવડીયા અને એડવોકેટ પ્રફુલ ચોડવડીયાએ જણાવ્યું હતું કે સુરતના બન્ને યુવાન ધારાસભ્યોએ ભૂતકાળમાં કરેલી દર્શનીય કામગીરીને બિરદાવવા તેમજ તેમને મળેલી નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં અધ્યક્ષ પદે કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ શહેર મેયર દક્ષેશ માવાણી કે જેના કાર્યકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકા અનેક એવોર્ડ હાંસલ કરી શકી છે તેમને પણ અભિવાદિત કરવામાં આવશે.
આ સમારોહમાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એમ માનવામાં આવે છે. આ સમારોહમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ ઉપરાંત શહેરની નામી અનામી 200થી વધુ સામાજિક, સ્વૈચ્છીક, વ્યાપારીક, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણરાજ્ય મંત્રીનું જાહેર અભિવાદન કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


