CIA ALERT

BJP : સુરત-અમદાવાદમાં એક પણ મુસ્લિમને ટિકીટ નહીં

Share On :

ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.

સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.

અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :