સુરતના કોરોના સર્વાઇવર તબીબ ડો.સંકેત મહેતા ચેન્નઇ હોસ્પિટલથી ડિસ્ચાર્જ, સુરત ઘરે પહોંચ્યા

કોરોના ઇન્ફેકશનના સૌથી જૂજ લક્ષણોનો શિકાર બનેલા સુરતના યુવા ડોક્ટર સંકેત મહેતા બિલકુલ સ્વસ્થ થઇને ચેન્નઇ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થયા છે. ડો.સંકેત મહેતા જયારે કોરોનાગ્રસ્ત હતા અને ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ પેશન્ટને ઓક્સિજન સપોર્ટ આપવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 28 જુલાઈના રોજ પહેલીવાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરતના BAPS હોસ્પિટલમાં દાખલ ડો. મહેતાની તબિયત વધુ ખરાબ થતા તેમને ચેન્નઇની MGM હોસ્પિટલ બાય એર એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવ્યા હતા.
તબીબોના જણાવ્યા અનુસાર ડો. સંકેત મહેતાને એવા પ્રકારનું ઇન્ફેકશન થયું હતું જેના કેસો વિશ્વમાં કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હશે. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ડો.સંકેત મહેતાને વધુ સારવાર માટે ચેન્નઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચેન્નઇ ખાતે ડો. સંકેત મહેતાના ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવ્યા હતા.
ડો. મહેતા 96 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ગુજરાતમાં કોઈપણ કોવિડ 19ના દર્દી માટે હોસ્પિટલમાં રહેવાનો આ સૌથી વધુ સમય છે.
ડો. મહેતાના પત્ની પિનલના જણાવ્યા મુજબ હાલમાં ડો.સંકેત મહેતાનું સ્વાસ્થય નોર્મલ સ્થિતિ ધરાવે છે, બોલવામાં હજુ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ સાઇન લેંગવેજમાં વાત કરે છે. પરંતુ તેઓ નોર્મલ રીતે શ્વાસોશ્વાસ લેવામાં સક્ષમ છે. તેમણે પોતાની સાઇન લેંગવેજથી જણાવ્યું કે વૃદ્ધ દર્દીને ઓક્સિજન સપ્લાયની મદદ કરીને તેઓ ખૂબ જ ખુશ છે.’
ચેન્નઇની MGM હોસ્પિટલ જ્યાં ડો. સંકેત મહેતાની ટ્રીટમેન્ટ થઇ એ હોસ્પિટલના કાર્ડિયાક સાયન્સના ડિરેક્ટર અને ચેરમેન ડો. કે.આર. બાલાક્રિશ્નને કહ્યું કે ‘આગામી એક મહિનાના સમયગાળામાં ડો. સંકેત મહેતા ફરી તેમનો તબીબી વ્યવસાય કરી શકશે. તેઓ હવે ફૂલ રિકવર થઈ ગયા છે અને હવે તેમને ફક્ત સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની જરુર છે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


