CIA ALERT

180 કિમી સુધીની સ્પીડે તૌઉ’તેએ ગુજરાતના અનેક વિસ્તારો ઘમરોળી નાંખ્યા

Share On :

ગુજરાત પર 17મી મેની રાતથી ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ભારે નુકસાન થયું છે. મળતા પ્રાથમિક અહેવાલો મુજબ તૌકતે વાવાઝોડાને લીધે બનેલી જુદી જુદી ઘટનાઓમાં 4 લોકોના કમનસીબે મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.

તા.18મીએ સવારે મળેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં અંદાજે 452 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા જેના કારણે 2770 ગામોમાં અંધારપાટ છવાઈ ગયો. આ ઉપરાંત 145 જેટલા રસ્તાઓને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડતા 337 જેટલા ઝાડ પણ પડ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પકંજકુમારના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાતની ભૂમિ પર ઉના-દિવ વચ્ચે તૌઉ’તે વાવાઝોડું ટકરાવાની આખી (લેન્ડ ફોલિંગ) પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી

ગઇ કાલે એટલે કે તા.17મી મે 2021ની રાત્રે 8 વાગ્યાથી તૌઉ’તે વાવાઝોડું ગુજરાતના દીવ-ઉના વચ્ચે લેન્ડફોલ થયું હતું, 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે મસમોટો એરીયા ધરાવતું વાવાઝોડું જ્યારે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર આવ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ અફરાતફરી જોવા મળી હતી. લોકો ઘરોમાં કે સલાતમ સ્થળો પર હતા ત્યારે તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તાઉતે વાવાઝોડું હવે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર છે અને હજુ 12થી 15 કલાક બાદ તબક્કાવાર એ વિખેરાય જશે.

સૌથી વધુ અસરગ્રસ્ત ઉના-ગીર-કોડીનારમાં

તૌઉ’તે વાવાઝોડું ગુજરાતમાં ઉના અને દીવની વચ્ચે લેન્ડફોલ થયું ત્યારે 180થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ફૂંકાયો, નજરે જોનારા લોકોએ સોશ્યલ મિડીયામાં પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે તૌઉ’તે એટલું તીવ્ર ગતિએ આવ્યું કે વાવાઝોડાના માર્ગમાં જે આવ્યું તે હવામાં ફંગોળાયું હતું. સૌથી વ્યાપક અસરો ગીર અને ઉનામાં થઇ છે, અહીં થયેલા નુકસાનની તસ્વીરે સવાર પડતા જ સામે આવી રહી હતી.

એ સિવાય અમરેલી, જાફરાબાદ, ધારી, રાજુલા, મહુવા, પીપાવાવ, ખાંભા ખાતે પણ તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હોવાના દ્રશ્યો આજે તા.18મીએ સવાર પડતા જ સામે આવવા માંડ્યા છે.

વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા હોવા ઉપરાંત નુક્સાન થયું હોવાની વિગતો પણ સાંપડી રહી છે. સદનસીબે વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ થયાનું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.

ગુજરાતની ભૂમિ પર ટકરાયું વાવાઝોડું ત્યારે કેટલી સ્પીડે પવન ફૂંકાયો જુઓ આ વિડીયો

સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં 12 કલાકથી અંધારપટ, વૃક્ષો, લાઇટપોલ્સ અને હંગામી સ્ટ્રક્ચર ઠેરઠેર તૂટી પડ્યા, માર્ગો વેરણ છેરણ

Image
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 18મી મે એ વહેલી સવારથી શહેરના માર્ગો પર વેરણછેરણ પડેલા વૃક્ષો હટાવીને રોડ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.

સવારે 10 કલાકે હવામાન ખાતેએ જારી કર્યા ગ્રાફિક

Image

ગુજરાતના 78 તાલુકાઓમાં 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો

તૌઉ’તે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. મે માસમાં આવો વરસાદ ગુજરાતમાં ક્યારેય પડ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 78 તાલુકામાં છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથમાં ઉનામાં અઢી ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જામનગરમાં બે ઈંચ, રાજકોટમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ થયો હોવાના અહેવાલ છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તા.18મી મે 2021ની સવારે ટ્વીટ કરીને જાણકારી આપી

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :