કોરોનાની બીજી લહેર ઘાતક, વધુ સાવધાની જરૂરી : ડો. ગુલેરિયા AIIMS

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.
ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.
તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
