RBI Move on 4/12 : વ્યાજ દર સ્થિર
આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.
કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.
કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


