CIA ALERT

વિરાર કોવીડ હોસ્પિટલમાં આગ હોનારત : 13 દર્દીઓના મોત

Share On :
13 Covid Patients In ICU Killed In Maharashtra Hospital Fire

તા.૨૨ એપ્રિલ ૨૦૨૧ની મધરાત્રે મહારાષ્ટ્રના વિરારની વિજય બલ્લભ કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગને કારણે 13 દર્દીઓના મોત નીપજ્યાં હતા.

Fire at Vijay Vallabh Hospital in Mumbai's Virar leaves 13 Covid patients  dead - Cities News

ગુરુવારે મોડીરાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં 13 દર્દીઓના મોતની ઘટના સમગ્ર ભારતમાં વાયુવેગે પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સથી લઈને ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની અને દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રમાં એક મહિનામાં હોસ્પિટલમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આમાંથી બે મુંબઇની જ છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ્સ મોલમાં લાગેલી આગ ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં દાખલ 10 દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે કોરોનાના 24 દર્દીઓના મોત થયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :