મુંબઇ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ લખવી પાકિસ્તાનમાં પકડાયો

મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર એ તૈયબાના આતંકી ઝકીઉર રેહમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આતંકીઓને ફંડિગ અને અન્ય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરી હતી. લખવી અને હાફિઝ સઇદે સાથે મળીને મુંબઇ 29 નવેમ્બર 2008ના આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું.
આતંકી સંગઠન લશ્કર એ તૈયબાબના કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી યૂએનએસસીની રજૂઆથ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો.
26/11 એ લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારી કરી આતંક ફેલાવ્યો હતો. આ આતંકી હુમલાએ કુલ 166 લોકોનો ભોગ લીધો હતો, 300થી વધુને ઘાયલ કર્યા હતા. લખવીને છ વર્ષની સજા બાદ પાકિસ્તાને એપ્રિલ 2015માં મૂક્ત કર્યો હતો, જે પછી હવે ફરીથી ધરપકડ કરવા માટે મજબૂર બન્યુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


