શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકોને 25મી ઓક્ટોબરે ખાદી પરિધાન કરવા સરકારની અપીલ
રાજ્યના શાળાકીય શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ સરકારી, ખાનગી કર્મચારીઓ, વ્યવસાયિકોને આગામી તા.25મી ઓક્ટોબર 2021ના રોજ ખાદીના વસ્ત્ર પરિધાન કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અભિયાનમાં સંમેલિત થવા માટે રાજ્યના નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર દ્વારા અપીલ કરી છે. 25મી ઓક્ટોબરે એક દિવસ પૂરતું જો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો જો ખાદી પરિધાન કરશે તો તેનાથી સ્વરોજગારી પણ વધશે અને આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળશે.

એક પરિપત્રમાં નાયબ શિક્ષણ નિયામકે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમથી રાજ્યના વણાટ ક્ષેત્રે કાર્યરત જરૂરીયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો, આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફને વ્યક્તિગત તથા સામૂહિક રીતે ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેના અભિયાનમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થવા તથા આગામી તા.25મી ઓક્ટોબરના રોજ સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે સૌને પ્રેરિત કરવા અપીલ કરવામાં આવે છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


