નર્મદા નદીમાં પૂર : ૧૩ ગામોના ૧૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૩ મીટર થઈ હતી હાલ ડેમના ૨૩ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં અત્યારે ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ૯.૨૨ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થતા પૂરનું સંકટ સર્જાયું છે. જ્યારે કડાણા ડેમમાંથી ૪.૨૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે નર્મદા નદીએ ૩૦ ફૂટથી વધુની સપાટીએ વહેવા લાગી છે તેમ જ પૂરને પગલે ભરૂચ, અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
નર્મદા નદીમાં પૂરની શરૂઆત થતાં જ ડભોઇ તાલુકાના ૩, શિનોર તાલુકાના ૧૧ અને કરજણ તાલુકાના ૧૧ ગામ મળી કુલ્લે ૨૫ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. અને નદી કિનારાના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચાંદોદમાં મલ્હાર ઘાટ રાત્રે જ ડૂબી ગયો હતો. તે બાદ સવારે કરનાળી ગામમાં બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી સુધી પાણી આવી ગયાં હતાં. નદી કિનારાના ગામોમાં પાણી આવવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા ચાંદોદમાં સાઇરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ૮.૧૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્ર્વરના ૧૪ અને ઝઘડિયાના ૧૩ ગામોના ૧૩૮૭ લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્ર્વર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.
નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી ૨૭ ફૂટે પહોંચી છે. ૮ લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાથી નદીની સપાટી ૩૦ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટની છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
