CIA ALERT

CBIની ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓ પર પાંડેસરા CETP ખાતે બેઠક યોજાઈ

Share On :

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, ગાંધીનગર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ CETP પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ભ્રષ્ટાચાર મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

આ બેઠકમાં ઘણા જાણીતા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસોસિએશન તરફથી પ્રમુખ શ્રી કમલવિજય તુલસિયાન, SGTPA પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા, શ્રી મહેશભાઈ કબુતરવાળા, શ્રી જે.પી. અગ્રવાલ અને અન્ય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહી.

અતિથિ મહાનુભાવોમાંથી CBIના શ્રી રામ પ્રસાદ (DSP, CBI, ગાંધીનગર), શ્રી નીરજ મલિક (PI, CBI, ACB, ગાંધીનગર), અને શ્રી પંકજ એ પટેલ (PI, CBI, ACB, ગાંધીનગર)એ તેમના અનુભવ અને અભિપ્રાયો શેર કર્યા. ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદાકીય પગલાં અને જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.

CBI, ACB ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના:

જો કોઈ કેન્દ્રીય સરકાર, બેંક અથવા રેલ્વેના ઓફિસર/કર્મચારી, લાંચ માંગે,પોતાનો પદનો દુરુપયોગ કરી નાજાયઝ આર્થિક લાભ મેળવે અથવા પોતાની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે, તો CBI, ACB ગાંધીનગરને તરત જ જાણ કરો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :