Ramdesivir ઘરેલું વપરાશ માટે નથી, ગંભીર દરદી માટે છે: સરકાર

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.
નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


