CIA ALERT

ત્રણેય કૃષિ કાયદાના અમલ પર સ્ટે : વાળ્યા ન વળે એ હાર્યા વળે

Share On :

આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.

સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.

કોર્ટની Modi Governmentને ફટકાર

Supreme Court slams Modi Government's style of functioning in the execution  of Farm Laws - PGurus

નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.

સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.

અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?

ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.

કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :