રાજકોટના ઉદ્યોગો શનિ-રવિ સ્વૈચ્છિક બંધ પાળશે
રાજકોટમાં આવતા શનિ-રવિ એટલે કે વિકેન્ડ ઉદ્યોગો સ્વયંભૂ લોકડાઉન પાળે એવું નક્કી થયું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે યોજેલા વેબિનારમાં રાજકોટ અને આસપાસના ઉદ્યોગ સંગઠનોએ સ્વેચ્છાએ આવી વાત સ્વીકારી હતી. જો કે, બુધવારે ઉદ્યોગો અઠવાડિક રજા નહીં પાળે. એ દિવસે કારખાના ચાલુ રહેશે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, મેટોડા, લોધીકા, પડવલા વિગેરે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ વેબિનારમાં ઉપસ્થિત હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકેન્ડમાં બંધ પાળવાની અપીલ કરી હતી જે બધાએ સ્વેચ્છાએ સ્વીકારી હતી.
એકાદ દિવસમાં શહેરના વેપારી સંગઠનોની પણ બેઠક કરી બધા વિકેન્ડમાં બંધ પાળે એવા પ્રયત્નો થશે. અગાઉ ચેમ્બરની અપીલ નાકામિયાબ નીવડી હતી.
આજે Dt 19/4/21 મુખ્યમંત્રી સાથે રાજ્યની દરેક ચેમ્બરોની બેઠક મળેલી. વીડિયો કોન્ફરન્સથી કેટલીક ચર્ચાઓ થઇ હતી. રાજકોટ ચેમ્બર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાઓને દર્દીઓનું સ્ટેટસ જાણવા મળે એ જરૂરી છે. આ માટે હેલ્પ ડેસ્ક હોવી જોઇએ. અત્યારે આવી વ્યવસ્થા છે. ચેમ્બર એમાં મદદરૂપ થશે. ચા-પાણીની વ્યવસ્થા પણ વિચારાઈ છે.
મુખ્યમંત્રીએ રાજકોટમાં કોવિડ દર્દીઓને વધુ સગવડ મળે એ માટે ચેમ્બરની આગેવાનીમાં ધાર્મિક-સામાજિક સંસ્થાઓ આગળ આવે. આ મુદ્દે આવતીકાલે બીએપીએસનાં અપૂર્વમુનિની ઉપસ્થિતિમાં આવી બેઠક મળવાની છે.
ચેમ્બર દ્વારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે થતા વિલંબને નિવારવા રાજકોટ આસપાસનાં રોડ સાઈડ ગામડાના સ્મશાનોનો આ માટે ઉપયોગ થાય એવું સૂચન પણ થયું હતું.
જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર વિગેરે ચેમ્બરે પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેટલીક ચેમ્બર દ્વારા લોકડાઉનનું સૂચન થયેલું પણ મુખ્યમંત્રીએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા કહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


