આયુર્વેદિક સર્જરીનો નિર્ણય રૉલબેક કરાવવા IMA સુરતના એલોપેથી તબીબોએ રણશિંગુ ફૂંક્યું
આજરોજ તારીખ ૩ 11 2020 ને સવારે 11:00 જુનિયર ડૉકટર નેટવર્ક (જે ડી એન) ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ના ડોક્ટર સભ્યોએ Indian Medical Association સૂરતના પ્રેસિડેન્ટ ડોક્ટર હિરલ શાહ, Gujarat વાઈઝ પ્રેસિડન્ટ ડોક્ટર પારુલ વડગામા, મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાજ્ઞિક અને સેનેટ મેમ્બર ડોક્ટર વિપુલ ચૌધરી વગેરે પ્રતિનિધિમંડળે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરીની છૂટ આપવાના લીધેલા નિર્ણયનો પદ્ધતિસર વિરોધ થાય અને સરકાર આ નિર્ણય રૉલબેક કરે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
IMA સુરતે એક્શન કમિટી બનાવી, ટૂંક સમયમાં શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શન કરશે

Indian Medical Association સૂરતના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે mixopathy ના નિર્ણયનો વિરોધ કરવા એક એકશન કમિટી ની રચના કરવામાં આવી છે, આ કમિટીના ચેરમેન શ્રીડોક્ટર વિનોદ શાહ છે અને તેમના ગાઇડન્સ હેઠળ કમિટીના સભ્યો Indian Medical Association સૂરત તરફથી આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો કરશે.
મીડિયા કોર્ડીનેટર ડો. હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું હતું કે તા.3 ડિસેમ્બરના રોજ સુરત ખાતે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરી કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તબીબો, મેમ્બર ડોક્ટર્સ, શુભેચ્છકો વગેરે જોડાયા હતા. વધુ એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


