૨૧ માર્ચે ગુજરાતમાં કોરોનાના નવા ૧૫૬૫ કેસ
૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.
તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.
રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
