CIA ALERT

કોંગ્રેસ સત્તામાં આવતા જ ત્રણેય કૃષિ કાયદા રદ કરશે : પ્રિયંકા ગાંધી

Share On :

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે.
બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.

યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :