બાળમંદિરોમાં પ્રવેશ : પાલની ભૂલકા વિહારમાં 7-8 ઓક્ટોબર, ઉમરાની ઉન્નતી એકેડેમીમાં 7થી9 ઓક્ટોબર એપ્લિકેશન ફોર્મ મળશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત શહેરના બાળમંદિરોમાં 2022-23ના વર્ષ માટેના પૂર્વપ્રાથમિકમાં નર્સરી, જુનિયર કેજીમાં પ્રવેશ કામગીરી જુદી જુદી સ્કુલોએ શરૂ કરી દીધી છે.
સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળામાં ઇંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન તા.7 અને તા.8મી ઓક્ટોબરના રોજ ભરી શકાશે. ભૂલકા વિહારની ડિટેઇલ્સ માટે નીચેની જાહેરાત જુઓ.

ઉમરા સ્થિત સીબીએસઇ એફિલિયેટેડ ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં 7થી 9 ઓક્ટોબર ફોર્મ ભરી શકાશે
શહેરના ઉમરા વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડનું એફિલિયેશન ધરાવતી અધતન શાળા, ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ કામગીરી માટે તા.7થી 9 ઓક્ટોબર વચ્ચે ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે નીચેની જાહેરાત જુઓ

આ પ્રકારે આપની શાળાની પ્રવેશ કાર્યવાહીની એડર્વટાઇઝ વ્યાજબી દરે પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો 9825344944
સુરત શહેરમાં શાળાકીય શિક્ષણની ગતિવિધિ નોર્મલાઇઝેશન મોડમાં આવી ચૂકી છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ બાળમંદિરોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની અનેક શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષમાં નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેની જાહેરાતો કરવા માંડતા 3 અને 4 વર્ષના બાળકોના માબાપ એલર્ટ જણાય રહ્યા છે. ગત વર્ષે કોવીડના કારણે પ્રવેશ કાર્યવાહી કોઇ ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી પરંતુ, આ વખતે વાલીઓને આકર્ષવા માટે શાળા સંચાલકો નીત નવા ફંડા અપનાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની કેટલીક શાળાઓએ નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેના અરજીપત્રકો ઓનલાઇન અને ઓફલાઇન ભરવા અંગેની જાહેરાત કરી છે. અઠવાલાઇન્સની જાણિતી સ્કુલના આચાર્ય કહે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી બદલાયેલા ટ્રેન્ડમાં હવે સામાન્યમાં સામાન્ય પરિવાર પણ ક્યાં તો સેન્ટ્રલ બોર્ડ અગર તો તેમાં એડમિશન ન મળે તો ગુજરાત બોર્ડમાં કમસે કમ ઇંગ્લીશ મીડીયમમાં જ તેમના સંતાનોને પ્રવેશ મળે તેવું ઇચ્છી રહ્યા છે.આ વખતથી ગુજરાત બોર્ડે સુરતની શાળાઓએ શરૂ કરેલા દ્વિભાષી માધ્યમ (અગાઉના ગ્લોબલ ગુજરાતી માધ્યમ)ને પણ રાજ્યસ્તરે મંજૂરી આપી હોઇ હવે મોટા ભાગના પ્રવેશ ઇચ્છુક વાલીઓ તેમના પાલ્યો માટે આ પ્રકારની સ્કુલો જ શોધી રહ્યા છે.
કોવીડને કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ગત વર્ષથી જ કોવીડ-19ના નિયંત્રણોને કારણે સ્કુલોએ બાળમંદિરમાં પ્રવેશની કામગીરી માટે ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મોટા ભાગની સ્કુલોમાં બાળમંદિરોના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ બાળકનો જન્મદાખલો તથા ફોટોગ્રાફ અપલોડ કરવાના રહે છે અને બાદમાં તેમનું પ્રવેશ યાદી, મેરીટ લિસ્ટ વગેરે પણ વાલીઓને વ્હોટ્સએપ અને ઇમેલના માધ્યમથી જ વાકેફ કરવામાં આવે છે.
પ્રવેશની ખેંચતાણ મર્યાદિત સ્કુલોમાં, બાકી બારમાસી પ્રવેશ
છેલ્લા ત્રણેક વર્ષથી બાળમંદિરોમાં પ્રવેશની કાર્યવાહી જોતા એવું જણાય આવે છે કે પ્રવેશની ખેંચતાણ શહેરના દરેક વિસ્તારમાં આવેલી 4-5 બ્રાન્ડેડ સ્કુલોમાં જ જોવા મળે છે. શહેરમાં એવી ગણતરીની સ્કુલો છે કે જેમાં પ્રવેશ માટે ધસારો થાય છે. સુરતમાં હવે સ્કુલોની સંખ્યા જરૂરીયાત કરતા વધી ચૂકી હોઇ, મોટા ભાગની સ્કુલોમાં તો ઓનડિમાન્ડ એટલે કે બારેમાસ પ્રવેશ કામગીરી શરૂ રહે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
