CIA ALERT

સુરત કલેક્ટર સહિત રાજ્યના 77 સનદી અધિકારીઓની બદલી

Share On :

ગુજરાત સરકારે આજે તા.19 જુન 2021ના રોજ રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓની સામૂહિક બદલીના કરેલા ઓર્ડરમાં કુલ 77 સનદી અધિકારીઓની બદલી તેમને નવી જવાબદારી સોંપી છે.

તા.19 જૂન 2021ના રોજ ટ્રાન્સફર પામેલા સનદી અધિકારીઓમાં સુરત કલેક્ટર, રાજકોટ કલેક્ટર તેમજ જામનગરના કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના ડીડીઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

1991ની બેન્ચના એસ.જે. હૈદરને GSRTCના એમડી અને વાઈસ ચેરમેનના પદેથી ટ્રાન્સફર કરી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને 2005ની બેન્ચના હર્ષદકુમાર પટેલને GSRTCનો હવાલો આપવામાં આવ્યો છે. લાંબા સમયથી સુરત જિલ્લાના કલેક્ટર રહેલા ધવલ પટેલને ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે, તેઓ ગુડાના સીઈઓ તરીકે પણ જવાબદારી નિભાવશે.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશનર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે. નેશનલ હેલ્થ મિશનમાં મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 2007ની બેન્ચના અધિકારી એમ.એ. પંડ્યાને દેવભૂમી દ્વારકાના કલેક્ટર બનાવાયા છે. આમંદના કલેક્ટર આર.જી. ગોહિલની ટ્રાન્સફર ગીર-સોમનાથમાં કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અરુણ બાબુને રાજકોટના કલેક્ટર બનાવાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :