સોના પર ફરજિયાત હૉલમાર્કનો નિયમ હવે 15/6/21થી અમલી બનશે

વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે.
વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ એનો અમલ ભારતમાં ૨૦૨૧ની એક જૂનથી થવાનો હતો. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)ના મહાનગર અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે કૅઇટ અને અન્ય સંગઠનો દ્વારા મુદત વધારવાની વિનંતી કરાઈ હતી. લાગુ થનારા આ નિયમ માટે ભારતીય માનક બ્યુરો અને જ્વેલર અસોસિએશન્સના અમુક વેપારીઓની એક સમિતિની રચના કરી છે, જે દેશભરમાં હૉલમાર્કિંગના સરળ અમલીકરણ માટે અને અન્ય ગતિરોધો વિશે વાતચીત દ્વારા આગામી ૧૫ દિવસમાં નીવેડો લાવીને નિયમના અમલીકરણ માટેનો માર્ગ મોકળો કરશે. પીયૂષ ગોયલે બી.આઇ.એસ. દ્વારા આયોજિત એક વેબિનારમાં કૅઇટ અને અન્ય જ્વેલરી સંગઠનો સાથે વિસ્તૃત વાતચીત બાદ જાહેરાત કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
